• 28 April, 2026 - 10:16 AM

ગુજરાત-ભારતનો દરેક ખેડૂત પ્રાકૃતિક ખેતી તરફ જ વળે તેવી અમારી મહેચ્છા છેઃ વિક્ટર ઝુકોવ

રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીને ખેતી માટે લાભકારક સાબિત થતાં બેક્ટેરિયાને ખતમ કરશો નહિ. તેને તમે મારશો નહિ

આણંદ કૃષિ યુનિવર્સિટીમાં કરેલા અખતરાઓને સફળતા મળ્યા પછી જ અમે આજે આ પ્રોડક્ટ્સ લોન્ચ કરી રહ્યા છીએ.

રાસાયણિક ખાતરથી પકવેલા અનાજ શાકભાજી જાહેર જનતાના આરોગ્યને બગાડી રહ્યા છે. પરિણામે કેન્સર અને ડાયાબિટીસ સહિતની અસંખ્ય બીમારીઓ વધારી રહી છે. ગાયના ગોબરમાંથી બનેલું ઓર્ગેનિક કે પ્રાકૃતિક ખાતર જ શ્રેષ્ઠ હોવાનું હવે વધુને વધુ લોકો માનતા થયા છે. તદુપરાંત રાસાયણિક ખાતરને કારણે જમીનના પાકને ઉપયોગી બેક્ટેરિયા અને ખેડૂત મિત્ર અળસિયાને ગાયબ કરી દીધા છે. તેથી જમીનમાં પાણી ઝમવાની-અંદર ઉતરવાની પ્રક્રિયા મંદ પડીને લગભગ બંધ જેવી થવા આવી છે. જમીન બઠ્ઠડ થઈ ગઈ છે. નવો પાક લેવા માટે વધુને વધુ યુરિયા નાખવામાં આવી રહ્યું છે. તેનાથી કેન્સર અને ડાયાબિટીસ જેવી બીમારીઓ વધી રહી છે. ખેતી અને ખેડૂતના કલ્યાણ અને જનતાના આરોગ્યને સુધારવાનો આ પ્રયાસ છે.

આ સ્થિતિને પલટી નાખવાના ઇરાદાથી અને લોકોને ઓર્ગેનિક કે પ્રાકૃતિક ખેતી ભણી વાળવાના ઇરાદા સાથે ગુજરાત સ્ટેટ કોઓપરેટીવ માર્કેટિંગ ફેડરેશન-ગુજકોમાસોલે જોર્ડનની કૃષિ ક્ષેત્રમાં નવસંસ્કરણ-ઇન્નોવેશન કરવામાં અવલ ગણાતી કંપની એમએનજી સાથે કરાર કરીને ખેતીની જમીનને તેની અસલ-કુદરતી ફળદ્રુપતા અપાવવાના આયોજનને સાકાર કરવા જોર્ડનની કંપની માનાશીર નેચરલ ગ્રીન-એમએનજી સાથેના સમજૂતી કરાર કરીને સમગ્ર ગુજરાત અને ત્યારબાદ સમગ્ર ભારતમાં જોર્ડનનું કુદરતી ખાતર ખેડૂતો સુધી પહોંચાડવાનું આયોજન કરીને દેશને કુદરતી ખેતી તરફ વાળવાની હામ ભીડી છે. રાસાયણિક ખાતરની તુલનાએ માત્ર 30 ટકા કે તેનાથીય ઓછું વાપરવું પડે તેવું આ ખાતર છે.

જોર્ડનની ઓર્ગેનિક ખાતર બનાવતી અને સતત નવા ઇન્નોવેશન લઈને આવતી અગ્રણી કંપની એમએનજીનું પ્રતિનિધિ કરતાં વિક્ટર ઝુકોવે ગાંધીનગરમાં ટાઉન હોલમાં યોજાયેલા પરિસંવાદમાં બોલતા જણાવ્યું હતું કે, ગયા વરસે પણ લગભગ આ જ અરસામાં હું અહી હાજર હતો. આ સમારોહમાં હાજર રહેલા ખેડૂતોનો હું સૌ પ્રથમ આભાર માની રહ્યો છું. ગયા વરસે પણ મેં અમારા પ્રોડક્ટ્સની ગુણવત્તાનો તે પાણીમાં નાખીને પી જઈને બતાવ્યું હતું. ખેડૂતો રાસાયણિક ખાતર છોડીને પ્રાકૃતિક ખાતર તરફ વળે તે જ અમારી મહેચ્છા છે. તમારા ખેતરની જમીન કુદરતી બેક્ટેરિયા ફરી સક્રિય કરીને તમારી ખેતીને સજીવ ખેતી બનાવો તેવી અમારી ઇચ્છા

Read Previous

આજે બજારમાં શું કરશો?

Most Popular