• 23 August, 2026 - 12:34 AM

ગુજરાતમાં બ્લડ પ્રેશર ને હાર્ટની દવાના ૧૫ ડીલરો ફૂડ એન્ડ ડ્રગ કચેરીની ઝપટમાંઃ ડુપ્લિકેટ બેચની દવા વેચતા પકડાયા

મૂળ કંપનીના નામે બોગસ બેચનંબરથી દવા બજારમાં મૂકી: 17થી 18 ટકા ડિસ્કાઉન્ટથી દવા વેચાતા શંકા જાગી

 નડિયાદ અને ભાવનગરથી રુ. ૩.૫૦ લાખની કિંમતનો ડુપ્લિકેટ  નિકાર્ડિયા રિટાર્ડનો જથ્થો મળ્યો

અમદાવાદઃ બ્લડ પ્રેશર અને હાર્ટના દરદીઓ માટે વપરાતી નિકાર્ડિયા રિટાર્ડની ૧૦ અને ૨૦ એમજીની ડુપ્લિકેટ દવા પકડી પાડવા માટે પાડવામાં આવેલા દરોડામાં ભાવનગર અને નડિયાદના ડીલરો પાસેથી અંદાજે રૃા. ૩.૫ લાખના મૂલ્યની દવાઓ મળી આવી છે. આ ડુપ્લિકેટ દવાના સેમ્પલ લઈને વડોદરાની લે બોરેટરીમાં તપાસ માટે મોકલી આપવામાં આવી છે. જોકે બાકીના  ૧૫થી વધુ ડિલરો પર પાડવામાં આવેલા દરોડામાં મોટાભાગના ડીલરોએ તેમની પાસ આવેલી દવાઓ વેચી દીધી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જોકે આ ડીલરોને બચાવવાની આંતરિક કવાયત ચાલી રહી હોવાની વાતાઓ જોર પકડયું છે. તેથી જ તેમની પાસેથી દવા ન મળી હોવાનું જણાવવામાં આવી રહ્યું હોવાનું દવા બજારના જાણકાર સૂત્રોનું કહેવું છે.

જોકે આ પંદર ડિલરોએ કોની પાસેથી કેટલા જથ્થામાં દવાઓ ખરીદી છે તેની તપાસ હજી કરવામાં આવી ન હોવાથી તેમને બચાવવાની કવાયત કરવામાં આવી રહી હોવાની આશંકા દવા બજારના સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. જાણકાર સૂત્રોના જણાવ્યા મુજબ અંદાજે ૨૪૦૦૦ સ્ટ્રીપ જપ્ત કરવામાં આવી છે. તેમાંથી મોટાભાગની સ્ટ્રીપ વેચાઈ ગઈ હોવાનું કહેવાય છે.

ગુજરાતની ટોચની પાંચ ફાર્માએ હસ્તગત કરેલી જે.બી. કેમિકલ્સની બ્લડપ્રેશનર અને હાર્ટના દરદીઓ માટેની દવા નિકાર્ડિયા રિટાર્ડની બ્રાન્ડની માલિકી ધરાવે છે. ટોરેન્ટ ફાર્માએ થોડા સમય પહેલા જ આ બ્રાન્ડ એક્વાયર-હસ્તગત કરી હતી. ત્યારબાદ તેમની આ દવા ડુપ્લીટેક બેચ નંબરથી બજારમાં મૂકવામાં આવતા તેમણે ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરીના લેખિતમાં ફરિયાદ કર્યા પછી આ દરોડા પાડવામાં આવ્યા છે. હવે દરોડા દરમિયાન મળેલી માહિતી મુજબ આ દવાઓ લખનૌના કોઈ સપ્લાયર પાસેથી મંગાવવામાં આવી હતી. પરિણામે લખનૌ તરફ તેની તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

આ દરોડા પાડયા પછી જપ્ત કરવામાં આવેલા સેમ્પલ્સ વડોદરા સ્થિત ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરી હેઠળ ચાલતી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવી છે. આ લેબોરેટરીમાંથી દસેક દિવસમાં જ રિપોર્ટ આવી જવાની સંભાવના છે.લેબોરેટરીમાં દવાના ઘટકો અને માનવ શરીરમાં ગયા પછી તે કેટલા સમયમાં અસર કરવા માંડશે તે સહિતની બાબતોના અખતરા કરીને પછી રિપોર્ટ આપવામાં આવશે.

આ દવાઓ તેના બજાર ભાવ કરતાં ઘણાં સસ્તા દામે વેચતા હોવાથી  આ દવાઓ ડુપ્લિકેટ હોવાની આશંકા સાથે અમદાવાદ અને વડોદરા સહિતના વિસ્તારોના ડીલરો પર દરોડા પાડવામાં આવ્યા છે. ડીલરોને કાયદેસર ૧૦ ટકા જ માર્જિન મળતાં હોવા છતાં તેઓ ૧૭થી ૧૮ ટકા ડિસ્કાઉન્ટથી દવાઓ વેચતા હોવાથી તેઓ ડુપ્લિકેટ કે સબસ્ડાન્ડર્ડ દવાઓ વેચતા હોવાની આશંકા સાથે દરોડા પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. નિકાર્ડિયા રિટાર્ડમાં બ્લડ પ્રેશર અને હૃદયના ધબકારાને અંકુશમાં રાખવા માટે નિફિડિફિન નામનું ઘટક નાખવામાં આવે છે. પરંતુ આ દવાઓ અહીંના ડીલરે દિલ્હીના કેટલાક સપ્લાયરો પાસેથી લાવીને સસ્તા દામે વેચતા હોવાથી શંકા જન્મી છે.

પ્રિસ્ક્રિપ્શન વિના જ એન્ટિબાયોટિક્સનો વેપાર કરનારા કેમિસ્ટો અને ડીલરો પર રાજ્યવ્યાપી દરોડા

નિકાર્ડિયા રિટાર્ડમાં બ્લડ પ્રેશર અને હૃદયના ધબકારાને અંકુશમાં રાખવા માટે નિફિડિફિન નામનું ઘટક નાખવામાં આવે છે. પરંતુ આ દવાઓ અહીંના ડીલરે દિલ્હીના કેટલાક સપ્લાયરો પાસેથી લાવીને સસ્તા દામે વેચતા હોવાથી શંકા જન્મી છે.  આ સંદર્ભમાં સાણંદ વિસ્તારમાંથી એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છું. આ કેસમાં વધુ વિગતો આવતીકાલ સાંજ સુધીમાં આપવામાં આવે તેવી સંભાવના ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરીના સૂત્રોનું કહેવું છે.  જોકે તબીબી ક્ષેત્રોના સૂત્રોને આ મામલામાં ભીનું સંકેલાઈ જવાની દહેશત છે. ગુજરાતની બહારના રાજ્યોમાં પણ આ દવાઓ સસ્તા દામે વેચનારાઓ પર દરોડા પાડીને તેમના લાઈસન્સ પણ કેન્સલ કરી દીધા હોવાનું જાણવા મળી રહ્યું છે.

બીજીતરફ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં સબસ્ડાન્ડર્ડ એન્ટિબાયોટિક્સ વેચાતા હોવાની આશંકાને આધારે સમગ્ર ગુજરાતના ૩૩ જિલ્લાઓમાંથી આજે એન્ટિબાયોટિક્સના સેમ્પલ કલેક્શનની ડ્રાઈવ શરુ કરવામાં આવી છે. ગ્રામિણ વિસ્તાર પર તેમાં વિશેષ ફોકસ કરવામાં આવ્યું છે. ગ્રામિણ વિસ્તારમાં વેચાતી દવાઓની ગુણવત્તાની ખાતરી કરવા માટે આજે આ કવાયત ચાલુ કરવામાં આવી હોવાનું ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરીના સૂત્રોનું કહેવું છે.

દરમિયાન પ્રિસ્ક્રિપ્શન વિના જ એન્ટિબાયોટિક્સ વેચનારાઓ સામે પણ ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરીએ શરૃ કરેલી ઝુંબેશના ભાગરૃપે આજે સમગ્ર ગુજરાતમાં ઝુંબેશ ચાલુ કરવામાં આવી હોવાનું કચેરીના સૂત્રોનું કહેવું છે. એન્ટિબાયોટિક્સ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના ન વેચવાની હોવા છતાંય તેનો પ્રિસ્ક્રિપ્શન વિના બેફામ વેપાર કરવામાં આવતો હોવાનું ધ્યાનમાં આવતા ઝુંબેશ પણ ચાલુ કરી દેવામાં આવી છે.

Read Previous

રૃ. ૨૧.૪૯ કરોડની બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેનાર અજયકુમાર શાહની  ધરપકડ

Read Next

ITR સફળતાપૂર્વક ફાઈલ થઈ ગયું? ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ મોકલી શકે છે આ 8 નોટિસ, જાણો શું કરવું

Most Popular