• 4 February, 2026 - 5:36 AM

મોટી સહકારી સંસ્થાના ડિવિડંડ સહકારી બેન્કો શેરહોલ્ડર્સને આપે તો ટેક્સ નહિ લાગે

  • સ્ટેટ કોઓપરેટીવ બેન્ક જિલ્લા બેન્ક, જિલ્લા બેન્ક પેક્સને અને પેક્સ તેના સભાસદોને ડિવિડંડ આપી દે તો વેરાને પાત્ર નહિ ગણાય
  • રવિવારે સંસદમાં રજૂક રવામાં આવેલા ૨૦૨૬-૨૭ના નાણાંકીય વર્ષના બજેટમાં દેશના સહકારી ક્ષેત્ર માટે મોટા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી
  • બજેટમા સહકારી સંસ્થાઓ માટે રાહતના પેકેજની જાહેરાત કરી તમામ સંસ્થાઓને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો
  • પશુખોરાક, કપાસિયાના વેચાાણની આવકને વેરા મુક્તિ આપી

અમદાવાદઃ નાની સહકારી સંસ્થાઓેએ જિલ્લા કે રાજ્ય સ્તરની મોટી બેન્કો કે નેશનલ લેવલના મોટા કોઓપરેટીવ ફેડરેશનના શેર્સમાં કરેલા રોકાણ પર મોટી સહકારી બેન્કો કે સંસ્થાઓ દ્વારા આપવામાં આવતા ડિવિડંડની આવકને વેરા પાત્ર ન ગણવાની જાહેરાત કેન્દ્રિય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે રવિવારે સંસદમાં રજૂ કરેલા બજેટના માધ્યમથી કરી છે. જોકે તેની સાથે એક શરત એ છે કે જિલ્લા બેન્ક તેના શેર્સ ધરાવતી નાની સહકારી બેન્કને ડિવિડંડ આપે અને નાના સહકારી બેન્ક તેના સભાસદોને તે ડિવિડંડ ચૂકવી દે તો જ તે ડિવિંડડની આવક પર આવકવેરો લાગશે નહિ. ડિવિડંડ આગળ આપવામાં આવશે તો જ તેને આવકવેરાના રિટર્નમં ખર્ચ તરીકે બાદ આપવામાં આવશે, એમ સહકારી ક્ષેત્રના અભ્યાસુ રાજીવ પડિયાનું કહેવું છે. રવિવારે રજૂકરેલા બજેટમં લેવાયેલા આ નિર્ણયને પરિણામે સહકારી સંસ્થાઓને મોટી રાહત મળી ગઈ છે.

રવિવારે સંસદમાં રજૂક રવામાં આવેલા ૨૦૨૬-૨૭ના નાણાંકીય વર્ષના બજેટમાં દેશના સહકારી ક્ષેત્ર માટે મોટા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે પ્રાથમિક સહકારી સંસ્થાઓ, આંતર-સહકારી સંસ્થાઓ અને રાષ્ટ્રીય સહકારી ફેડરેશનોને મજબૂત બનાવવા માટે વેરાના લાભ આપવાના પગલાં લીધા છે. આ રીતે કોઓપરેશન એમોન્ગ્સ્ટ કોઓપરેટીવ્સના સિદ્ધાંતને વધુ મજબૂતી સાથે અમલમાં મૂકવાની દિશામાં વધુ એક પગલું લેવામાં આવ્યું છે. તેનાાથી સહકારી સંસ્થાઓની આર્થિક સંગીનતામાં વધારો થશે.

તદુપરાંત સહકારી સંસ્થાઓના સભાસદો દ્વારા આપવામાં આવતા તેલીબિયાં, ફળ, શાકભાજી અને દૂધ થકી થતી આવકને  બિનવેરાપાત્ર ગણવાની પ્રથાને આગળ ધપાવીને કપાસિયા અને પશુઆહારના સભાસદો તરફથી આવતા સપ્લાયના વેચાણ થકી કરવામાં આવતી આવકની રકમ તેમના સભાસદોને આપી દે તો તેને વેરાપાત્ર ન ગણવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કપાસિયા અને પશુઆહારનો સપ્લાય તેના સભાસદના માધ્મયથી જ આવેલો હોવો ફરજિયાત છે. આ સપ્લાય મોટી સહકારી સંસ્થાઓ, સરકારી સહકારી સંસ્થાઓ અને લાભ મેળવવાને પાત્ર ગણાતી અન્ય સંસ્થાઓને આપવામાં આવેલો હશ તો જ તેને વેરા માફીનો લાભ મળશે. આ સાથે જ સહકારી સંસ્થાઓ સાથે સંકળાયેલી અન્ય કૃષિ પ્રવૃત્તિને વેગ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અત્યાર સુધી આ છૂટ માત્ર એવા સહકારી સંગઠનોને મળતી હતી જે પોતાના સભ્યોએ પકવેલા તેલીબિયાં, ફળો, શાકભાજી કે પછી દૂધનો સપ્લાય પર વેરા રાહત આપવામાં આવતી હતી તેનું ફલક વિસ્તારીને પશુઆહાર અને કપાસના બીજનું પુરવઠો આપતી  પ્રાથમિક સહકારી મંડળીઓને પણ આ જોગવાઈ હેઠળ વેરાની રાહત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ બજેટમાં મૂકવામાં આવેલા પ્રસ્તાવો હેઠળ સરકારે પ્રાથમિક સહકારી સંસ્થાઓને મળતી આવકવેરા છૂટને આગળ ધપાવવામાં આવી છે.

અન્ય એક મહત્વપૂર્ણ જાહેરાત કરીને સૂચિત રાષ્ટ્રીય સહકારી ફેડરેશનને ૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ સુધી કંપનીઓમાં કરેલા રોકાણ પરથી મળતી ડિવિડેન્ડ આવક પર ત્રણ વર્ષ માટે કર મુક્તિ આપવામાં આવી છે. આ મુક્તિ માત્ર એટલી જ રકમ સુધી લાગુ પડશે જેટલી ડિવિડેન્ડ આવક આગળ સભ્ય સહકારી સંસ્થાઓમાં વહેંચવામાં આવશે. પરિણામે આ લાભ વ્યાપક સહકારી નેટવર્ક સુધી પહોંચી શકશે. આમ બજેટ ૨૦૨૬ના આ પ્રસ્તાવો કરવેરાનો ભાર ઘટાડીને, સભ્યકેન્દ્રિત આવક વિતરણને પ્રોત્સાહન આપી અને ગ્રામિણ વિકાસ તથા સર્વસમાવેશી વૃદ્ધિના મુખ્ય ચાલક તરીકે સહકારી ક્ષેત્રને મજબૂત બનાવવાની સરકારની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે

 

Read Previous

અમેરિકા સાથેના ટ્રેડ ડીલથી ગુજરાતમાં કયા સેક્ટરને લાભ થશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular