ભારતના રૂ.1.4 લાખ કરોડના ઇથેનોલ મિશ્રણનો ત્રણ કંપનીઓને ફાયદો
ભારત પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ (Ethanol Blending) વધારવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. આ કાર્યક્રમ શરૂઆતમાં આયાતી ક્રૂડ તેલ પર નિર્ભરતા ઘટાડવા માટે શરૂ થયો હતો, પરંતુ હવે તે દેશની ઊર્જા સુરક્ષા અને ઊર્જા પરિવર્તન (Energy Transition) માટે મહત્વપૂર્ણ નીતિ બની ગયો છે.
આ પરિવર્તનને ધ્યાનમાં રાખીને Ministry of Petroleum and Natural Gas એ 17 ફેબ્રુઆરી 2026ના રોજ નવી સૂચના બહાર પાડી છે. આ વ્યૂહ હેઠળ તેલ કંપનીઓને 20 ટકા ઇથેનોલ મિશ્રણવાળું પેટ્રોલ (E20) વેચવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિયમ 1 એપ્રિલ 2026થી અમલમાં આવશે, જે અગાઉના 2021ના 10 ટકા ઇથેનોલ મિશ્રણ નિયમને બદલી દેશે.
સરકારી તેલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા FY15 થી FY25 દરમિયાન થયેલા ઇથેનોલ મિશ્રણથી ભારતે ₹1.4 લાખ કરોડથી વધુ વિદેશી ચલણ બચાવ્યું છે. લગભગ 245 લાખ મેટ્રિક ટન ક્રૂડ ઓઇલ આયાત ઘટાડવામાં આવી છે. 736 લાખ મેટ્રિક ટન કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં સફળતા મળી છે. આ કાર્બન ઘટાડો લગભગ 30 કરોડ વૃક્ષો વાવવાના સમાન માનવામાં આવે છે.
ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 80 ટકા ક્રૂડ ઓઇલ આયાત કરે છે, તેથી ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમ આગામી વર્ષોમાં પણ સરકારની પ્રાથમિકતા રહેવાની સંભાવના છે.
ઇથેનોલ ક્રાંતિથી ફાયદો મેળવનારી કંપનીઓ
સરકારના પ્રસ્તુત નિર્ણયનો Praj Industriesને મોટો ફાયદો મળશે. raj Industries એક અદ્યતન બાયોટેકનોલોજી અને એન્જિનિયરિંગ કંપની છે, જે પર્યાવરણ અને ઊર્જા માટે ટકાઉ ઉકેલ આપે છે. તેના મુખ્ય ગ્રાહકોમાં ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમનો સમાવેશ થાય છે. કંપની વૈશ્વિક ઇથેનોલ ઉત્પાદન બજારમાં લગભગ 10 ટકા હિસ્સો ધરાવે છે.
આ કંપનીના મુખ્ય બિઝનેસ સેગમેન્ટમાં Bio Energyનો સમાવેશ થાય છે. તેના થકી 71 ટકા આવક થાય છે. એન્જિનિયરિંગ-Engineeringના કામકાજથી 18 ટકા અને High Purity Solutionsથી 11 ટકા આવક થાય છે. Praj 1G અને 2G ઇથેનોલ પ્લાન્ટ ટેક્નોલોજી તેમજ કમ્પ્રેસ્ડ બાયોગેસના ક્ષેત્રમાં કામ કરે છે. Sustainable Aviation Fuel, marine biofuels અને bio-hydrogen જેવા ભવિષ્યના ઇંધણ વિકસાવી રહી છે.
2G ઇથેનોલ ટેક્નોલોજી
2G ઇથેનોલ કૃષિ અવશેષમાંથી બને છે. ઘઉંનો ભૂસો, ચોખાનો ભૂસો, બગાસ, મકાઈના અવશેષમાંથી બનાવવામાં આવે છે. ટેક્નોલોજીથી પર્યાવરણ પ્રદૂષણ અને સ્ટબલ બર્નિંગ ઘટાડવામાં મદદ મળે છે.
Balrampur Chini Mills
Balrampur Chini Mills ભારતની બીજી સૌથી મોટી ખાનગી સુગર કંપની છે. કંપની પાસે 10 ઉત્પાદન પ્લાન્ટ છે. 80,000 ટન પ્રતિદિન શેરડી ક્રશિંગ ક્ષમતા ધરાવે છે. નાણાંકીય વર્ષ 25માં કંપનીની કુલ આવકમાં 77 ટકા આવક ખાંડમાંથી આવી હતી. પરંતુ હવે કંપની ધીમે ધીમે ઇથેનોલ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
ઇથેનોલ ઉત્પાદન ક્ષમતાની વાત કરીએ તો કંપની પેસ 5 ડિસ્ટિલરી છે. તેની કુલ ક્ષમતા 1,050 KLPDની છે. 2018થી 2023 દરમિયાન કંપનીએ રૂ. 700 કરોડનું રોકાણ કરીને ડિસ્ટિલરી ક્ષમતા ત્રણ ગણી કરી દીધી છે. FY26માં કંપની 26-27 કરોડ લિટર ઇથેનોલ વેચાણનો અંદાજ લગાવી રહી છે.
કંપની સામે પડકાર પણ ઘણાં છે. શેરડીના ભાવમાં વધારો થયો છે પરંતુ ઇથેનોલ ખરીદીના ભાવમાં વધારો થયો નથી. તેના કારણે નફાકારકતા પર દબાણ છે.
Triveni Engineering & Industries
Triveni Engineering ભારતની સૌથી મોટી સુગર-ઇથેનોલ ઇન્ટેગ્રેટેડ કંપનીઓમાંથી એક છે. કંપની પાસે 8 સુગર મિલ્સ, 70,500 ટન પ્રતિદિન ક્રશિંગ ક્ષમતા છે. ઇથેનોલ ઉત્પાદન માટે કંપની પાસે 5 ડિસ્ટિલરી છે. તેની કુલ ક્ષમતા 860 KLPD છે. કંપનીનો મોટો ફાયદો એ છે કે તે multi-feedstock technology વાપરે છે. કંપની નીચેના કાચા માલમાંથી ઇથેનોલ બનાવી શકે છે. તેમાં શેરડી, મકાઈ, વધારાના ચોખા, નુકસાન પામેલા અનાજનો સમાવેશ થાય છે.
ભવિષ્ય: E20 પછી પણ માંગ વધવાની સંભાવના
સરકાર અને NITI Aayog હવે E20 પછીના મિશ્રણ લક્ષ્યો માટે પણ રોડમૅપ તૈયાર કરી રહ્યું છે. તેના કારણે ઇથેનોલ ઉદ્યોગમાં લાંબા ગાળે માંગ વધવાની શક્યતા છે. પરંતુ આ ઉદ્યોગમાં નફાકારકતા નીચેની બાબતો પર આધારિત રહેશે. સરકારની નીતિઓની વાત કરીએ તો કાચા માલના ભાવ, ઇથેનોલના સરકારી ખરીદીના ભાવ વાજબી છે. પરિણામે કંપનીઓની નફાકારકતા વધે છે. આ ત્રણેય કંપનીઓના શેર્સમાં રોકાણ કરવાનો વિચાર કરી શકાય છે.




