સેબી બોર્ડ ઓપન માર્કેટ બાયબેક પાછું લાવ્યું, નવી આચારસંહિતા ઔપચારિક કરી

બોર્ડે એસએમઈ ફ્રેમવર્કના સ્વતંત્ર મૂલ્યાંકન, ઝડપી એઆઈએફ સ્કીમ લોન્ચ અને સિક્યોરિટીઝના સરળ ટ્રાન્સમિશનને મંજૂરી આપી.
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) બોર્ડે શુક્રવારે સ્ટોક એક્સચેન્જો દ્વારા ઓપન-માર્કેટ બાયબેકની, અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (AIF) સ્કીમ્સ માટે ઝડપી રોલઆઉટ મિકેનિઝમ, આરબીઆઈ-નિયંત્રિત સંસ્થાઓ માટે સિક્યોરિટાઈઝેશન ધોરણોને સુસંગત કરવા અને મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા ઇન્ટ્રાડે બોરોઇંગને મંજૂરી આપી દીધી છે. બોર્ડે સેબીના સભ્યો માટે એક નવી આચારસંહિતા 2026 ને પણ મંજૂરી આપી છે અને સત્તાવાર ગેઝેટમાં નોટિફિકેશન બહાર પાડ્યા પછી એમ્પ્લોઇઝ સર્વિસ રેગ્યુલેશન્સ 2001માં પણ સુધારો કરવાની જાહરાત કરી છે.
બીજી એક મુખ્ય મંજૂરી સેક્યુરિટીઝ માર્કેટમાં સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસના કેપિટલ રેઇઝિંગ-મૂડી એકત્ર કરવા માટેના ફ્રેમવર્કનું મૂલ્યાંકન કરવાની થીમ છે, જેથી રેગ્યુલેટરી ફ્રેમવર્કની પુરાવા-આધારિત સમીક્ષા કરી શકાય છે. આ વિચાર એ સમજવાનો છે કે જે ઉદ્દેશ્યો સાથે નાની કંપનીઓને કેટલીક છૂટછાટો આપવા માટે એસએમઈ ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવ્યું હતું તે પૂરા થઈ રહ્યા છે કે નહીં, અને હાલના નિયમોની અસરકારકતા કેટલી છે.
બોર્ડે ટેક્સેશન ફ્રેમવર્કમાં ફેરફારોને કારણે 2023 માં બંધ કરાયેલા ઓપન-માર્કેટ બાયબેક માટેના સ્ટોક એક્સચેન્જ રૂટને 1 ઓગસ્ટ, 2026 થી ફરીથી દાખલ કરવાની મંજૂરી આપી છે. જ્યારે બાયબેક પર ડિવિડન્ડ ટેક્સ તરીકે ટેક્સ વસૂલવામાં આવતો હતો, ત્યારે સ્પેશિયલ વિન્ડોમાં વોલ્યુમ ઘટી ગયું હતું, તેથી અમે તેને બંધ કરી દીધું હતું. ટેક્સના નિયમો બદલાયા છે અને હવે ટેક્સ ડિવિડન્ડ ટેક્સ તરીકે નહીં પણ કેપિટલ ગેઇન્સ ટેક્સ તરીકે લેવામાં આવે છે. તેથી હવે, વાસ્તવમાં આ મિકેનિઝમની માગ છે, તેથી તેને ફરી શરૂ કરવું પડશે, તેમ સેબીના હોલ-ટાઇમ મેમ્બર કમલેશ વાર્ષ્ણેયે મીટિંગ પછીની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું.
આ રૂટને શ્રેણીબદ્ધ સેફગાર્ડ્સ (સુરક્ષાત્મક પગલાં) સાથે પુનઃસ્થાપિત કરવામાં આવી રહ્યો છે, જેમાં બાયબેક એક્ઝિક્યુશન વિન્ડો અગાઉના છ મહિનાથી ઘટાડીને 66 વર્કિંગ ડેઝ કરવાની, ઑફરના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં બાયબેક સાઇઝના લગભગ 40 ટકાના લઘુત્તમ ઉપયોગની જરૂરિયાત, વધુ ડિસ્ક્લોઝર (જાહેરાતો) અને બાયબેક સમયગાળા દરમિયાન પ્રમોટર્સ અને પ્રમોટર ગ્રૂપની સંસ્થાઓ પાસેથી ખરીદી પર પ્રતિબંધ સામેલ છે.
બાયબેક માટે મર્ચન્ટ બેંકરની નિમણૂક વૈકલ્પિક કરવામાં આવી છે, જ્યાં જો કોઈ કંપની તેની નિમણૂક ન કરવાનું પસંદ કરે છે, તો જવાબદારીઓ કંપની, તેના કમ્પ્લાયન્સ ઓફિસર, સ્ટેચ્યુટરી ઓડિટર, સેક્રેટરીયલ ઓડિટર અને સ્ટોક એક્સચેન્જો વચ્ચે વહેંચવામાં આવશે. બોર્ડે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા નિયંત્રિત સંસ્થાઓ માટેના સિક્યોરિટાઈઝેશન નિયમોમાં સુધારાને પણ મંજૂરી આપી છે જેથી તેને તેના 2021 ના સિક્યોરિટાઈઝેશન ફ્રેમવર્ક સાથે સુસંગત કરી શકાય. આ ફેરફારો બેંકો અને નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓને સિંગલ-એસેટ સિક્યોરિટાઈઝેશન કરવાની મંજૂરી આપશે, 25 ટકાની ઓબ્લિગર કોન્સન્ટ્રેશન લિમિટને હટાવશે, ત્રિમાસિક ડિસ્ક્લોઝરની જવાબદારીઓ સર્વિસર્સ પર શિફ્ટ કરશે અને સિક્યોરિટાઈઝેશન ટ્રાન્ઝેક્શનમાં ઉપયોગમાં લેવાતી સ્પેશિયલ પર્પઝ ડિસ્ટિંક્ટ એન્ટિટીઝ (SPDE) ની સ્વતંત્રતાને મજબૂત કરશે.
આ ફેરફારોનો ઉદ્દેશ્ય વાસ્તવમાં એક એવું માર્કેટ બનાવવાનો છે જ્યાં હાલમાં, 5 લાખ કરોડના SDI માંથી માત્ર 54,000 કરોડ લિસ્ટેડ છે. આશા છે કે, આ ફેરફારો પછી આરબીઆઈ-નિયંત્રિત સંસ્થાઓ, જે વાસ્તવમાં આ માર્કેટનો મોટો હિસ્સો છે, તેઓ લિસ્ટિંગ કરી શકશે અને આ માર્કેટ આગળ વધશે, તેમ સેબીના ડબ્લ્યુટીએમ અમરજીત સિંહે જણાવ્યું હતું.
સેબીએ અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (AIF) સ્કીમ્સના લોન્ચિંગને અગાઉના 30 દિવસથી ઝડપી બનાવીને 10 દિવસ કરવા માટે ‘ગ્રીન ચેનલ’ મિકેનિઝમને પણ મંજૂરી આપી છે. તેણે સિક્યોરિટીઝના સરળ ટ્રાન્સમિશન માટેની નાણાકીય મર્યાદા ફિઝિકલ હોલ્ડિંગ્સ માટે બમણી કરીને રૂ.10 લાખ અને ડીમટીરિયલાઈઝ્ડ (ડીમેટ) હોલ્ડિંગ્સ માટે ₹30 લાખ કરવાની મંજૂરી આપી છે. નિયમનકાર જુલાઈમાં ડેરિવેટિવ્ઝ માર્કેટ્સની અન્ય એક વિગતવાર સમીક્ષા સાથે બહાર આવશે, તેમ ચેરમેને જણાવ્યું હતું.



