આજે શેરબજારમાં શું કરશો?

ભારતી એરટેલના શેર્સમાં લેણ કરી શકાય
શેરબજારના નિષ્ણાતો જણાવે છે કે આજે ભારતી એરટેલના શેર્સમાં લેણ કરી શકાય છે. આ સ્ટોકમાં ટ્રેન્ડ હવે પોઝિટિવ બનતો દેખાઈ રહ્યો છે. આ વર્ષના ફેબ્રુઆરી સુધી ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ માર્ચ મહિનામાં સ્ટોકે મજબૂત આધાર બનાવ્યો છે. તેના આધારે હવે સ્ટોક બાઉન્સ બેક થઈ રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. શેરનો ભાવ કેટલાક મહત્વપૂર્ણ લેવલ્સને પાર કરી ચૂક્યો છે, જે આગળ વધારાની શક્યતા દર્શાવે છે.
નેશનલ સ્ટોક એક્સચેન્જ ઈન્ટરનેશનલ એક્સચેન્જ પર ગિફ્ટ નિફ્ટી સોમવાર, 4 મે માટે પોઝિટિવ ઓપનિંગનો સંકેત આપે છે. ગત ગુરૂવારે ગિફ્ટ નિફ્ટી ફ્યુચર્સ 82.5 પોઈન્ટ 0.34 ટકા વધીને 24,229.5 પર ટ્રેડ થયો હતો. વૈશ્વિક સ્તરે, હોર્મુઝ જળમાર્ગ આસપાસ જ ચાલી રહેલી લાંબી અવરોધોની પરિસ્થિતિ બજારમાં અસ્થિરતા વધારી રહી છે. બ્રેન્ટ ક્રૂડના ભાવ સતત વધી રહ્યા છે. બીજીતરફ યુનાઈટેડ આરબ અમિરાત ઓઈલ પ્રોડ્યુસિંગ કંપનીઓ-ઓપેકના જૂથમાંથી બહાર નીકળી રહ્યું હોવાના નિર્ણયે પણ બજાર પર મોટી અસર ઊભી કરી છે.
સેન્સેક્સ, નિફ્ટી: સ્થાનિક શેરબજારે ટૂંકા સપ્તાહને સકારાત્મક નોંધ પર પૂર્ણ કર્યો હતો. બીએસઈ સેન્સેક્સ વીતેલા સપ્તાહમાં 0.32 ટકા અને એનએસઈ નિફ્ટી 0.41 ટકા વધ્યા હતા. ગુરુવારે 30 શેરવાળો સેન્સેક્સ 76,913.50 પર બંધ આવ્યો હતો. જ્યારે નિફ્ટી 23,997.55 પર સેટલ થયો હતો. છેલ્લા સેશનમાં બંને સૂચકાંકો લગભગ 0.7 ટકા ઘટ્યા હતા. ગિફ્ટ નિફ્ટીના સંકેતો મુજબ સોમવારે બજાર પોઝિટિવ રીતે ખુલવાની શક્યતા છે.
દેશમાં જ મહત્વપૂર્ણ રાજ્ય ચૂંટણીના પરિણામો બજાર માટે તાત્કાલિક ટ્રિગર બની શકે છે. રોકાણકારો ધ્યાન રાખી રહ્યા છે કે શું ભાજપ અને તેના સાથી પક્ષો પશ્ચિમ બંગાળ જીતે છે અને કેરળ તથા તમિલનાડુમાં પ્રવેશ કરે છે કે નહીં. વિદેશી સંસ્થાગત રોકાણકારોની સતત વેચવાલી, મિશ્ર કમાણી અને રૂપિયાની નબળાઈ બજારના સેન્ટિમેન્ટ પર દબાણ વધારી રહ્યા છે.
નાણાંકીય વર્ષ 2026-27માં ભારતની ટ્રેડ ડેફિસિટ વર્ષદર વર્ષ વધી ગઈ છે. પરંતુ માર્ચ મહિનામાં તે ઘટીને $20.67 અબજ જ રહી હતી. આ બાબત બજારને થોડી રાહત આપે છે. 2025-26ના નાણાંકીય વર્ષના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામો હવે ઝડપથી જાહેર થવા માંડશે. હવે અનેક મોટી કંપનીઓના રિઝલ્ટ આવવાના છે. તેની અસર પણ બજાર પર પડતી જોવા મળશે.
વૈશ્વિક પરિબળોમાં અમનેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ, બ્રેન્ટ ક્રૂડમાં તેજી અને ઓપેકના ગ્રુપમાં આવી રહેલો બદલાવ બજારને અસ્થિર રાખી શકે છે. બીજીતરફ એપ્રિલ મહિનામાં વિદેશી સંસ્થાગત રોકાણકારોની વેચવાલીને કારણે આઉટફ્લો રૂ. 70,100 કરોડથી પણ વધી ગયો છે. આ બાબત પણ શેરબજાર માટે ચિંતાજનક છે.
બજારના ઇન્ડેક્સના સંભવિત લેવલ
- નિફ્ટી: 24,000 લેવલ મહત્વપૂર્ણ છે. સૂચકાંક 23,800 થી 24,300ની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો છે. ઉપરની બાજુએ 24,400–24,800 મજબૂત રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યું છે.
- સેન્સેક્સ: હાલ 76,900–77,200ની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો છે. 77,500–78,000ની સપાટીએ રેઝિસ્ટન્સ અને 76,300–76,000 સપોર્ટ તરીકે કામ કરશે.
કેવો વ્યૂહ અપનાવી શકાય
વૈશ્વિક અનિશ્ચિતતા અને સ્થાનિક મિશ્ર સંકેતોને ધ્યાનમાં રાખીને રોકાણકારોએ સાવચેતીપૂર્ણ અભિગમ સાથે પસંદગીયુક્ત શેર્સમાં જ ટ્રેડિંગ કે ઇન્વેસ્ટમેન્ટ કરવાનો અભિગમ અપનાવવો જોઈએ. ફાર્મા અને હેલ્થકેર સેક્ટર સુધારા પછી હવે આકર્ષક લાગે છે. મેટલ્સ, એનર્જી, કેપિટલ માર્કેટ થીમ્સ અને કેટલીક સીપીએસઈ સ્ટોક્સ પર નજર રાખવી યોગ્ય જણાય છે.
બ્રોકરેજ હાઉસની ભલામણો
ટ્રેડર્સે હવે વધુ લેવરેજ લેવાથી દૂર રહેવું પડશે. તેમ જ ઝડપી નિર્ણય લેવા તૈયાર રહેવું પડશે અને રિસ્ક મેનેજમેન્ટને બહુ જ ચુસ્ત રીતે અનુસરવું પડશે.
બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલે મેનકાઈન્ડ ફાર્માના શેર્સમાં લેણ કરવાની ભલામણ કરી છે. તેનો ટાર્ગેટ ભાવ રૂ. 2640નો આપ્યો છે.
બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલે જ અલ્ટ્રાટેક સિમેન્ટ્સના શેરમાં લેણ કરવાની ભલામણ કરી છે. ટાર્ગેટ ભાવ રૂ. 13,800નો આપ્યો છે.
બ્રોકરેજ હાઉસ જે.એમ. ફાઈનાન્શિયલે ફેડરલ બેન્કના શેર્સમાં તમારું હોલ્ડિંગ ઘટાડી દેવાની ભલામણ કરી છે. તેણે નવો ટાર્ગેટ ભાવ રૂ. 290નો આપ્યો છે.
બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલે બજાજ ફાઈનાન્સના શેર્સમાં લેણ કે વેચાણ ન કરવાની ભલામણ કરી છે. જે સ્થિતિમાં છો તે જ સ્થિતિમાં રહેવાની સૂચના આપી છે. શેરનો ટાર્ગેટ ભાવ રૂ. 1000નો આપ્યો છે.
બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલે વેદાન્તાના શેર્સમાં પણ મોટી ખરીદી કે વેચાણ કરવાથી દૂર રહેવાની ભલામણ કરી છે. તેનો ટાર્ગેટ ભાવ રૂ. 800નો આપ્યો છે.
બ્રોકરેજ હાઉસ જે.એમ. ફાઈનાન્શિયલે જ બજાજ ફાઆઆનાન્સના શેર્સમાં લેણ કરવાની ભલામણ કરી છે. તેનો ટાર્ગેટ ભાવ રૂ. 1080નો આપ્યો છે.



