ડેરિવેટિવ્સમાં કુશળતા કેળવી શોર્ટ ફ્યુચર્સ સામે સિન્થેટિક શોર્ટના ટ્રેડિગથી કમાણી કરી શકાય

આગામી સોમવારથી શરૂ થતાં શેરબજારના નવા અઠવાડિયામાં શા માટે ઘણી વખત શોર્ટ ફ્યુચર્સ વધુ યોગ્ય વિકલ્પ સાબિત થતાં હવાની તે સમજી લેવું જરૂરી છે.
અમદાવાદઃ તમને કોઈ અન્ડરલાઇંગ એસેટ વિશે નકારાત્મક દૃષ્ટિકોણ હોય એટલે કે તેના ભાવ ઘટવાની જ વધુ શક્યતા જણાતી હોય અને તમારે ફ્યુચર્સને શોર્ટ કરવું કે ઓપ્શન્સનો ઉપયોગ કરીને સિન્થેટિક શોર્ટ પોઝિશન બનાવવાના બેમાંથી એક વિકલ્પની પસંદગી કરવી હોય તો કઈ વ્યૂહરચના વધુ યોગ્ય છે? આગામી સોમવારથી શરૂ થતાં શેરબજારના નવા અઠવાડિયામાં શા માટે ઘણી વખત શોર્ટ ફ્યુચર્સ વધુ યોગ્ય વિકલ્પ સાબિત થતાં હવાની તે સમજી લેવું જરૂરી છે.
શોર્ટ સામે સિન્થેટિક શોર્ટ
ટેકનિકલ રીતે જોવામાં આવે તો ફ્યુચર્સ અને ઓપ્શન્સ વચ્ચેની પસંદગી રિવોર્ડ-રિસ્ક ટ્રેડ ઓફ-reward-risk trade-off પર આધારિત હોવો જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો જોખમ લેવા સામે કેટલું વળતર છૂટવાની સંભાવના છે તે પણ આ નિર્ણય લેવાતા પહેલા જોવાવું જરૂરી છે. ટ્રેડર તરીકે તમને વિશ્વાસ હોય કે અન્ડરલાઇંગ એસેટની કિંમત ઘટવાની શક્યતા જ વધારે છે, તો તમે ફ્યુચર્સને શોર્ટ કરવાનું પસંદ કરી શકો છો. કારણ કે ફ્યુચર્સની કિંમત સામાન્ય રીતે કે બહુધા અન્ડરલાઇંગની કિંમત સાથે લગભગ એક જેમ એકના પ્રમાણમાં જ બદલાય છે.
આ વ્યૂહને જરા વ્યવસ્થિત રીતે સમજીએ. શેરબજારમાં ફ્યુચર્સમાં ટ્રેડિંગ કરનારાઓ કેટલીકવાર બજારમાં મંદી આવવાના વ્યૂહને આધારે પહેલા કોન્ટ્રાક્ટનું વેચાણ કરી દે છે. આ વેચાણ કરવા પાછળનો તેમનો મૂળ ઉદ્દેશ એ જ કોન્ટ્રાક્ટ બજારમાં મંદી આવે ત્યારે ઓછા ભાવે ખરીદી લેવાનો હોય છે. આ વ્યૂહ સામાન્ય રીતે બજારમાં ભાવ ઘટી જવાની સંભાવનાને આધારે તૈયાર કરવામાં આવે છે. તેની મદદથી ટ્રેડર્સ કે સ્ટોક હોલ્ડર્સ તેના વર્તમાન હોલ્ડિંગનું મૂલ્યને તૂટી જતું અટકાવવા માટે હેજિંગ તરીકે શોર્ટ સેલિંગ કરે છે. આમ મંદીના બજારમાંથી પણ કમાણી કરવાનો રસ્તો શોધી લે છે. તેમ જ પોતાના હોલ્ડિંગનું મૂલ્ય ન તૂટે તેવી વ્યવસ્થા કરી દે છે.
તમે કરેલા ડીલની કિંમતમાં આવનારા ફેરફાર એટલે કે વધઘટ અંગેનો વિશ્વાસ સામાન્ય રીતે ચાર્ટનું વિશ્લેષણ કરવાથી મળી શકે છે. જો ચાર્ટમાં દેખાતો પેટર્ન મજબૂત હોય તો તમારી વિશ્વસનીયતા વધુ હોય છે. પરંતુ જો તમને કિંમતની દિશા વિશે પૂરતો વિશ્વાસ ન હોય તો તમે ઓપ્શન્સનો ઉપયોગ કરી શકો છો. ઓપ્શન્સના સમર્થનમાં દલીલ એ છે કે કોઈ ઓપ્શન ખરીદવાથી તમારું મહત્તમ નુકસાન માત્ર ચૂકવેલા પ્રીમિયમ સુધી મર્યાદિત રહે છે. છતાં, અનુભવી ટ્રેડર્સ ઘણીવાર કડક stop-loss સાથે ફ્યુચર્સને શોર્ટ કરવાનું પસંદ કરે છે.
સિન્થેટિક શોર્ટ શું છે?
સિન્થેટિક શોર્ટ પોઝિશન બનાવવામાં અન્ડરલાઇંગ પર એટ-ધ-મની (ATM) પુટ ખરીદવું અને તે જ expiry સાથે ATM કોલ વેચવાના વ્યૂહનો ઉપયોગ કરવામાં આવે છે. આ પોઝિશનને સિન્થેટિક શોર્ટ કહેવાય છે કારણ કે તે અન્ડરલાઇંગને શોર્ટ કરવાના સમાન વર્તન કરે છે. વધુ સરળ શબ્દોમાં સિન્થેટિક શોર્ટની સમજણ આપીએ. તેવી જ રીતે શોર્ટ સિન્થેટિક ફ્યુચર એ પણ ઓપ્શન ટ્રેડિંગનો એક વ્યહૂ છે. આ વ્યૂહમાં ટ્રેડર એક જ સમયે એક જ સાથે કૉલ અને પુટ ઓપ્શનના લેણ અને વેચાણ કરે છે. તેમાં કૉલ અને પુટ ઓપ્શનનો સ્ટ્રાઈક પ્રાઈસ પણ એક સરખો રાખવામાં આવે છે. તેમ જ તેની એક્સપાયરી ડેટ પણ એક સરખી જ રાખવામાં આવે છે. ગુજરાતમાં તેને જોટા તરીકે ઓળખાવવામાં આવે છે. બજારના નિષ્ણાતો તેનો કમાણી કરવા માટે ઉપયોગ કરે છે. જો અન્ડરલાઇંગની કિંમત ઘટે, તો પુટ in-the-money (ITM) બનતાં નફો આપે છે. જો કિંમત વધે, તો વેચાયેલ કોલ ITM બનતાં નુકસાન આપે છે. સિન્થેટિક શોર્ટ પોઝિશનનું payoff શોર્ટ અન્ડરલાઇંગ જેટલું જ થઈ શકે છે, પરંતુ તે માટે બે શરતો પૂર્ણ થવી જોઈએ:
- લૉંગ પુટ માટે ચૂકવાયેલ પ્રીમિયમ શોર્ટ કોલમાંથી મળેલા પ્રીમિયમથી સંપૂર્ણપણે સમાન થવું જોઈએ.
- સ્ટ્રાઈક પ્રાઇસ અન્ડરલાઇંગની કિંમત જેટલી જ હોવી જોઈએ.
પરંતુ મોટાભાગના સમયે આ બંને શરતો પૂરી થતી નથી. ઘણી વખત પુટનો ખર્ચ કોલમાંથી મળતા પ્રીમિયમ કરતાં વધારે હોય છે કારણ કે પસંદ કરાયેલ સ્ટ્રાઈક અન્ડરલાઇંગની કિંમત કરતાં થોડું વધુ હોઈ શકે છે. તેથી સિન્થેટિક શોર્ટ પોઝિશનમાંથી મળતા નફા ઓછા થઈ શકે છે. ઉપરાંત time decay નો અસર પણ નફાને ઘટાડે છે.
તો સિન્થેટિક શોર્ટ પોઝિશન શા માટે બનાવવી?
ટ્રેડર્સ સામાન્ય રીતે ત્યારે સિન્થેટિક શોર્ટ બનાવે છે જ્યારે અન્ડરલાઇંગમાં લાંબા તેજીભર્યા ટ્રેન્ડ પછી થોડો વિરામ આવે છે. તે સમયે પુટની સરખામણીએ કોલ ઓપ્શન્સની માંગ વધુ હોય છે. આથી કોલની implied volatility પુટ કરતાં વધારે હોય છે. સિન્થેટિક શોર્ટ બનાવતા ટ્રેડર્સ આ ધારણા રાખે છે કે અન્ડરલાઇંગની કિંમત ઘટવાથી પુટમાંથી intrinsic value દ્વારા નફો થશે. તેમ જ implied volatility ઘટે તો કોલ પર time decay વધુ ઝડપથી થશે
ઝડપી સૂચન
સિન્થેટિક શોર્ટ પોઝિશન બનાવતા ટ્રેડર્સ આ ધારણા રાખે છે કે અન્ડરલાઇંગની કિંમત ઘટવાથી પુટમાંથી intrinsic value નો નફો મળશે. સિન્થેટિક શોર્ટ પોઝિશનમાં પણ લગભગ શોર્ટ ફ્યુચર્સ જેટલું જ જોખમ હોય છે. ઉપરાંત તેમાં રોકડનો બહાર જતો પ્રવાહ વધારે હોય છે કારણ કે તેમાં શોર્ટ કોલ માટેનો માર્જિન અને લૉંગ પુટ માટે ચૂકવેલ પ્રીમિયમ બંને સામેલ હોય છે. પરિણામે જો અન્ડરલાઇંગ અંગે નકારાત્મક દૃષ્ટિકોણ હોય તો ઘણી વખત સિન્થેટિક શોર્ટ કરતાં શોર્ટ ફ્યુચર્સ શરૂ કરવું વધુ યોગ્ય માનવામાં આવે છે.



