બેન્ક ફિક્સ ડિપોઝિટમાં કેવી રીતે નાણાં રોકવાથી લાભ થઈ શકે કે પછી મલ્ટીપલ સ્કીમમાં રોકાણ કરવાથી લાભ થાય?
માત્ર ફિક્સ્ડ ડિપોઝિટના અલગ અલગ કોમ્બિનેશનમાં જવા કરતાં મલ્ટીપલ સ્કીમમાં નાણાંને ઇન્વેસ્ટ કરીને સારું વળતર મેળવી શકાય
ગેરંટીડ વળતર મેળવવા ઈચ્છતા રોકાણકારો માટે ફિક્સ્ડ ડિપોઝિટ એક લોકપ્રિય પસંદગી બનેલી છે, પરંતુ યોગ્ય સમયગાળો (ટેન્યોર) પસંદ કરવાથી કમાણી પર નોંધપાત્ર અસર પડી શકે છે. બેંકો એક વર્ષ, ત્રણ વર્ષ અને પાંચ વર્ષની ડિપોઝિટ પર અલગ-અલગ વ્યાજ દર ઓફર કરતી હોવાથી, રોકાણકારોએ પોતાના પૈસા લોક કરતા પહેલાં વળતર, લિક્વિડિટી (રોકડ લભ્યતા) અને ટેક્સ લાભો વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે. પાંચ વર્ષની એફડી (FDs) લાંબા ગાળાના લક્ષ્યો ધરાવતા રોકાણકારોને અને ટેક્સ-સેવિંગ ફિક્સ્ડ ડિપોઝિટ દ્વારા સેક્શન 80C હેઠળ ટેક્સ કપાતનો દાવો કરવા ઈચ્છતા લોકોને આકર્ષિત કરે છે.
નિશ્ચિત વળતર અને મૂડી સુરક્ષા ઈચ્છતા પરંપરાગત બચતકારો માટે ફિક્સ્ડ ડિપોઝિટ (FDs) સૌથી વધુ પસંદગીના રોકાણ વિકલ્પોમાંની એક રહી છે. જો કે, બેંકો વિવિધ સમયગાળા માટે અલગ-અલગ વ્યાજ દર ઓફર કરતી હોવાથી, રોકાણકારો અવારનવાર એક મુખ્ય પ્રશ્નનો સામનો કરે છે: શું તેમણે એક વર્ષ, ત્રણ વર્ષ કે પાંચ વર્ષની FD પસંદ કરવી જોઈએ? આનો જવાબ માત્ર વ્યાજ દરો પર જ નહીં, પરંતુ લિક્વિડિટીની જરૂરિયાતો, ટેક્સ લાભો અને ભવિષ્યમાં વ્યાજ દરોની હિલચાલ અંગેની અપેક્ષાઓ પર પણ આધાર રાખે છે.
એક વર્ષની ફિક્સ્ડ ડિપોઝીટ ઓફર કરે છે
એક વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ એવા રોકાણકારો માટે યોગ્ય છે જેઓ લિક્વિડિટી પસંદ કરે છે અને વ્યાજ દરો બદલાય ત્યારે ફરીથી રોકાણ કરવાની ફ્લેક્સિબિલિટી ઈચ્છે છે. 17 જૂન, 2026 સુધીના ડેટા અનુસાર, કેટલીક બેંકો એક વર્ષની ડિપોઝિટ માટે આકર્ષક દર ઓફર કરી રહી છે. સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક અને ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક 7.25% ઓફર કરે છે, જ્યારે ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક 7.10% ઓફર કરે છે. ખાનગી ક્ષેત્રના લેણદારોમાં, યસ બેંક 6.65% ઓફર કરે છે, જ્યારે આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી બેંક 6.25% ઓફર કરે છે. ટૂંકા ગાળાની ફિક્સ્ડ ડિપોઝિટ એવા રોકાણકારો માટે આદર્શ છે જેમને એક વર્ષની અંદર તેમના ફંડની જરૂર પડી શકે છે અથવા જેઓ વ્યાજ દર હજુ વધુ વધવાની અપેક્ષા રાખે છે.
3-વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ સંતુલન જાળવે છે
ત્રણ વર્ષની ડિપોઝિટ હાલમાં ઘણી બેંકોમાં સૌથી વધુ વ્યાજ દરો ઓફર કરી રહી છે. જના સ્મોલ ફાઇનાન્સ બેંક, ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક અને શિવાલિક સ્મોલ ફાઇનાન્સ બેંક સહિતના કેટલાક ધિરાણકર્તાઓ ત્રણ વર્ષની ડિપોઝિટ પર 7.50% ઓફર કરે છે. આઈડીએફસી ફર્સ્ટ બેંક 7.35% ઓફર કરે છે, જ્યારે બંધન બેંક 7.25 ટકા ઓફર કરે છે. વળતર અને લિક્વિડિટી વચ્ચે સંતુલન ઈચ્છતા રોકાણકારો માટે ત્રણ વર્ષનો સમયગાળો આકર્ષક હોઈ શકે છે. તે બચતકારોને બહુ લાંબા ગાળા માટે પૈસા રોક્યા વિના પ્રમાણમાં ઊંચા દર મેળવવાની મંજૂરી આપે છે.
5-વર્ષની ફિક્સડ ડિપોઝિટની સ્થિરતા અને ટેક્સ લાભો પૂરા પાડે છે
પાંચ વર્ષની FD લાંબા ગાળાના લક્ષ્યો ધરાવતા રોકાણકારો અને ટેક્સ-સેવિંગ ફિક્સ્ડ ડિપોઝિટ દ્વારા સેક્શન 80C હેઠળ ટેક્સ કપાતનો દાવો કરવા માંગતા લોકોને આકર્ષે છે. કેટલીક બેંકો પાંચ વર્ષની ડિપોઝિટ પર તેમના સર્વોચ્ચ દર ઓફર કરે છે. સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક 7.90, જના સ્મોલ ફાઇનાન્સ બેંક 7.77 અને ડીસીબી બેંક 7.50 ઓફર કરે છે. મોટી ખાનગી બેંકો સરખામણીમાં ઓછા દર ઓફર કરે છે. આઈસીઆઈસીઆઈ બેંક 6.50 ટકા આપે છે, એચડીએફસી બેંક 6.40 ટકા ઓફર કરે છે, જ્યારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 6.05 ટકા ઓફર કરે છે. પાંચ વર્ષની FD રોકાણકારોને વર્તમાન દરો લોક કરવામાં મદદ કરે છે અને લાંબા ગાળા માટે વળતરની નિશ્ચિતતા પૂરી પાડે છે.
રોકાણકારોએ કયો સમયગાળો પસંદ કરવો જોઈએ?
ફાઇનાન્સિયલ પ્લાનર્સનું કહેવું છે કે આના માટે કોઈ એક સરખો જવાબ હોઈ શકે નહીં. ફ્લેક્સિબિલિટી અને નજીકના ગાળાની લિક્વિડિટી ઈચ્છતા રોકાણકારો એક વર્ષની FD પસંદ કરી શકે છે. વળતર અને સુલભતા વચ્ચે સંતુલન ઈચ્છતા લોકોને ત્રણ વર્ષની ડિપોઝિટ વધુ આકર્ષક લાગી શકે છે. તે દરમિયાન, લાંબા ગાળાના રોકાણકારો અને સેક્શન 80Cના લાભ ઈચ્છતા કરદાતાઓ પાંચ વર્ષની ટેક્સ-સેવિંગ ફિક્સ્ડ ડિપોઝિટમાં નાણાં મૂકવાનો વિચાર કરી શકે છે.
બીજી એક વ્યૂહરચના ‘FD લેડરિંગ’ની છે, જ્યાં પૈસાને અલગ-અલગ મેચ્યોરિટી સમયગાળામાં વહેંચવામાં આવે છે. આ અભિગમ રોકાણકારોને લિક્વિડિટી જાળવી રાખવામાં મદદ કરે છે અને સાથે જ સિંગલ વ્યાજ-દર ચક્રમાં તમામ ફંડ લોક થઈ જવાના જોખમને ઘટાડે છે. મોટી બેંકોમાં આશરે 6 ટકાથી લઈને કેટલીક સ્મોલ ફાઇનાન્સ બેંકોમાં લગભગ 8 ટકા સુધીના વ્યાજ દરો સાથે, યોગ્ય FD સમયગાળો પસંદ કરવાથી એકંદર વળતરમાં નોંધપાત્ર તફાવત આવી શકે છે. આખરે, શ્રેષ્ઠ સમયગાળો રોકાણકારના નાણાકીય લક્ષ્યો, કેશ-ફ્લોની જરૂરિયાતો અને જોખમ લેવાની ક્ષમતા પર આધાર રાખે છે.
યુવાન રોકાણકારો, નવા નોકરિયાતો શું કરી શકે
60 વર્ષથી નીચેની વયના રોકાણકારો માટે ફિક્સ્ડ ડિપોઝિટ ઉપરાંત સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં રોકાણ કરવું લાભદાયી સાબિત થઈ શકે છે. સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં પણ નસીબ ખરાબ હોય તો મૂડીનું ધોવાણ થવાની સંભાવના રહેલી છે. તેથી 60 વર્ષથી નાના રોકાણકારોએ મૂડી સાચવવા માટે પહેલા બેન્કની ફિક્સ્ડ ડિપોઝિટમાં કે પોસ્ટ ઓફિસની માસિક આવક યોજનામાં રોકાણ કરવા જરૂરી છે. માસિક આવક યોજનામાં અત્યારે અંદાજે 7.4 ટકા વ્યાજ મળે છે. જાહેર ક્ષેત્રની અને ખાનગી બેન્કોના વ્યાજદર કરતાં આ વ્યાજદર ઊંચા જ છે. તેમ જ તેમાં સરકારની ગેરન્ટી પણ છે. તેથી પોસ્ટ ઓફિસની જ માસિક આવક યોજનામાં પહેલા રોકાણ કરીને આરંભ કરવો જોઈએ.
બીજું, માસિક આવક યોજનામાં રૂ. 1 લાખનું રોકાણ કરો તો તેના થકી વરસે રૂ. 7400ની વ્યાજની આવક થઈ શકે છે. આ રૂ. 7400માંથી માસિક રૂ. 600ની એસઆઈપી કરીને તેના થકી વળતર મેળવવાનું આયોજન કરી શકાય છે. આ 7.4 ટકાનું વળતર સરળતાથી 9.5થી 10 ટકા કે તેનાથી ઉપર થઈ જવાની સંભાવના રહેલી છે. હા, બજાર એકદમ નરમાઈ તરફ ઢળી જાય તો વાત જુદી છે. પરંતુ વડીલો કહી ગયા છે કે રોકાણકાર વ્યાજનો માર સહન કરી શકે છે. મૂડીનો માર સહન કરવો તેમને માટે કઠિન છે. અહીં સૂચવેલી વ્યવસ્થામાં મૂડી સચવાઈ રહે છે. વ્યાજમાંથી વધારાની આવક થાય છે. વ્યાજનું રોકાણ થોડા જોખમી રોકાણ ગણાતા શેરબજારમાં કે પછી એસઆઈપીમાં કરવામાં આવે છે. તેથી માત્ર વ્યાજ જ ગુમાવવાનું આવી શકે છે. મૂડી હંમેશા જળવાઈ જ રહે છે.
વડીલો કે પૂર્વજોની આ વાતને ધ્યાનમાં રાખીને માસિક આવક યોજના અને એસઆઈપીનું કોમ્બિનેશન કરી શકાય છે. લાંબા સમય સુધી આ રોકાણ ચાલું રહે અને સારુ પરફોર્મન્સ આવે તો 7.4 ટકા ઉપરાંત 10થી 12 ટકાના વળતરની સરેરાશ કરવામાં આવે તો અંદાજે 9.5થી 10 ટકાનું વળતર સરળતાથી છૂટી શકે છે. ફુગાવાના સરકારે જાહેર કરેલા આંકડાને ધ્યાનમાં લઈને વિચારીએ તો પણ આ વળતર તમારી બચતના નાણાંની ખરીદ શક્તિમાં ઘટાડો કરે તેવું નથી જ નથી.
સિનિયર સિટીઝન્સ શું કરી શકે
સિનિયર સિટીઝન પાસેથી ફિક્સ્ડ ડિપોઝિટ કરતાંય સારો વિકલ્પ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમનો છે. આ સ્કીમમાં આજની તારીખે 8.2 ટકા વ્યાજ મળી રહ્યું છે. સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં એક વ્યક્તિ રૂ. 30 લાખ સુધીનું રોકાણ કરી શકે છે. તેથી વાર્ષિક રૂ. 2.46 લાખની આવક થઈ શકે છે. આ આવકમાંથી પતિ અને પત્ની બંનેનો ગુજારો સરળતાથી થઈ શકે છે. હા, ખર્ચ કરવાની આદત અને જીવન શૈલીની અ્સર તેના પર જોવા મળે છે. તેથી જરૂરિયાત ઉપરાંતના અતિશય ખર્ચ એક દંપત્તિની આટલી વાર્ષિક આવક હોય તો તેમની સામાન્ય જીવનશૈલી જળવાઈ રહે છે.
આ જ રીતે પોસ્ટ ઓફિસની માસિક આવક યોજનામાં એક વ્યક્તિ રૂ. 9 લાખ અને પતિપત્ની મળીને રૂ. 15 લાખનું રોકાણ કરી શકે છે. તેમાં પણ રૂ. 15 લાખનું રોકાણ કરી દેવામાં આવે તો વાર્ષિક રૂ. 1.10 લાખની આસપાસનું વ્યાજ મળી જાય છે. તેના થકી પણ નિવૃત્તિ વયમાં ગુજારો ચલાવવો સરળ થઈ જાય છે. હા, સંતાનો પાસે હાથ લંબાવવાની નોબત આવતી નથી. સારી નોકરી કરનારા અને જીવનભર નિયમિત બચત કરનારાઓ માટે આ પ્રકારના રોકાણ કરવા સરળ બની શકે છે.
બીજું, માંદગી મોટી આવે તો તેઓ ધોવાી જાય તેવી પણ શક્યતા રહેલી છે. તેથી માંદગીના ખર્ચ માટે અલગથી પ્લાનિંગ પહેલેથી કરેલું હોવું જોઈએ. યુવાન વયથી આરોગ્ય વીમો ન લીધો હોય તો આરોગ્ય વીમાના પ્રીમિયમ જેટલું રોકાણ દર વર્ષે અલગ રાખતા જઈને બચત કરવામાં આવે તો નિવૃત્તિ સુધીના 30થી 35 વર્ષની નોકરીના ગાળામાં આ ફંડ પણ બહુ જ મોટું થઈ જાય છે. મોટી માંદગીમાં આ ફંડ તમને રક્ષણ આપી શકે છે. આજકાલ તો કદાવર પગારથી જ કારકીર્દિનો આરંભ કરનાર યુવાનો નોકરીના પહેલા પગારથી જ બચત કરવાનું આયોજન કરે તો તેમને જિંદગીમાં નાણાંકીય રીતે કોઈ જ તકલીફ પડતી નથી. સમ્યક જીવન શૈલી આખી જિંદગી ચલાવી શકાય છે.
શેરબજારમાં રોજરોજ ટ્રેડિંગ ન કરો, લાંબા ગાળાના રોકાણકાર બનો
મ્યુચ્યુઅલ ફંડની માફક બ્લ્યુચિપ કે મિડકેપ બ્યુચિપમાં લાંબા ગાળાનું રોકાણ કરી શકાય છે. શેરબજારમાં રોજ ટ્રેડિંગ કરવાથી ક્યારેક કમાવ કે ક્યારેક ગુમાવી શકો છો. તેને બદલે બ્લ્યુચિપ મિડકેપ કે બ્લ્યુચિપ લાર્જકેપ કંપનીના શેર્સમાં રોકાણ કરીને લાંબા ગાળા સુધી તે જાળવી રાખવામાં આવે તો તેનોથી બહુ જ મોટો લાભ થઈ શકે છે. એક ઉદાહરણ આપીને વાત કરીએ. એક રોકાણકારને ટીસીએસના આઈપીઓમાં 7 શેર્સ લાગ્યા હતા. તેણે તે રોકાણ આજ સુધી જાળવી રાખ્યું છે. રૂ. 850ના ભાવે એલોટ કરવામાં આવેલા શેર્સ માટે રૂ. 5950નું રોકાણ કરવામાં આવ્યુ હતું. આજે તમે ટીસીએસના શેર્સનું વેલ્યુ જોઈ શકો છો. આ સાત શેર આજે વધીને 56 થઈ ગયા છે. તેનું વર્તમાન બજાર મૂલ્ય રૂ. 2136ની આસપાસનું છે. વચગાળામાં તેના શેરનો ભાવ વધીને રૂ. 3500થી ઉપર પહોંચી ગયો હતો. આમ તેનું મૂલ્ય અંદાજે 1.15 લાખનું થઈ ગયું છે. છેલ્લા વીસ વર્ષથી તેનું ડિવિડંડ મેળવે છે. આમ તેની મૂડી કરતાં અનેકગણું વળતર આજ સુધીમાં મળી ચૂક્યું છે. લાબા ગાળાના રોકાણકાર તરીકે લાભ થવાની સંભાવના ખાસ્સી વધારે છે.
એસઆઈપીમાં રોકાણ કરી દર વર્ષ રૂ. 1.25 લાખનો કેપિટલ ગેઈન મેળવી લોઃ નવેસરથી રોકાણ કરો
એસઆઈપીમાં કરવામાં આવતા રોકાણનો ઉપાડ કરવામાં આવે તો તેમાંથી લાંબે ગાળા છૂટતા નફામાંથી દર વર્ષે રૂ. 1.25 લાખનો કેપિટલ ગેઈન ઉપાડી લઈને તેને પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં રોકી શકાય છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ અત્યારે ટેક્સેબલ છે જ નહિ. તેથી તેનો ઉપાડ કરતી વખતે તેના પર રાતી પાઈનો પણ ટેક્સ ચૂકવવો પડતો નથી. તેથી આ એક આકર્ષક રોકાણ છે. તેમાં કેપિટલ ગેઈનના રૂ. 1.25 લાખ દર વરસે નાખી શકાય છે. તેમ ન કરવું હોય તો દર વરસે એસઆઈપીમાંથી ઉપાડેલા રૂ. 1.25 લાખના કેપિટલ ગેઈનને ફરીથી એસઆઈપીમમાં રોકી શકાય છે. આ રીતે રોકાણ કરતાં રહેવાથી વીસ વર્ષને અંતે તમારી મૂડી-કેપિટલમાં રૂ. 25 લાખનો વધારો થઈ જશે. એસઆઈપીના ઉપાડ વખતે મૂડીની રકમ ટેક્સેબલ ગણાતી નથી. આ રીતે 20-22 વર્ષે ઉપાડ કરવામાં આવે ત્યારે અંદાજે રૂ. 25થી 27 લાખ પરનો આવકવેરો બચાવી શકાય છે. કારણ કે તમને ઉપાડેલા કેપિટલ ગેઈનના નાણાંનું તમારી મૂડીમાં રૂપાંતર થયેલું છે.



