• 4 February, 2026 - 11:19 AM

બનાસકાંઠામાં બાયોગેસ પ્લાન્ટ નાખવા એનડીડીબી-સુઝુકી ને ડેરી વચ્ચે કરાર થયા

ખેડૂતોની આવક વધશે. કચરાનો નિકાલ થશે, કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરતો કુદરતી ગેસનું ઉત્પાદન પણ થશે

નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, બનાસ ડેરી અને સુઝુકીએ બનાસકાંઠામાં ગાયના ગોબર આધારિત બાયોગેસ પ્લાન્ટ નાખવા માટેના કરાર કર્યા છે. આ ત્રિપક્ષી કરાર હેઠળ રોજના ૭૫ મેટ્રિક ટન ગોબરમાંથી ગેસ બનાવવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાના બુખલા ગામ ેઆ બાયોગેસ પ્લાન્ટ નાખવામાં આવશે. ગુજરાતના ગવર્નર આચાર્ય દેવવ્રતે આ કરાર કર્યા છે. કુદરતી સ્રોતોમાંથી ઉર્જા મેળવવા માટેનો આ મોટો કરાર છે.

કરાર હેઠળના સૂચિત બાયોગેસ પ્લાન્ટમાં ગાયના ગોબરનો ઉપયોગ કરવામાં આવશે. સહકારી ડેરીઓના નેટવર્ક સાથે જોડાયેલા પશુપાલકો પાસેથી ગોબર એકત્રિત કરવામાં આવશે. આમ ડેરીના નકામા કચરાનો ઉપયોગ કરીને કોમ્પ્રેસ્ડ બાયોગેસનું ઉત્પાદન કરવામાં આવશે. તેમાં દૂધ સંઘોની સંપૂર્ણ ભાગીદારી રહેશે.

આ પ્રોજેક્ટને કારણે સ્વચ્છ ઉર્જાનું ઉત્પાદન થશે. તેમ જ કચરાના નિકાલની સમસ્યાનો પણ ઉકેલ આવશે. તેમ જ પશુપાલકોને તેનાથી વધાારની આવક પણ થશે. તેમની આવકમાં વધારો થશે. સહકારી સંસ્થાઓને અત્યાધુનિક ટેકનોલોજીનો લાભ અપાવીને તેમના વિકાસને વેગ આપવાની જવાબદારી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ નિભાવી રહ્યું છે. તેમ જ અર્થતંત્રના વિકાસને વેગ આપવાનું કામ પણ કરી રહ્યા છે. દૂધ સંઘો સાથેની ભાગીદારીમાં એનડીડીબી બાયોગેસનું ઉત્પાદન વધારવા માંગે છે.

એનડીડીબી દેશભરના સહકારી દૂધ સંઘના સહકારમાં કામ કરે છે. તેમને ટેકનિકલ એક્સપર્ટાઈઝનો લાભ અપાવવા ઉપરાંત ખેડૂતોની આવકમાં વધારો કરવામાં મદદ કરી રહ્યું છે.

બનાસ દૂધ સંઘના મેનેજિંગ ડિરેક્ટર સંગ્રામ ચૌધરી, સુઝુકી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર કેનિચિરો ટોયોફુકુ અને નેશનલ ડેરી ડેવલપમન્ટ બોર્ડના વડા શીશી કુમાર બી.એન.એ આ કરાર પર સહી સિક્કા કર્યા છે. ગુજરાત વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીની ઉપસ્થિતિમા આ કરાર થયા હતા. આ કરાર થયા ત્યારે ગુજરાતના કૃષિ મંત્રી જિતુ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.

Read Previous

અદાણી ગ્રુપના શેરોમાં તેજીનો તરવરાટ દેખાયોઃ 6 ટકાનો ઉછાળો

Read Next

પાંચ દિવસના સપ્તાહની માગણી સાથે બેન્ક કર્મચારીઓની હડતાલ સફળ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular