• 12 September, 2026 - 4:22 PM

મહિના પહેલા બંધ કરી દેવાયેલી વઘઈની ટ્રેનની ટિકીટની બુકિંગ 11મી સપ્ટેમ્બરે કરવામાં આવ્યું

મહિના પહેલા બંધ કરી દેવાયેલી વઘઈની ટ્રેનની ટિકીટની બુકિંગ 11મી સપ્ટેમ્બરે કરવામાં આવ્યું

11મીસપ્ટેમ્બરે અમદાવાદથી વઘઈની ટિકીટ ઓનલાઈન બુક કરાવવામાં આવી તો બુકિંગ પણ લઈ લેવામાં આવ્યું, ટિકીટ પણ ઇશ્યૂ કરી દેવામાં આવી

અમદાવાદઃ અમદાવાદથી નવસારી પાસેના બિલીમોરાથી વઘઈ અને ડાંગના પ્રવાસે જવા 12મી સપ્ટેમ્બરે વહેલી પરોઢે ત્રણ વાગ્યે નીકળેલા અગિયાર પ્રવાસીઓ સવારના સાડા આઠ  વાગ્યે બિલીમોરા પહોંચ્યા ત્યારે તેમને રેલવે તંત્રએ જણાવ્યું કે બિલીમોરાથી વઘઈની નેરોગેજની લાઈન એક મહિના પહેલા જ બંધ  કરી દેવામાં આવી છે.

તેમાં સૌથી વધુ આઘાત પમાડનારી બાબત તો એ છે કે બિલીમોરા વઘઈ જવાની ટ્રેની બિકિંગ 11મી સપ્ટેમ્બરે ઓનલાઈન બુકિંગ કરવામાં આવી અને ટિકીટ પણ ઇશ્યૂ કરવામાં આવી હતી. ટ્રેન બંધ હોય તો તેનું બુકિંગ કેમ ચાલુ હોઈ શકે છે.  

બિલીમોરાથી શરૂ થતી વઘઈ અને ડાંગ જિલ્લાની સફર એ કુદરતના ખોળે રમવાનો અદ્ભુત અનુભવ છે. લીલાછમ જંગલો, ઊંચા પર્વતો અને ગિરિમાળાઓ વચ્ચેથી પસાર થતો આ રસ્તો જ પર્યટકોનું મન મોહી લે છે. ખાસ કરીને ચોમાસા અને શિયાળાની ઋતુમાં સમગ્ર ડાંગ જિલ્લો લીલીછમ ચાદર ઓઢી લે છે, ત્યારે અહીંનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠે છે. વાતાવરણમાં છવાયેલી ઠંડક અને ધુમ્મસભરી ટેકરીઓ પર્યટકો માટે સ્વર્ગસમાન આહલાદક અનુભવ પૂરો પાડે છે. આ સંદર્ભમાં રેલવેના અમદાવાદ સ્થિત પીઆરઓનો સતત સંપર્ક કરવાનો પ્રાયસ કરવામાં આવ્યો હતો. પરંતુ તેમણે ફોન પર જવાબ આપવાનું મુનાસિબ ગણ્યું નહોતું. 

વઘઈ પ્રવેશતા જ ‘વઘઈ બોટનિકલ ગાર્ડન’ આવે છે, જ્યાં દેશ-વિદેશની દુર્લભ વનસ્પતિઓ અને ઔષધીઓ જોવા મળે છે. વઘઈથી આગળ વધતાં સાપુતારા રોડ પર આવેલો વિખ્યાત ‘ગિરા ધોધ’ (Gira Waterfall) પર્યટકો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. અહીં કુદરતી ધોધનું મનોરમ્ય સ્વરૂપ અને આસપાસનો નયનરમ્ય વિસ્તાર પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે. આ ઉપરાંત, ડાંગના મુખ્ય મથક અહવા નજીક આવેલું ‘મહાલ બાર્ડીપાડા જંગલ’, ‘શબરી ધામ’ અને ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન ‘સાપુતારા’ પણ ખાસ જોવા જેવાં સ્થળો છે, જ્યાં સનરાઇઝ-સનસેટ પોઇન્ટ અને બોટિંગની મજા માણી શકાય છે.

આ વિસ્તારમાં ફરવાનો સાચો લહાવો એટલે શહેરી ભાગદોડથી દૂર શુદ્ધ ઓક્સિજન, શાંતિ અને આદિવાસી સંસ્કૃતિનો જીવંત અનુભવ. પ્રવાસીઓ અહીંના સ્થાનિક આદિવાસી ભોજન (જેમ કે નાગલીનો રોટલો અને વાંસનું શાક)નો સ્વાદ માણી શકે છે. બિલીમોરા-વઘઈ વચ્ચે દોડતી ઐતિહાસિક નેરોગેજ હેરિટેજ ટ્રેનની મુસાફરી કરવી એ પણ એક યાદગાર અનુભવ છે. કુદરતપ્રેમીઓ, ટ્રેકિંગના શોખીનો, પરિવાર સાથે વીકેન્ડ માણવા માગતા લોકો માટે આ વિસ્તાર ઉત્તમ છે.

Read Previous

સંપત્તિ સુરક્ષા: સમયસર પ્રોપર્ટીના દસ્તાવેજોની ચકાસણી નહિ કરો તો ભવિષ્યમાં ભારે પડી શકે છે

Most Popular