આજે શેરબજારમાં શું કરશો?

આજે ખરીદવા યોગ્ય શેરની વાત કરીએ તો તે લ્યુપિન લેબોરેટરીઝ–Lupin laboratoriesનો છે. લ્યુપિન લેબોરેટરીજનો શેર ગયા વર્ષના નવેમ્બર મહિનાથી સતત તેજીમાં રહ્યો છે. તે સમયે રૂ. 1,900 ના સપોર્ટ લેવલથી નવા ઉછાળાથી તેજીની શરૂઆત થઈ હતી. તાજેતરમાં ભાવમાં થોડી ઘટાડો આવ્યો હોવા છતાં આ તેજીનો ટ્રેન્ડ હજુ યથાવત ચાલુ જ છે. હાલના રૂ. 2,322 ના સ્તરથી ભાવમાં થોડો ઘટાડો થઈ શકે છે અને તે રૂ. 2,270 સુધી આવી શકે છે. પરંતુ ત્યારબાદ ફરી એક નવી તેજી શરૂ થવાની શક્યતા છે, જે શેરને રૂ. 2,500 સુધી લઈ જઈ શકે છે.
23મી માર્ચથી ચાલુ થતાં સપ્તાહના 5 મહત્વના ટેકનિકલ સંકેતોની વાત કરીએ તો મહત્વના સપોર્ટ લેવલ (મેક-ઓર-બ્રેક ઝોન) નીચે મુજબ છે.
- નિફ્ટી 50: 22,900 તૂટે તો 22,200 સુધી ઘટી શકે છે. સેન્સેક્સ 73,000થી પણ ઘટીને 72,800 સુધી આવી શકે છે. નિફ્ટી બેન્ક: 53,300 નીચે જાય તો 52,000 સુધી નબળો પડી શકે છે. આ લેવલ્સ તૂટે તો બજાર વધુ નબળું થઈ શકે છે.
મધ્યમ ગાળાના મજબૂત સપોર્ટ ઝોન એટલે કે બોટમ બનવાના લેવલ નીચે મુજબ છે.
- નિફ્ટી: 22,200 – 22,000
- નિફ્ટી બેન્ક: 52,200 – 52,000
- સેન્સેક્સ: 72,800 – 72,250
આ સપાટીએ ભાવની સ્થિરતા અથવા ટ્રેન્ડ રિવર્સલ જોવા મળી શકે છે. મહત્વના રેઝિસ્ટન્સ લેવલ એટલે કે ટ્રેન્ડ બદલવાના સંકેતો આપતા લેવલ્સ નીચે મુજબ છે.
- નિફ્ટી: 24,000
- સેન્સેક્સ: 77,000 – 77,500
- મિડકેપ 150: 21,000
આ લેવલ ઉપર બ્રેકઆઉટ થાય તો ફરી તેજી શરૂ થઈ શકે છે. રિવર્સલ ટ્રેન્ડ શરૂ ન થાય ત્યાં સુધી માર્કેટ રેન્જબાઉન્ડ અને સાઈડ વેમાં રમતું રહે તેવી સંભાવના છે. નિફ્ટી: 22,900થી 24,000ની રેન્જમાં અને સેન્સેક્સ સેન્સેક્સ: 73,000થી 77,000 રેન્જમાં અથડાતો રહેવાની સંભાવના છે. હાલ બજાર સ્થિર રેન્જમાં છે. બજારમાં જ્યાં સુધી મોટો બ્રેકઆઉટ કે બ્રેકડાઉન ન થાય ત્યાં સુધી રેન્જબાઉન્ડ જ રહેવાની સંભાવના છે.
શેરબજારના પરફોર્મન્સની બાબતમાં નીચેના સેક્ટર અને સેન્ટિમેન્ટમાં ફેરફાર જોવા મળી શકે છે. ઓઈલ અને ગેસ સેક્ટર્સના શેર્સના પરફોર્મન્સમાં નબળાઈ જોવા મળી શકે છે. બીજી તરફ ટેલિકોમ સેક્ટરનું પરફોર્મન્સ મજબૂત રહેવાની સંભાવના છે. એચડીએફસી શેર્સનું ઇન્ડેક્સમાં ખાસ્સું વજન હોવાથી તેના શેરના ભાવમાં થઈ રહેલા ઘટાડાનો મોટો પ્રભાવ ઇન્ડેક્સ પર પડી રહ્યો છે. આમેય બેન્કિંગ સેક્ટરનો દબાવ બજારમાં વોલેટિલિટી વધારી રહ્યો છે.
બ્રોકરેજ હાઉસની ભલામણો
બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલે એચડીએફસી બેન્કના શેર્સમાં વર્તમાન બજાર સ્થિતિમાં લેણ કરવાની ભલામણ કરી છે. એચડીએફસી બેન્કના શેર્સનો ભાવ સુધરીને રૂ. 1100ના મથાળે પહોંચે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે. બ્રોકરેજ હાઉસ એમ.કે. ગ્લોબલે પણ એચડીએફડીસી બેન્કના શેર્સમાં લેણ કરવાની ભલામણ કરી છે. તેના મતાનુસાર એચડીએફસી બેન્કનો શેર્સ રૂ. 1225ના મથાળાને આંબી શકે છે.
એમકે ગ્લોબલે ઉજ્જીવન સ્મૉલના શેર્સની વર્તમાન બજાર ભાવે ખરીદી કરવાની ભલામણ કરી છે. ટાર્ગેટ ભાવ રૂ. 72નો આપવામાં આવ્યો છે.
મોતીલાલ ઓસવાલે એલ.જી. ઇલેક્ટ્રોનિક્સના શેર્સમાં લેવાલી કરવાની ભલામણ કરી છે. ટાર્ગેટ ભાવ રૂ. 1860નો દર્શાવવામાં આ્યો છે.
બ્રોકરેજ હાઉસ જે.એમ. ફાઈનાન્શિયલે એક્વસના શેર્સમાં કવરિંગ કરવાનું ચાલુ કરી દેવાની ભલામણ કરીછે. તેની સાથે ટાર્ગેટ ભાવ રૂ. 145નો આપવામાં આવ્યો છે.
બ્રોકરેજ હાઉસ જે.એમ. ફાઈનાન્શિયલે બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝના શેર્સમાં વર્તમાન ભાવ સપાટીએ લેણ કરવાની ભલામણ કરી છે. તેના શેરનો ભાવ સુધરીને રૂ. 2540ના મથાળાને સ્પર્શી શકે તેવી શક્યતા દર્શાવી છે.



