શહેરી વિસ્તારોના વિકાસ માટે રૃપિયા ૧૬,૧૧૬ કરોડની બજેટમાં ફાળવણી

અમદાવાદ અને સુરતના મેટ્રોરેલ પ્રોજેક્ટના વિસ્તરણ માટે રૃા. ૨૨૧૭ કરોડની બજેટમાં ફાળવણી કરવામાં આવી
અમદાવાદઃ કોમનવેલ્થ ગેમ્સ માટે શહેરોને તૈયાર કરવાના ઇરાદા સાથે જ ગુજરાતમાં આજે રજૂ કરવામાં આવેલા ૨૦૨૬-૨૭ના વર્ષના બજેટમાં શહેરી વિસ્તારની માળખાકીય સુવિધાઓમાં વધારો કરવા માટે રૃા. ૧૬,૧૧૬ કરોડની ફાળવણી કરવામા આવી છે. તેમ જ શહેરી વિસ્તારની સ્થાનિક સ્વરાજ સંસ્તાઓને નાણાંકીય સહાય પૂરી પાડવા રૃા. ૩૩૫૪ કરોડની ફાળવણી કરવામાં આવી છે. અમદાવાદ અને સુરત મેટ્રોા વિસ્તરણ સહિતના મેટ્રોરેલ પ્રોજેક્ટ માટે રૃા. ૨૨૧૭ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
અમૃત મિશન ૨.૦ હેઠળ પાણી પુરવઠા, ડ્રેનેજ, તળાવ વિકાસ અને પરિવહન માળખાને સુધારવા માટે રૃા. ૧૯૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેરી વિસ્તારના ગરીબોને આવાસની સુવિધા પૂરી પાડવા માટે રૃ ૧૪૨૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
અમ્યુકો માટે રેઝિલિયન્ટ સિટીઝ પાર્ટનરશીપ પ્રોગ્રામ તથા ઔડા વિસ્તાર માટે પેરી અર્બન લિવેબિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ હેઠળ રૃા. ૮૦૦ કરોડની ફાળવણી કરવામં આવી છે. સ્વચ્છ ભારત મિશનને સાકાર કરવા માટે રૃા. ૫૭૭ કરોડની ફાળવણી કરવામાં આવી છે. શહેરોમાં ઝીરો વેસ્ટના આયોજનને અમલમાં મૂકવા માટે રૃા. ૩૫૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. શહેરી વિસ્તારોને રેલવે ક્રોસિંગ મુક્ત બનાવવા રૃા. ૩૫૦કરોડની ફાળવણી કરવામાં આવી છે. શહેરી વિસ્તારમાં સ્માર્ટ પાર્કિંગ તથા ઇન્ટીગ્રેટેડ ટ્રાફિસ મેનેજમેન્ટ માટે રૃા. ૨૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
દરેક મહાનગર પાલિકામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા અને ફ્લાયઓવર નીચે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે રૃા.૧૫૦કરોડની ફાળવણી કરવામાં આવી છે. લોથલ અને અંબાજીને આંતરરાષ્ટ્ર્ય સ્તરે સ્તાન અપાવવા માટે માળખાકીય સુવિદા વિકસાવવા રૃા. ૧૪૭ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
મુખ્યમંત્રી નગર નવજીવન યોજના માટે રૃા. ૧૦૦ કરોડ, એસજી હાઈવેને ગ્રીન હાઈવે બનાવવા માટે રૃા. ૧૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. ઉદ્યાન યોજનાઓ હેઠળ નમો ગૌરવ પાર્ક અને લીનિયર પાર્ક વિકસાવવા માટે તથા લેક વૉચ અને એરવૉચ માટે રૃા. ૯૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કેચ ધ રેઈન યોજના માટે રૃા. ૮૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. અગ્નિનિવારણ સેવા માટે રૃા. ૭૫ કરોડ, ગુજરાત સ્ટેટ ફાયર એકેડમી તૈયારકરવા રૃા. ૫૦ કરોડ, મિલકતો અને તેની ઉપયોગિતાના જીઆઈએસ મેપિંગ માટે રૃા. ૫૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
નમો સ્વદેશી અર્બન મોલઅને સ્દેશી મેળાઓ યોજવા રૃા. ૪૫ કરોડ,ગિફ્ટ સિટીમાં માળખાકીય સુવિધાઓ વિકસાવવા રૃા. ૪૫ કરોડ અને પ્રધાન મંત્રી ઈ-બસ યોજના માટે રૃા. ૪૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.




