• 4 February, 2026 - 6:15 AM

વિદેશ પ્રવાસના પેકેજ પર હવે માત્ર બે ટકા જ ટીસીએસ કરવો પડશે

Tourism: Discovering the Top 5 Tourist Destinations in India: A Journey Through Beauty and Culture

રૂ. 10 લાખથી વધુના વિદેશ પ્રવાસના પેકેજ પર 20 ટકા ટીસીએસ કરવાની જોગવાઈ બદલીને બે ટકા કરી દેવામાં આવી

વિદેશ પ્રવાસ કરવા માટે જનારાઓને ઓફર કરવામાં આવતા પેકજની રકમ પર કરવાનો થતો ટીસીએસ 5 ટકાથી ઘટાડીને 2 ટકા કરવામાં આવ્યા છે. રૂ. 10 લાખ સુધીના પેકજે પર 5 ટકા હતો તે હવે બે ટકા થઈ ગયો છે. આ જ રીતે રૂ. 10 લાખથી વધુ રકમના પેકેજ પર પણ પહેલા જે 20 ટકા ટીસીએસ કરવાની જોગવાઈ હતી તે બદલીને 2 ટકા કરી દેવામાં આવી છે. આમ વિદેશ પ્રવાસના દરેક પેકેજ પર માત્ર 2 ટકા જ ટીસીએસ કરવાની જોગવાઈ પહેલી એપ્રિલ 2026થી અમલમાં આવી જશે.

લિબરાલાઈઝ રેમિટન્સ સ્કીમ-એલઆરએસ હેઠળ ભારતમાંથી વિદેશમાં એજ્યુકેશન કે પછી મેડિકલના ખર્ચ પેટે રૂ. 10 લાખથી વધુ રકમ મોકલવામાં આવે તો તેના પર 5 ટકા ટીસીએસ કરવાની જોગવાઈ અગાઉથી જ અમલમાં છે. પરંતુ આજે રજૂ કરેલા બજેટના માધ્યમથી ટીસીએસની ટકાવારી 5 ટકાથી ઘટાડીને બે ટકા કરી દેવામાં આવી છે એમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ જતીન સી. શાહનું કહેવું છે. પરિણામે વિદેશ પ્રવાસ કરવા માટે જનારાઓના ટીસીએસના નાણાં જે મહિનાઓ સુધી અટવાઈ રહેતા હતા તે હવે અટકી જશે.

આ જ રીતે કોલસો, લિગ્નાઈટ, આયર્ન ઓર, ભંગાર, આલ્કોહોલ પર લેવામાં આવતો ટીસીએસનો દર એક ટકાથી વધારીને બે ટકા કરી દેવામાં આવ્યો છે.

ટીડીએસનો પણ લાભ મળશે

વર્તમાન કાયદાકીય જોગવાઈ હેઠળ આવકવેરા ધારાની કલમ 393(6)માં કરવામાં આવેલી જોગવાઈ હેઠળ જે કરદાતાને ડિવિડંડની, સિક્યોરિટી પરના વ્યાજની આવક તથા મ્યુચ્યુલ ફંડ થકી થતી આવક ઉપર ટીડીએસ-કરકપાત ન થાય તે માટે કરદાતાએ દરક મ્યુચ્યુચ્યુઅલ ફંડ ચલાવનારા અને કંપનીઓને 15 જી ફોર્મ મોકલવાની જવાબદારીમાંથી મુક્તિ મળી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે હવે માટે સીડીએસએલ અને એનએસડીએલ જેવી ડિપોઝિટરીઓને ફોર્મ 15 જી આપવાનું રહેશે. અહીં ફોર્મ આપી દેવાથી તેના દરેક રોકાણને મેનેજ કરનારાઓ સુધી તે ફોર્મ આપોઆપ પહોંચી જશે. આ તમામ ઇન્વેસ્ટમેન્ટ ડિમેટ સ્વરૂપમાં હોવા જરૂરી છે. ફિઝિકલ શેર કે મ્યુચ્યુઅલ ફંડન યુનિટ્સ ધરાવનારાઓને આ લાભ મળશે નહિ.

આવકવેરા ધારાની વર્તમાન જોગવાઈ મુજબ કોઈ પણ બિનનિવસી ભારતીય કોઈ પણ સ્થાવર મિલકતનું વેચાણ કરે તો કરદાતાનો કલમ 393- જૂની કલમ 195 હેઠળ ટાન-ટેક્સ ડિડક્શન એકાનન્ટ નંબર મેળવીને ટીડીએસ કાપીને ટીડીએસનું રિટર્ન ભરવાની જોગવાઈ હતી.

નાણાં મંત્રી આજે બજેટમાં નવી જોગવાઈ કરીને રાહત આપી છે. હવે ટાન નંબર લેવો પડશે નહિ. બજેટમાં કલમ 297 1 (સી)માં ફેરફાર કરીને પાન કાર્ડને આધારે ટીડીએસ કાપીને સરકારમાં જમા કરાવી દેવાનો રહેશે. ટાન નંબર લેવાની અને ટીડીએસ કાપીને ટીડીએસનું રિટર્ન ફાઈલ કરવાની જંજાળમાંથી મુક્તિ આપવામાં આવી છે.

Read Previous

બજેટમાં ફેસલેસ ફેરઆકારણી કરતાં અધિકારીની વ્યાખ્યા બદલી નાખતા હજારો કેસો નીકળી જશે

Read Next

બાયબેકના શેર્સની આવકના ટેક્સના દરો બદલીને 12.5થી 30 ટકા સુધી કરી દીધા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular