રિઝર્વ બેન્ક વિદેશી હૂંડિયામણની ડિપોઝિટની સ્કીમ બંધ નહિ કરે
આરબીઆઈએ વિદેશી મુદ્રા ડિપોઝિટ યોજનાઓ સમય પહેલા બંધ કરવાનો ઇનકાર કર્યો
મૂડી પ્રવાહ વધવાના પગલાંથી નાણાકીય વર્ષ 2027 માં ચાલુ ખાતાની ખાધ સરપ્લસ રહેવાની અપેક્ષા
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના ગવર્નર સંજય મલ્હોત્રાએ બુધવારે સ્પષ્ટતા કરી છે કે સન્સેશનલ ફોરેન એક્સચેન્જ સ્વેપ ફેસિલિટીને સમય પહેલાં બંધ કરવાની હાલમાં કોઈ યોજના નથી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ યોજનાઓ દ્વારા દેશમાં વિદેશી ચલણનો પ્રવાહ સતત વધતો રહેશે. FCNR(B) યોજના સપ્ટેમ્બરમાં પૂરી થઈ રહી છે, જ્યારે OFCB અને ECB યોજનાઓ ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. આ યોજના હેઠળ કરન્સી હેજિંગનો ખર્ચ આરબીઆઈ પોતે ભોગવી રહી છે.
ગવર્નર મલ્હોત્રાએ જણાવ્યું હતું કે વિદેશી મૂડી આકર્ષવા માટે આરબીઆઈ દ્વારા લેવાયેલા પગલાંના પરિણામે ચાલુ નાણાકીય વર્ષ માટે બેલેન્સ ઓફ પેમેન્ટ્સ (BoP) માં તંદુરસ્ત સરપ્લસ (વધારો) જોવા મળશે. જૂન મહિનામાં લેવાયેલા મૂડી પ્રવાહના પગલાંથી દેશમાં વિદેશી નાણાંનો પ્રવાહ વધ્યો છે.
યોજનાઓની મુખ્ય વિગતો અને આંકડા:
FCNR(B) ડિપોઝિટ: આરબીઆઈના ડેટા અનુસાર, ભારતીય બેંકોએ સ્પેશિયલ FCNR(B) ડિપોઝિટ સ્કીમ દ્વારા $36.73 બિલિયન એકત્ર કર્યા છે.
કુલ વિદેશી મુદ્રા: 31 જુલાઈ સુધીમાં આરબીઆઈની ત્રણ સન્સેશનલ સ્વેપ યોજનાઓ દ્વારા કુલ $40.82 બિલિયનની વિદેશી મુદ્રા પ્રાપ્ત થઈ છે.
યોજનાની શરૂઆત: આરબીઆઈએ રૂપિયાને મજબૂત કરવા અને બેલેન્સ ઓફ પેમેન્ટ્સની ખાધ ઘટાડવા માટે 8 જૂનના રોજ આ કન્સેસનલ સ્વેપ ફેસિલિટી શરૂ કરી હતી.
FPI અને FDI રોકાણ: એપ્રિલ-મે દરમિયાન નેટ આઉટફ્લો (વેચવાલી) જોવા મળ્યા પછી, જૂન-જુલાઈ દરમિયાન ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ (FPI) માં સુધારો થયો છે અને ખાસ કરીને ડેટ સેગમેન્ટના આધારે $7.1 બિલિયનનું નેટ રોકાણ આવ્યું છે. એપ્રિલ-જૂન દરમિયાન ગ્રોસ વિદેશી સીધું રોકાણ (FDI) વધીને $30.7 બિલિયન થયું છે, જે ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન $26.7 બિલિયન હતું.
રૂપિયો અને વિદેશી વિનિમય દર પર ગવર્નરનું વલણ:
યોજનાઓ છતાં રૂપિયો કેમ વધુ મજબૂત થયો નથી તેવા પ્રશ્નના જવાબમાં ગવર્નર મલ્હોત્રાએ જણાવ્યું હતું કે આપણા અર્થતંત્રના મૂળભૂત આધારો (Fundamentals) ખૂબ જ મજબૂત છે. તેમણે ઉમેર્યું કે વૈશ્વિક સંઘર્ષો અને તણાવ હળવા થતાં ભવિષ્યમાં રૂપિયો વધુ મજબૂત થઈ શકે છે. છેલ્લા એક મહિનામાં રૂપિયો 97 ના સ્તરથી મજબૂત થઈને 95 થી વધુના સ્તર પર પહોંચ્યો છે.
આરબીઆઈએ પુનરોચ્ચાર કર્યો હતો કે વિનિમય દર માર્કેટના દળો દ્વારા જ નક્કી થશે અને આરબીઆઈ માત્ર બજારમાં વધુ પડતી અસ્થિરતા (Volatility) અને સટ્ટાખોરીને અટકાવવા હસ્તક્ષેપ કરશે.
