• 4 February, 2026 - 6:17 AM

કરદાતા હવે નુકસાનીનું રિટર્નમાં સુધારો કરવાની નાણાં મંત્રીએ છૂટ આપી

બજેટમાં કલમ ૨૬૩માં સુધારો કરવામાં આવ્યો: નુકસાની ઓછી કરવાની પણ તક મળશે, સર્ચ-સરવે હેઠળના કરદાતા વધુ ૧૦ ટકા ટેક્સ ચૂકવી રિટર્ન સુધારી શકશે

અમદાવાદઃ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં રજૂ કરેલા બજેટમાં આવકવેરા અધિનિયમ ૨૦૨૫ની કલમ ૨૬૩ હેઠળ આવકવેરાના સુધારેલા રિટર્ન અંગેની જોગવાઈ કરવામાં આવી છે. બજેટમાં કરવામાં આવેલી નવી જોગવાઈે પરિણામે હવે નુકસાનીનું રિટનર્ભર્યું હોય તો તેમાં નુકસાની ઓછી કરવાની કરદાતાને છૂટ મળશે. તદુપરાંત રિટર્ન ફાઈલ કરનાર સામે આકારણી, પુનઃઆકારણી, સર્ચ-દરોડા, સરવે-તપાસ કે પછી કોર્ટ કેસની કાર્યવાહી કરવામાં આવી હશે તો પણ રિટર્નમાં સુધારો કરવાની છૂટ આપવામાં આવી છે.

 જૂની વ્યવસ્થા હેઠળ નુકસાનીનું રિટર્ન સર્ચ ને સરવેના કેસમાં અપડેટ કરવાની છૂટ આપવામાં આવતી નહોતી. ચોથા વરસે સુધારે તો તેના પર ૭૦ ટકા ટેક્સ લેવામાં આવે છે. તેને બદલે નવી વ્યવસ્થા હેઠળ ચોથા વરસે રિટર્ન સુધારવા માટે ૮૦ ટકા ટેક્સ આપવો પડશે.  સર્ચ કે સરવેના કેસમાં રિટર્ન રિવાઈઝ કરવાની છૂટ આપવાની સ ાથોસાથ જ સુધારો કરવા ઇચ્છનારને માથે બીજા દસ ટકા ટેકસ્નો બોજો નાખવાનો નિર્ણય કર્યો હોવાનું વેરાના જાણકાર હીરેન વકીલનું કહેવું છે.કલમ ૨૬૩ હેઠળ મૂળ રિટર્ન નુકસાનીનું હોય અને ત્યારબાદ દાખલ કરવામાં આવેલા  સુધારેલારિટર્નમાં  આવક દર્શાવવામાં આવી હોય તો ેતે રિટર્નને માન્ય ગણવામાં આવશે.

આ માટે આવકવેરા ધારાની કલમ ૨૬૩માં સુધારો કરવામાં આવ્યો છે. તેમાં એકવાર રિટર્ન ફાઈલ કર્યા પછી ૪૮ મહિના સુધીમાં તેમાં સુધારો કરીને રિટર્ન ફાઈલકરવાની છૂટ મળેલી છે. જૂની વ્યવસ્થા હેઠળ સુધારેલા રિટર્નમાં નુકસાનીનું  રિટર્ન ફાઈલ કરી શકાતું જ નહોતું. તેમ જ રિફંડમાં વધારો કરે તેવા સુધારેલા રિટર્ન ફાઈલ કરવાની જોગવાઈ જ કરવામાં આવી નહોતી. તેમ જ સુધારેલું રિટર્ન ફાઈલ કરવા માટે નિર્ધારિત વધારાનો આવકવેરો ચૂકવવો ફરજિયાત કરવામાં આવેલો છે.

Read Previous

ક્રેડિટ નોટ પર જીએસટી બાદ લેવાને માટે આગોતરા એગ્રીમેન્ટની નકલ આપવી પડશે નહિ

Read Next

આજે શેરબજારમાં શું કરશો?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular