સેબીએ રોકાણકારોને અનાધિકૃત સાઇટ્સ પર અનલિસ્ટેડ શેરોનું ટ્રેડિંગ કરવા સામે ચેતવણી આપી

અમદાવાદઃ અનલિસ્ટેડ સિક્યોરિટીઝમાં ટ્રાન્ઝેક્શન માટે અનરજિસ્ટર્ડ પ્લેટફોર્મનો ઉપયોગ કરનારા રોકાણકારોને રેગ્યુલેટરી સેફગાર્ડ્સ (નિયમનકારી સુરક્ષા) અથવા વિવાદ-નિવારણ મિકેનિઝમ્સનો લાભ મળશે નહીં. સેબીએ અગાઉ ડિસેમ્બર ૨૦૨૪ અને ઓગસ્ટ ૨૦૧૬ માં આવી જ ચેતવણીઓ જારી કરીને રોકાણકારોને આવા પ્લેટફોર્મ પર કોઈ ટ્રાન્ઝેક્શન ન કરવા અથવા વ્યક્તિગત વિગતો શેર ન કરવાની સલાહ આપી હતી. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) એ બુધવારે અનાધિકૃત ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ અને વેબસાઇટ્સ દ્વારા પબ્લિક લિમિટેડ કંપનીઓની અનલિસ્ટેડ સિક્યોરિટીઝમાં થતા વ્યવહારો અંગે રોકાણકારોને નવી ચેતવણી જારી કરી છે.
સેબીની એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, “રોકાણકારોને આવા ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ પર કોઈપણ વ્યવહારો કે ટ્રેડિંગ કરવા અથવા તેના પર કોઈપણ સંવેદનશીલ વ્યક્તિગત વિગતો શેર કરવાના જોખમો વિશે ફરી એકવાર ચેતવણી આપવામાં આવે છે કારણ કે આ પ્લેટફોર્મ સેબી દ્વારા ન તો અનાધિકૃત છે કે ન તો માન્યતા પ્રાપ્ત છે.” સેબીએ અગાઉ ડિસેમ્બર ૨૦૨૪ અને ઓગસ્ટ ૨૦૧૬ માં આવી જ ચેતવણીઓ જારી કરીને રોકાણકારોને આવા પ્લેટફોર્મ પર કોઈ વ્યવહારો ન કરવા કે વ્યક્તિગત વિગતો શેર ન કરવા સલાહ આપી હતી. આવા પ્લેટફોર્મ્સ કાર્યરત રહે છે અને અનલિસ્ટેડ શેરોમાં ટ્રેડિંગની સુવિધા આપે છે.
સંકળાયેલા જોખમો પર પ્રકાશ પાડતા, સેબીએ નોંધ્યું છે કે આવા અનાધિકૃત પ્લેટફોર્મ પર વ્યવહાર કરતા રોકાણકારોને નિયમનકારી સુરક્ષાનો લાભ મળશે નહીં. આમાં સેબી અથવા એક્સચેન્જના અધિકારક્ષેત્ર હેઠળના રોકાણકાર-સુરક્ષા લાભો, તેમજ એક્સચેન્જો અથવા ડિપોઝિટરીઝ દ્વારા સંચાલિત ફરિયાદ નિવારણ અને ઓનલાઇન વિવાદ-નિવારણ મિકેનિઝમ્સનો સમાવેશ થાય છે. એ વાતનો પુનરોચ્ચાર કરવામાં આવે છે કે માત્ર માન્યતા પ્રાપ્ત સ્ટોક એક્સચેન્જો જ ફંડ એકત્ર કરવા અને સિક્યોરિટીઝમાં ટ્રેડિંગ માટે પ્લેટફોર્મ પૂરું પાડવા માટે અધિકૃત છે.
ભૂતકાળના પ્રસંગોએ, સેબીએ પેપર ટ્રેડિંગ, વર્ચ્યુઅલ ટ્રેડિંગ અને ફેન્ટસી ગેમ્સ ઓફર કરતા અનાધિકૃત વર્ચ્યુઅલ ટ્રેડિંગ પ્લેટફોર્મ્સ સામે તેમજ અનલિસ્ટેડ ડેટ સિક્યોરિટીઝ ઓફર કરતા અનરજિસ્ટર્ડ ઓનલાઇન પ્લેટફોર્મ્સ સામે પણ ચેતવણીઓ જારી કરી છે.



