જીએસટીના દર ઘટયા પણ નોટબુકના ભાવ ઘટાડવા મુશ્કેલ, રેડીમેડ ગારમેન્ટમાં પણ રૂ. 2500 પ્લસના પ્રોડક્ટના ભાવ વધશે
કાચા માલ પરના જીએસટીના દર વધી જતાં પ્રોડક્ટ્સના ભાવ ઘટાડવામાં વેપારીઓને પડી રહેલી મુશ્કેલીઃ સરકાર તરફથી ભાવ ઘટાડા માટે વધારવામાં આવી રહેલી ભીંસ
પાંચ ટકાના સ્લેબમાંથી શૂન્ય ટકાના સ્લેબમાં છ વસ્તુઓ નાખવામાં આવી અને ૧૨ ટકાના સ્લેબમાંથી ૭ આઈટેમ્સને શૂન્ય ટકા જીએસટીમાં નાખવામાં આવી છે, પરંતુ તેમાંથી નોટબુકના કાગળ અને રેડીમેડ ગારમેન્ટ માટેના યાર્ન પરના જીએસટીના દરમાં વધારો કરી દેવામાં આવ્યો હોવાથી સરકારની અપેક્ષા પ્રમાણે ભાવમાં ઘટાડો આવતો નથી. બીજીતરફ વેપારીઓ પણ આ ચીજવસ્તુઓના ભાવમાં અપેક્ષા પ્રમાણેનો ઘટાડો કરી શકતા નથી. કારણ કે શૂન્ય ટકાના સ્લેબમાં મૂકવામાં આવેલી વસ્તુ તૈયાર કરવા માટેના કાચા માલ પર ભરવામાં આવેલા જીએસટીની ઇનપુટ ટેક્સક્રેડિટ મળતી નથી. તેથી વેપારીઓના કોસ્ટિંગ વધી રહ્યા છે. પરિણામે ભાવમાં ઘટાડો કરવાને બદલે વધારો કરવાની ફરજ પડી રહી છે. બીજીતરફ જીએસટીના દર ઘટ્યા હોવાથી પ્રોડક્ટ્સના ભાવ તેના પ્રમાણમાં વેપારીઓ ઘટાડે તે માટે સરકાર તેમને માથે દબાણ વધારી રહી છે.
નોટબુક માટે ખરીદવામાં આવતો કાગળ બીજામાં વપરાઈ જવાની ભીતિથી જીએસટી વિના વેચવા તૈયાર ન હોવાથી વાત વણસી
કાગળ ઉદ્યોગ માટે તૈયાર કરેલા નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે નોટબુક બનાવવા માટેના કાગળ પર શૂન્ય ટકા જીએસટી લાગશે. પરંતુ શૂન્ય ટકા જીએસટી પર લેવામાં આવેલો કાગળ ખરેખર નોટબુક બનાવવામાં વપરાશે કે નહિ તેની મેન્યુફેક્ચરર્સ કે તેના ડીલરને ખાતરી જ નથી. તેથી તે શૂન્ય ટકા જીએસટી પર તે કાગળ આપવા તૈયાર નથી. કારણ કે ખરીદનાર અન્ય હેતુ માટે એટલે કે નોટબુક બનાવવા સિવાયના હેતુ માટે તે કાગળનો ઉપયોગ કરે તો વેચનારને માથે ૧૮ ટકા જીએસટી જમા કરાવવાની જવાબદારી આવી જાય તેમ છે. તેથી નોટબુક બનાવનારાઓને કાચા માલ પર વધુ જીએસટી જમા કરાવવો પડી રહ્યો છે.
તેની સામે તૈયાર નોટબુક પર શૂન્ય ટકા જીએસટી હોવાથી તેમણે કાચા માલ પર ચૂકવેલા ૧૮ ટકા જીએસટીની રકમમાંથી રાતી પાઈની પણ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળવાની નથી. પરિણામે નોટબુક બનાવવાની પડતર કિંમતમાં જીએસટી ઘટયા પછીય ઘટાડો કરવો કઠિન બની ગયો છે. આમ નોટબુકની કિંમત ઘટાડવાને બદલે તેમને કિંમત વધારવાની ફરજ પડી રહી છે. આમ જીએસટીના દર ઘટાડયા પછી નોટબુકના ભાવ ઘટવાને બદલે વધી રહ્યા છે. નોટબુક તૈયાર કરનરાઓની હાલાકી તેને પરિણામે વધી રહી છે. ભાવ ઘટાડવાના સરકારના દબાણ પછીય ભાવ ન ઘટાડતા તેમની સામે તેમને માથેનું જોખમ વધી રહ્યું છે. જોકે સરકાર આ સમસ્યાનો ઉકેલ લાવશે તેવી આશા રાખવામાં આવી રહી છે.
રૃા. ૨૫૦૦થી ઓછી કિંમતના ઉત્પાદનોમાં થશે. તેમાં અપેક્ષા પ્રમાણેનો ઘટાડો આવશે નહિ. સાતથી દસ ટકાના ઘટાડાની અપેક્ષા રાખનારાઓને બેથી ત્રણ ટકાના ઘટાડાથી સંતોષ માનવો પડશે. તેમાં પણ ફેબુ્રક્સ પર ૫ ટકા, યાર્ન પર ૫ ટકા તથા કાચા માલ પર ૧૮ ટકા જીએસટી ચૂકવવો પડશે. તેમાં અમુક અંશે કૃત્રિમ યાર્ન વપરાય છે. તેના પરનો ૧૯ ટકા જીેએસટીનો બોજ ફાઈનલ કિંમત પર જોવા મળશે. તેથી તેના ભાવમાં ૫થી ૭ ટકાના ઘટાડાની અપેક્ષા સામે માત્ર ૨થી ૩ ટકા જ ઘટાડો થવાની સંભાવના રહેલી છે.
બીજીતરફ ૨૫૦૦થી વધુ કિંમતના લગ્ન જેવા પ્રસંગોએ અન ેતહેવારોમાં પહેરાતા વસ્ત્રોમાં પણ ભાવ ઘટાડવાને બદલે વધારવાની ફરજ પડી છે.તેના કારણોમાં ઊંડા ઉતરીએ તો રૃા. ૨૫૦૦થી વધુ કિંમતના રેડીમેડ ગારમેન્ટ, ચણિયા ચોળી, એથનિક વેરના ભાવ વધશે. કારણ કે તેના પર પહેલા ૧૨ ટકા જીએસટી હતો. આ જીએસટી વધારીને ૧૮ ટકા કરવામાં આવ્યો છે. આમ જીએસટીમાં છ ટકાનો વધારો થયો છે. તેને માટે વપરાતા ફેબ્રિક્સ પર ૫ ટકા, યારન પર ૫ ટકા, યાર્ન બનાવવા માટેના કૃત્રિમ રેસાના રૉ મટિરિયલ પર એટલે કે વિસ્કોસ તમામ પરનો જીએસટી ૧૮ ટકા કરી દેવામાં આવ્યો છે.આ તમામને કારણે તેની કિંમતમાં વધારો થશે. ઘટાડો થશે નહિ. રૃા. ૨૫૦૦થી વધુ કિંમતની ચાદર, ચોરસા અને બ્લેન્કેટ સહિતના મેડ અપ્સના ભાવ પણ સાતથી આઠ ટકા વધી જવાની સંભાવના છે.