ફ્રોડથી બચવા વેપારીઓ ખરીદનારનો જીએસટી નંબર-સોદાની રકમ મહાજને મોકલે

મસ્કતી કાપડ મહાજનનો વેપારીઓને ફ્રોડથી બચાવવાનો પ્રયાસ
ફ્રોડથી બચવા વેપારીઓ ખરીદનારનો જીએસટી નંબર-સોદાની રકમ મહાજને મોકલે
પેમેન્ટ બાકી હોય તેવા દલાલ એજન્ટ વિરુદ્ધ લેખિત ફરિયાદ મહાજનમાં આપો તો તેમના માર્કેટમાં પ્રવેશ પ્રતિબંધ મૂકી શકાશે
મહાજને લખી આપેલી શરતો બિલમાં લખીને વિવાદ માટેનું જ્યુરિસડિક્શન અમદાવદ જ રહેથે તેવી શરત મૂકવી ફરજિયાત
અમદાવાદ,સોમવાર: કાપડ બજારમાં સતત થઈ રહેલા ફ્રોડથી વેપારીઓને બચાવવાના એક મોટા પ્રયાસ તરીકે મસ્કતી કાપડ મહાજને તેના વેપારીઓને રોજ જે પાર્ટી સાથે વેચાણના સોદા કરે તે પાર્ટીના જીએસટી નંબર સાથેની વિગતો રોજ રોજ મહાજનને મોકલી આપવાની સૂચના આપી છે. આ વિગતો ઓનલાઈન અપલોડ કરીને પછી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી એક જ જીએસટી નંબર ધારકે બજારમાં કેટલા વેપારીઓ સાથે કેટલી રકમના સોદા કર્યા તેની વિગતો તેમના સભ્ય એવા દરેક વેપારીને ણોકલી આપશે.
આ વ્યવસ્થાને પરિણામે નવો વેપારીને ખરીદનારને માથે દેવું કેટલું છે તેની વિગતો જાણવા મળી જશે. તેમ જ તેના થકી ફ્રોડ થવાની સંભાવના ઓછી છે કે વધારે છે તેનો પણ તાગ મેળવી શકશે. ફ્રોડ કરનાર એક વેપારી પાસેથી માલ ખરીદીને તરત જ બીજા વેપારીને બહુ જ ઓછા દામે વેચી દઈને પછી મૂળ સપ્લાયરને માલના પૈસા આપવાને બદલે હાથ ઊંચા કરી દે છે. આ સંજોગોમાં કાપડ બજારના વેપારીને ખરીદનાર વેપારીને માથે કેટલી રકમનો બોજો છે તેનો અંદાજ માર્કેટમાંથી જ મળી જાય તેવી વ્યવસ્થા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, મસ્કતી કાપડ મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગતનું કહેવું છે.
તદુપરાંત ત્રણ વર્ષથી ઓછા વરસથી કાપડ બજારમાં કામ કરતી હોય તેવી પેઢી ક્રેડિટ પર માલ લેવા આવે તો તેને ક્રેડિટ પર માલ ન આપવાનો નિયમ કરવામાં આવ્યો છે. તેની સાથે જ વેપારીની બિલબુકમાંંથી બનાવવામાં બીલમાં પેમેન્ટને લગતા વિવાદા થાય તો મસ્કતી મહાજનના ટ્રેડિંગ રૃલ નંબર ૭૮ હેઠળે અમદાવાદમાં જ ઉકેલવાના રહેશે તેવી શરત રાખવી પડશે. વેપારી વૉટ્સએપ કે ઈમેલ ને ઉપયોગ લેતા હોવ તો તેમાં પણ સેલ્સ, ડિલિવરી ચલણ માં શરતો હોવી જરૃરી છે. તેમ જ કાપડ ના કટિંગ બાદ કોઈ ફરિયાદ સાભળવા માં આવશે નહીં તેવી પણ શરત રાખવાની રહેશે. આ ઇન્વોઈસમાં ઓવરડયૂ પેમેન્ટ પરના વ્યાજના ટકાનો ઉલ્લેખ કરેલો હોવો જરુરી છે. બિલમાં ડયુ ડેટ નો ઉલ્લેખ કરવો ફરજિયાત છે. કાપડ ની ડિલિવરી થયા બાદ કોઈપણ કમ્પ્લઈેન હોય તો દિવસ-૨૦ માં આપવાની રહેશે. તેનાથી વધુ વિલંબ કરે તો ત્યારબાદ ફરિયાદ સાભળવાંમાં આવશે નહીં. એજન્ટ, દલાલ કે એજન્સી સાથે કાપડ નું વેચાણ કરતા પહેલા જરૃર થી કોન્ટ્રાક્ટ અવશ્ય કરી લેવાનો રહેશે.
લેટ પેમેન્ટ કરતા વ્યાપારીઓ વિરુદ્ધ મસ્કતી મહાજન માં લેખિત ફરિયાદ આપવાની રહેશે. તેમ કરવાથી નવા વ્યાપારી સભ્ય ફસાતા અટકી જશે. જે દલાલ,એજન્ટ તથા એજન્સી દ્વારા કોઈ એક વ્યાપારીને કાપડનું વેચાણ કર્યું હોય અને સ્થાનિક સભ્યોના પેમેન્ટ બાકી હોય તો તેવા દલાલ એજન્ટ કે એજન્સી વિરુદ્ધ લેખિત ફરિયાદ મહાજન કાર્યાલયમાં આપવામાં આવે તો તેવા વ્યક્તિઓને માર્કેટમાં પ્રવેશ બંધ કરવામાં આવશે.
