• 15 August, 2026 - 12:07 PM

ITR માં પ્રોપર્ટી વેચાણના ખર્ચાઓ ક્લેમ કરવાના રહી ગયા છે? મુંબઈ ITAT દ્વારા કરદાતાને મોટી રાહત

ITR માં પ્રોપર્ટી વેચાણના ખર્ચાઓ ક્લેમ કરવાના રહી ગયા છે? મુંબઈ ITAT દ્વારા કરદાતાને મોટી રાહત

ઓરિજિનલ ઇન્કમ ટેક્સ રિટર્નમાં મકાન કે પ્રોપર્ટી સંબંધિત ખર્ચાઓ દર્શાવવાનું ચૂકી ગયેલા કરદાતાને યોગ્ય પુરાવા રજૂ કર્યા બાદ મુંબઈ ઇન્કમ ટેક્સ અપીલેટ ટ્રિબ્યુનલ (ITAT) એ બાદબાકી મેળવવાની મંજૂરી આપી છે.
– મુંબઈ ITAT એ કરદાતાને પ્રોપર્ટી વેચાણ પેટે થયેલા રૂ. ૩૭.૧૬ લાખના ખર્ચાઓની બાદબાકી મેળવવાની મંજૂરી આપી.
– દલાલી (બ્રોકરેજ) અને સુધારણાના ખર્ચાઓ બેંકિંગ રેકોર્ડ્સ અને દસ્તાવેજો દ્વારા પ્રમાણિત થયા હતા.
– નવી કેપિટલ ગેઇન્સની અરજીઓ અપીલ કક્ષાના ટેક્સ અધિકારીઓ દ્વારા ચકાસી શકાય છે.
– પ્રોપર્ટી વેચનારે બ્રોકરેજ બિલ, સુધારણાના ખર્ચના પુરાવા અને બેંક રેકોર્ડ્સ સાચવી રાખવા જોઈએ.
આવકવેરા રિટર્નમાં થયેલી ભૂલ એ વાસ્તવિક બાદબાકી મેળવવાનો રસ્તો સંપૂર્ણપણે બંધ કરતી નથી. તાજેતરના એક કેસમાં, મુંબઈ ITAT એ એક કરદાતાને પ્રોપર્ટી વેચાણ સાથે સંકળાયેલા રૂ. ૩૭.૧૬ લાખના ખર્ચનો દાવો કરવાની મંજૂરી આપી છે, ભલે આ ખર્ચાઓ ઓરિજિનલ રિટર્નમાં દર્શાવવામાં આવ્યા નહોતા. આ વિવાદ આકારણી વર્ષ ૨૦૨૦-૨૧નો હતો અને કરદાતા મહેન્દ્ર પ્રતાપ સિંહ સાથે સંબંધિત હતો, જેમણે ‘વાસુદેવ સ્કાય હાઇ’માં ચાર રેસિડેન્શિયલ ફ્લેટ વેચ્યા હતા.
પુનઃઆકારણી પ્રક્રિયા દરમિયાન મહેન્દ્રસિંહે  કેપિટલ ગેઇન્સની નવી ગણતરી રજૂ કરી હતી. આ વખતે તેમણે પ્રોપર્ટી સંબંધિત બ્રોકરેજ, સુધારણા ખર્ચ અને અન્ય લાગતા-વળગતા ખર્ચાઓ ઉમેર્યા હતા. તેની સામે આવકવેરા વિભાગે વાંધો ઊઠાવ્યો હતો.  આકારણી અધિકારીએ આ ખર્ચાઓ માન્ય રાખ્યા ન હતા. તેમનું કહેવું હતુ કે મહેન્દ્ર સિંહે આ રકમ મૂળ રિટર્નમાં ક્લેમ કરી ન હતી કે ન તો સુધારેલું રિટર્ન (Revised Return) ફાઇલ કર્યું હતું. તેના બદલે, આ બાદબાકી અસેસમેન્ટ પ્રક્રિયા દરમિયાન નવી ગણતરી રજૂ કરીને ઉમેરવામાં આવી હતી.
પ્રોપર્ટીના સોદા પૂર્ણ થયા પછી ચૂકવવામાં આવેલા બ્રોકરેજ સામે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. આ ખર્ચાઓ બાદ કર્યા પછી, સિંહનો ત્રણ ફ્લેટ પરનો કેપિટલ ગેઇન ઘટી ગયો હતો, જ્યારે ચોથા ફ્લેટના કિસ્સામાં નવી ગણતરીથી શોર્ટ-ટર્મ કેપિટલ લોસ (ટૂંકા ગાળાનું નુકસાન) દર્શાવાયું હતું. કમિશનર ઇન્કમટેક્સ અપીલે  નેશનલ ફેસલેસ અપીલ સેન્ટર સમક્ષની તેમની અપીલ ફગાવી દેવામાં આવી હતી, જેથી તેઓ આ મામલો ITAT માં લઈ ગયા હતા.

કરદાતાની તરફેણમાં શું કામ કરી ગયું?

ટ્રિબ્યુનલ સમક્ષ મુખ્ય મુદ્દો એ હતો કે શું આ ખર્ચાઓ વાસ્તવિક હતા કે નહીં. કરદાતાને આ બાબતોનો લાભ મળ્યો હતો. એક, બેન્કિંગ ચેનલથી જ ચૂકવણી કરવામાં આવી હતી. ITAT એ નોંધ્યું કે તમામ ચુકવણીઓ બેંકિંગ માધ્યમો દ્વારા કરવામાં આવી હતી અને ટેક્સ ઓથોરિટી આ ચુકવણીઓ બોગસ હોવાનું સાબિત કરી શકી ન હતી. બીજું, ટ્રિબ્યુનલે એ દલીલ નકારી કાઢી કે સોદો પૂર્ણ થયા પછી ચુકવણી થઈ હોવાના કારણે બ્રોકરેજ રદ કરી શકાય. સોદો પૂર્ણ થતાં જ બ્રોકરેજની જવાબદારી ઊભી થાય છે, અને ચુકવણી પાછળથી થઈ શકે છે.
ત્રીજું, એપેલેટ ટ્રિબ્યુનલે સ્પષ્ટ કર્યું કે AO કદાચ સુધારેલા રિટર્ન વિના નવો દાવો સ્વીકારી ન શકે, પરંતુ અપીલેટ ઓથોરિટી (ટ્રિબ્યુનલ) સમક્ષ રજૂ કરાયેલા વાસ્તવિક દાવાની ચકાસણી કરવાની અને તેને માન્ય રાખવાની સત્તા તેમની પાસે છે. ટ્રિબ્યુનલે આખરે સિંહનો દાવો માન્ય રાખ્યો અને વધારાની ટેક્સ માંગણીઓ રદ કરવાનો આદેશ આપ્યો. આ આદેશ ૩ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો.
હા. મુંબઈ ITAT એ ચુકાદો આપ્યો છે કે જો યોગ્ય દસ્તાવેજો અને પુરાવા હોય, તો અપીલના તબક્કે વાસ્તવિક દાવાની ચકાસણી કરી શકાય છે.  તમામ ચુકવણીઓ બેંકિંગ ચેનલો દ્વારા કરવામાં આવી હતી અને ટેક્સ વિભાગ આ ખર્ચાઓ બનાવટી કે અવાસ્તવિક હોવાનું સાબિત કરી શક્યો ન હતો. હા. ITAT એ અવલોકન કર્યું કે સોદો પૂર્ણ થયા પછી બ્રોકરેજ ચૂકવવાપાત્ર બની શકે છે, તેથી ફક્ત મોડી ચુકવણીના આધારે તેને ના મંજૂર કરી શકાય નહીં.

Read Previous

ઈ-ચલણ નહિ ભરો તો ૭૫ દિવસ બાદ વાહન સંબંધિત સેવાઓ થઈ જશે બંધઃ ગુજરાત પોલીસ

Most Popular