• 12 September, 2026 - 7:59 AM

NAFCUBની વાર્ષિક સામાન્ય સભામાં ડાયરેક્ટર્સની ૧૦ વર્ષની મર્યાદાના નિયમનો સખત વિરોધ

NAFCUB ની વાર્ષિક સામાન્ય સભામાં ડાયરેક્ટર્સની ૧૦ વર્ષની મર્યાદાના નિયમનો સખત વિરોધ

સહકારી બેંકિંગ ક્ષેત્રમાં વિરોધનો મોટો વટોળ: સહકારી સંસ્થાઓએ કેન્દ્રીય સહકાર મંત્રાલય અને રિઝર્વ બેન્કના ગવર્નરને મળીને ૧૦ વર્ષની મર્યાદાને લંબાવીને ૧૫ વર્ષ કરવા અથવા વચ્ચે ૨-૩ વર્ષનો કૂલિંગ ઓફ પીરિયડઆપીને પુનઃચૂંટણીની મંજૂરી આપવા માટે રજૂઆત કરી

૧૦ વર્ષની મર્યાદાને લંબાવીને ૧૫ વર્ષ કરવા અથવા વચ્ચે ૨-૩ વર્ષનો કૂલિંગ ઓફ પીરિયડઆપીને પુનઃચૂંટણીની મંજૂરી આપવા માટે માગણી કરવામાં આવી

ભારતના અર્બન કો-ઓપરેટિવ બેંકિંગ (UCB) અને ક્રેડિટ સોસાયટી ક્ષેત્રે હાલમાં એક નવો વહીવટી અને નીતિગત વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. નેશનલ ફેડરેશન ઓફ અર્બન કો-ઓપરેટિવ બેંક્સ એન્ડ ક્રેડિટ સોસાયટીઝ-NAFCUBની સપ્ટેમ્બર 2026ના પ્રથમ સપ્તાહમાં યોજાયેલી વાર્ષિક સામાન્ય સભામાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ લાગુ કરેલા ડાયરેક્ટર્સના ૧૦ વર્ષના કાર્યકાળની મર્યાદાના નિયમ સામે ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ નવી જોગવાઈનો વિરોધ કરતો એક ઠરાવ પણ વાર્ષિક સામાન્ય સભામાં કરવામાં આવ્યો છે.

આ બેઠકમાં દેશભરમાંથી આવેલા સહકારી બેંકિંગ ક્ષેત્રના પ્રતિનિધિઓ ઉપસ્થિતિ રહ્યા હતા અને સર્વાનુમતે પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવનો મુખ્ય હેતુ રિઝર્વ બેન્કે અર્બન કોઓપરેટીવ બેન્કના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ માટે નક્કી કરવામાં આવેલી મહત્તમ ૧૦ વર્ષની કાર્યકાળની મર્યાદાના નિયમમાં છૂટછાટ મેળવવાનો અથવા તેને પુનઃવિચણા હેઠળ લાવવાનો છે.

રિઝર્વ બેન્કનો નિયમઅને વિરોધનું કારણ

રિઝર્વ બેન્કે કો-ઓપરેટિવ બેંકોમાં ગવર્નન્સ અને પ્રોફેશનલિઝમ સુધારવાના હેતુથી બેંકિંગ રેગ્યુલેશન (એમેન્ડમેન્ટ) એક્ટ હેઠળ એક માર્ગદર્શિકા બહાર પાડી હતી, જેમાં કોઈ પણ વ્યક્તિ સતત કે કુલ ૧૦ વર્ષથી વધુ સમય માટે બેંકના બોર્ડ ઓફ ડાયરેક્ટર તરીકે રહી શકે નહીં. તેનો વિરોધ કરવાના કારણો આપતા જણાવવામાં આવ્યું છે કે લોકશાહી ઢાંચા પર પ્રહાર થઈ રહ્યો છે. સહકારી ક્ષેત્ર એ લોકશાહી ધોરણે ચાલતી ચળવળ છે. સભાસદોને પોતાનો નેતા ચૂંટવાનો અધિકાર છે. બીજું, નવી વ્યવસ્થામાં અનુભી નેતાઓની ખોટ વર્તાવાની સંભાવના રહેલી છે. દસ વર્ષનો મહત્તમ કાર્યકાળનો નિયમ લાગુ થવાથી બેંકને સફળતાપૂર્વક ચલાવનારા અનુભવી અને નિષ્ણાત સંચાલકોએ ફરજિયાત બહાર નીકળવું પડે છે. ત્રીજું, ગામડાં અને નાના શહેરોમાં વિકલ્પનો અભાવ છે. નાના સેન્ટરોમાં બેંકિંગ અને સહકાર ક્ષેત્રનું જ્ઞાન ધરાવતા નવા પ્રતિભાશાળી લોકો સરળતાથી મળતા નથી.

આ વિવાદ અને નિયમની શું અસર પડી શકે?

એક, વહીવટી અને નેતૃત્વનું સંકટ ઊભુ થઈ શકે છે. અત્યારે ઘણી અર્બન કો-ઓપરેટિવ બેંકોના પ્રમોટર્સ કે સીનિયર ડાયરેક્ટર્સ છેલ્લા ૧૫-૨૦ વર્ષથી બેંકનો પાયો મજબૂત કરી રહ્યા છે. એક સાથે આ અનુભવી ચહેરાઓ દૂર થવાથી બેંકોના નિર્ણય લેવાની ક્ષમતા અને વ્યવસાયિક વૃદ્ધિ પર વિપરીત અસર પડી શકે છે. બે, પ્રોફેશનલિઝમ અને ટ્રાન્સપેરન્સીમાં સુધારો આવવાની શક્યતા બેન્કોને લાભ પણ કરાવી શકે છે. રિઝર્વ બેન્કના નિર્ણયનું આ પોઝિટિવ પાંસું છે.

અત્યારે ઘણી સહકારી બેન્કોના કિસ્સાઓમાં એક જ જૂથ કે પરિવારનું વર્ષો સુધી બોર્ડ પર વર્ચસ્વ રહે છે. પરિણામે સગાંવાદ આવી જાય છે. સહકારી બેન્ક એક પરિવારની બાપીકી મિલકત હોય તે રીતે તેમના અનુગામીઓ આવતા રહે છે. તેમ જ નાણાકીય ગેરરીતિઓ જોવા મળે છે. બીજીતરફ રિઝર્વ બેન્કના નિયમથી નવું લોહી અને નવી પ્રોફેશનલ વિચારસરણી બોર્ડમાં આવશે, જેનાથી સામાન્ય થાપણદારોના નાણાં વધુ સુરક્ષિત બનશે. વરસો દરમિયાન ઊભા થઈ ગયેલા સ્થાપિત હિતોનું વર્ચસ્વ ઘટી જશે.

કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેન્ક વચ્ચે સહકારી ક્ષેત્ર મુદ્દે ખેંચતાણ

કેન્દ્રીય સહકાર મંત્રાલય સહકારી ક્ષેત્રને મજબૂત કરવા માંગે છે, જ્યારે રિઝર્વ બેન્ક સહકારી ક્ષેત્રમાં કડક પ્રુડેન્શિયલ બેંકિંગ નૉર્મ્સ હેઠળ લાવવા માંગે છે. પરંતુ નેફકબ-NAFCUBમાં તેનો પ્રચંડ વિરોધ થયો છે. પરિણામે પ્રસ્તાવ હવે કેન્દ્રીય સહકાર મંત્રી સમક્ષ જશે, જેનાથી નિયમનકારી મંજૂરીઓ અને સહકારી સ્વાયત્તતા વચ્ચે નવો સમન્વય સાધવો પડશે.

વર્તમાન સ્થિતિ અને સંભાવનાઓ

રિઝર્વ બેન્કના કડક વલણ પછીય અત્યાર સુધી પોતાના ગવર્નન્સ નોર્મ્સમાં કોઈ મોટો ફેરફાર કર્યો નથી. રિઝર્વ બેન્કે શહેરી સહકારી બેન્કોને બેંકિંગ નિયમોનું પાલન કરવા કડક સૂચનાઓ આપેલી છે. તેની સામે સહકારી ક્ષેત્રના પ્રતિનિધિ મંડળની રજૂઆત આવી છે. નેફકબ અને રાજ્ય સ્તરના ફેડરેશનો દ્વારા કેન્દ્રીય સહકાર મંત્રાલય અને રિઝર્વ બેન્કના ગવર્નરને મળીને ૧૦ વર્ષની મર્યાદાને લંબાવીને ૧૫ વર્ષ કરવા અથવા વચ્ચે ૨-૩ વર્ષનો ‘કૂલિંગ ઓફ પીરિયડ’ આપીને પુનઃચૂંટણીની મંજૂરી આપવા માટે રજૂઆતો ચાલુ રાખવામાં આવી છે.

૩. બેંકોમાં અમલીકરણ: મોટાભાગની નાની-મોટી અર્બન કો-ઓપરેટિવ બેંકોએ આ કાયદાકીય મર્યાદાને કારણે પોતાના બોર્ડનું પુનર્ગઠન કરવું પડ્યું છે અને નવા ડાયરેક્ટર્સની નિમણૂક કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

સહકારી બેંકિંગ ક્ષેત્રે ગવર્નન્સ સુધારવું અને થાપણદારોનો વિશ્વાસ જાળવવો જેટલો જરૂરી છે, એટલું જ જરૂરી સહકારી ચળવળના લોકશાહી માળખાને જીવંત રાખવાનું છે. નેફકબનો આ પ્રસ્તાવ બેંકિંગ સુધારા અને સહકારી સ્વાયત્તતા વચ્ચેના સંતુલન માટેનો એક મોટો વળાંક સાબિત થઈ શકે છે. આરંભમાં અનુભવીઓની ખોટ પડી શકે છે, પરંતુ સમયજતાં નવું લોહી આ સેક્ટરમાં સક્રિય થશે અને સહકારી ક્ષેત્રમાં પારદર્શકતા અને જોમનો ઉમેરો થાય તેવી અપેક્ષા પણ રાખવામાં આવી રહી છે.

Read Previous

નવી બે લાખ સહકારી સંસ્થાઓ સ્થાપવાના અભિયાનથી ગ્રામીણ અર્થતંત્રને વેગ મળ્યો

Read Next

NAFCUBના સુવર્ણ જયંતી વર્ષમાં નવસર્જન અને સુધારાઓનો રોડમેપ તૈયાર કર્યો

Most Popular