OTC ડેરિવેટિવ ટ્રાન્ઝેક્શન માટે 2027થી RBIએ દ્વારા યુનિક ટ્રાન્ઝેક્શન આઈડેન્ટિફાયર (UTI) ફરજિયાત કર્યા

સ્ટોકમાર્કેટમાં ભાગ લેનાર તમામ સંસ્થાઓને OTC ડેરિવેટિવ સોદા માટે UTI જનરેટ કરવા પડશે અને રિપોર્ટ આપવો પડશે.
Reserve Bank of India (RBI) એ 1 જાન્યુઆરી, 2027થી તમામ ઓવર-ધ-કાઉન્ટર (OTC) ડેરિવેટિવ ટ્રાન્ઝેક્શન્સ માટે યુનિક ટ્રાન્ઝેક્શન આઈડેન્ટિફાયર (UTI નો ઉપયોગ કરવાનું ફરજિયાત બનાવી દીધું છે. RBI દ્વારા જાહેર કરાયેલા અંતિમ માર્ગદર્શિકા મુજબ સ્ટોકમાર્કેટમાં ભાગ લેનાર તમામ સંસ્થાઓને OTC ડેરિવેટિવ સોદા માટે UTI જનરેટ કરવા પડશે અને રિપોર્ટ આપવો પડશે.
અગાઉના ડ્રાફ્ટ સર્ક્યુલરમાં આ નિયમ 1 એપ્રિલ, 2026થી અમલમાં મૂકવાનો પ્રસ્તાવ હતો, પરંતુ અંતિમ પરિપત્રમાં સમયમર્યાદા વધારીને 1 જાન્યુઆરી, 2027 નક્કી કરવામાં આવી છે. આ વધારેલી સમયમર્યાદાનો હેતુ માર્કેટ પાર્ટિસિપન્ટ્સને જરૂરી ટેકનિકલ સુવિધાઓ અને સિસ્ટમ તૈયાર કરવા પૂરતો સમય આપવાનો છે.
વૈશ્વિક સ્તરે UTI ને OTC ડેરિવેટિવ ટ્રાન્ઝેક્શન રિપોર્ટિંગ માટે મહત્વપૂર્ણ ડેટા એલિમેન્ટ તરીકે માન્યતા આપવામાં આવી છે. તેના દ્વારા નીતિ નિર્માતાઓને OTC ડેરિવેટિવ માર્કેટ અંગે સંપૂર્ણ અને પારદર્શક માહિતી મળે છે.
હાલમાં રૂપિયા ઇન્ટરેસ્ટ રેટ ડેરિવેટિવ્સ, ગવર્નમેન્ટ સિક્યોરિટીઝના ફોરવર્ડ કોન્ટ્રાક્ટ્સ, ફોરેન કરન્સી ડેરિવેટિવ્સ, ફોરેન કરન્સી ઇન્ટરેસ્ટ રેટ ડેરિવેટિવ્સ અને ક્રેડિટ ડેરિવેટિવ્સ જેવા OTC સોદાઓની માહિતી Clearing Corporation of India Limited દ્વારા સંચાલિત ટ્રેડ રિપોઝિટરી (CCIL-TR) ને રિપોર્ટ કરવામાં આવે છે.
હવે RBIએ આ તમામ ટ્રાન્ઝેક્શન્સ માટે UTI ફરજિયાત બનાવવાનો નિર્ણય લીધો છે અને તેની અમલવારી માટે એક વિગતવાર ફ્રેમવર્ક પણ જાહેર કરી દીધું છે. આ પગલું બજારમાં પારદર્શિતા વધારવા, જોખમનું યોગ્ય મૂલ્યાંકન કરવા અને નાણાકીય સ્થિરતા મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.




