ઈલેક્ટ્રિક વેહિકલ ખરીદનારને દિલ્હી સરકાર સતત ત્રણ વર્ષ સુધી સબસિડી આપશે

૧ એપ્રિલ, ૨૦૨૮ થી ICE (પેટ્રોલ) ટુ-વ્હીલર્સના રજીસ્ટ્રેશનની મંજૂરી આપવામાં આવશે નહીં.
અમદાવાદઃ પરંપરાગત ઇન્ટરનલ કમ્બશન એન્જિન એટલે કે પેટ્રોલ કે ડીઝલથી ચાલતા વાહન ઉત્પાદકોના વિરોધ છતાં દિલ્હી કેબિનેટે સોમવારે નવી ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) પોલિસી ૨.૦ ને મંજૂરી આપી દીધી છે. આ અપડેટ કરાયેલી નીતિ અંતર્ગત રૂ. ૩૦ લાખ સુધીની કિંમતની ઇલેક્ટ્રિક કાર માટે રોડ ટેક્સ અને રજીસ્ટ્રેશન ફીમાં સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. દેશની રાજધાનીમાં વધી રહેલા પ્રદુષણને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે આ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે.
મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR) માં ઇલેક્ટ્રિક વાહનોના વપરાશને પ્રોત્સાહન આપવા અને વાહનોના પ્રદૂષણને ઘટાડવા માટે આગામી ચાર વર્ષમાં (૧ જુલાઈ, ૨૦૨૬ થી ૩૧ માર્ચ, ૨૦૩૦) નવી નીતિ હેઠળ આશરે ₹૧૫,૦૦૦ કરોડનું રોકાણ કરવામાં આવશે.
રૂ. ૩૦ લાખ સુધીની કિંમતની ઇલેક્ટ્રિક કાર માટે રોડ ટેક્સ અને રજીસ્ટ્રેશન ફીમાં સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી
આ નીતિ હેઠળ, ૧ એપ્રિલ, ૨૦૨૮ થી ICE (પેટ્રોલ) ટુ-વ્હીલર્સના રજીસ્ટ્રેશનની મંજૂરી આપવામાં આવશે નહીં. તેવી જ રીતે, ૧ જાન્યુઆરી, ૨૦૨૭ થી માત્ર ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર્સ (L5 – પેસેન્જર અને ગુડ્સ ઓટો) અને ઇલેક્ટ્રિક N1 (૩.૫ ટન સુધીનો સામાન લઈ જવા માટે સક્ષમ હળવા કોમર્શિયલ વાહનો) માલવાહક વાહનોને જ મંજૂરી આપવામાં આવશે.
નીતિની માર્ગદર્શિકા અનુસાર, ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ ખરીદનારા ગ્રાહકોને પ્રથમ વર્ષમાં ₹૩૦,૦૦૦ સુધીની; બીજા વર્ષમાં ₹૨૦,૦૦૦; અને ત્રીજા વર્ષમાં ₹૧૦,૦૦૦ સુધીની સબસિડી મળશે. તે જ રીતે, ઈ-થ્રી-વ્હીલર્સ માટે સબસિડી ₹૫૦,૦૦૦ સુધીની અને ઇલેક્ટ્રિક N1 વાહનો માટે ₹૧ લાખ સુધીની રહેશે.
૧ જાન્યુઆરી, ૨૦૨૭ થી માત્ર ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર્સ (L5 – પેસેન્જર અને ગુડ્સ ઓટો) અને ઇલેક્ટ્રિક N1 (૩.૫ ટન સુધીનો સામાન લઈ જવા માટે સક્ષમ હળવા કોમર્શિયલ વાહનો) માલવાહક વાહનોને જ મંજૂરી આપવામાં આવશે.
ICE ટુ-વ્હીલર ઉત્પાદકો દ્વારા આ નીતિનો સખત વિરોધ કરવામાં આવ્યો છે. સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ (SIAM) એ ભલામણ કરી છે કે ઇવી નીતિનો હેતુ રસ્તા પરથી જૂના, પ્રદૂષણ ફેલાવતા વાહનોને હટાવવાનો હોવો જોઈએ, નહીં કે આધુનિક અને સ્વચ્છ BS-VI ટુ-વ્હીલર્સના રજીસ્ટ્રેશનને રોકવાનો હોવો ન જોઈએ.
ઇન્ડસ્ટ્રી બોડી (ઉદ્યોગ મંડળ) ના જણાવ્યા અનુસાર, ICE ટુ-વ્હીલર્સ PM2.5 ઉત્સર્જનમાં માત્ર ૭ ટકા ફાળો આપે છે, જે બાંધકામ (૩૦ ટકા), ઉદ્યોગો (૧૫ ટકા) અને કોમર્શિયલ વાહનો (૧૫ ટકા) કરતા ઘણો ઓછો છે.
ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ (E2Ws) ખરીદનારા ગ્રાહકોને પ્રથમ વર્ષમાં ₹૩૦,૦૦૦ સુધીની; બીજા વર્ષમાં ₹૨૦,૦૦૦; અને ત્રીજા વર્ષમાં ₹૧૦,૦૦૦ સુધીની સબસિડી મળશે. બીજા રાજ્યો નીતિને અનુસરશે કે કેમ તે એક સવાલ
બીજી તરફ એથર એનર્જી (Ather Energy) અને કાઇનેટિક ગ્રીન (Kinetic Green) જેવા E2W ઉત્પાદકોએ આ નીતિને આવકારી છે. કાઇનેટિક ગ્રીનના સ્થાપક અને સીઇઓ સુલજ્જા ફિરોદિયા મોટવાનીનું કહેવું છે કે, “વેચાતા વાહનોમાંથી લગભગ ૮૦ ટકા વાહનો ટુ અને થ્રી-વ્હીલર્સ હોય છે, અને ઇલેક્ટ્રિક ફોર્મેટમાં સ્થાનાંતરિત થઈને પ્રદૂષણ ઘટાડવાથી ચોક્કસપણે પ્રદૂષણ ઓછું કરવામાં મદદ મળશે.”
ઇલેક્ટ્રિક વેહિકલ બનાવનારાઓનું કહેવું છે કે સૌથી અલગ તરી આવે છે તે માત્ર રોકાણનું પ્રમાણ નથી, પરંતુ જે રીતે આ નીતિ તૈયાર કરવામાં આવી છે તે છે. પ્રોત્સાહનો (ઇન્સેન્ટિવ્સ), તબક્કાવાર ઇલેક્ટ્રિફિકેશનના નિયમો અને ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સંયોજન એક ખૂબ જ મજબૂત પાયો તૈયાર કરે છે.
