• 29 August, 2026 - 10:26 AM

વિદેશી મિલકત જાહેર કરી દેવાની કરદાતાઓને CBDTએ છેલ્લી તક આપી

વિદેશી સંપત્તિના ઝડપી ખુલાસા કરી દેવાની સીબીડીટીએ કરદાતાઓને તક આપી

રૂ.એક કરોડની જાહેર ન કરેલી મિલકત પર રૂ. 30 લાખનો વેરો અને રૂ. 30 લાખ દંડ  ચૂકવવો પડશે

સીબીડીટીના નવા નિયમો અનુસાર વિદેશી મિલકતોની વિગતો 31 ડિસેમ્બર 2026 સુધીમાં ફાઇલ કરી દેવાની રહેશે

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શુક્રવાર

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે ભારતીય કરદાતાઓને અમુક વિદેશી સંપત્તિઓ જાહેર કરવાની આપેલી મર્યાદિત તકનો લાભ ન ઊઠાવનારા કરદાતાઓ આગામી મહિનાઓમાં તકલીફમાં આવી શકે છે. આ ડિસ્ક્લોઝર સ્કીમમાં મિલકતના મૂલ્યાંકન નિયમો, સમયમર્યાદા અને સંભવિત ટેક્સ ખર્ચનો સમાવેશ કરવામાં આવ્યો છે.  સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ નવી ‘ફોરેન એસેટ્સ ઓફ સ્મોલ ટેક્સપેયર્સ-ડિસ્ક્લોઝર સ્કીમ’ની શરૂઆત કરી છે.  પંદરમી ઓગસ્ટના અરસામાં જાહેર કરવામાં આવેલી આ યોજના હેઠળ જાહેર ન કરવામાં આવેલી વિદેશી સંપત્તિ કે વિદેશથી આવક ધરાવતા કરદાતાઓને સાચી માહિતી આપવાની તક પૂરી પાડવામાં આવે છે. તેની સાથે તેમની વિદેશ સ્થિત સંપત્તિ અને મૂલ્યાંકન લાગુ પડતા નિયમો પાલન કરવા જણાવવામાં આવ્યું છે.

સીબીડીટીના નવા નિયમો અનુસાર વિદેશી મિલકતોની વિગતો 31 ડિસેમ્બર 2026 સુધીમાં ફાઇલ કરી દેવાની રહેશે. તેનું મૂલ્યાંકન 31 માર્ચ 2026ની સ્થિતિએ કરવાનું રહેશે. આ સરળ પગલાં કરદાતાઓને તેમના ટેક્સ રિટર્નને લગતી કોઈપણ વિસંગતતાઓને મૈત્રીપૂર્ણ રીતે ઉકેલવામાં મદદ કરશે.  કરદાતાઓ રૂ. એક કરોડથી ઓછી રકમની વિદેશી સંપત્તિ ડિસ્ક્લોઝ  કરે તો તે આવક પર 30 ટકા ટેક્સ અને તેના જેટલી જ એટલે કે 100 ટકા પેનલ્ટી લાગી શકે છે. આનો અર્થ એ થાય કે જો આ લાગુ કરવામાં આવે, તો કુલ મૂલ્યના 60 ટકા અસરકારક રીતે જતા રહેશે.

આ સંપત્તિ બિન-નિવાસીની હોય અને અગાઉ રિપોર્ટ ન કરવામાં આવેલી હોય તો કે પછી તેના પર ટેક્સ ચૂકવાઈ ગયો હોય તો કઈ આવકમાંથી ખરીદવામાં આવી છે તેની સ્પષ્ટતા કરવી પડશે. આ મિલકતનું મૂલ્ય રૂ. 5 કરોડથી ઓછું હોય તો માત્ર રૂ. 1 લાખની ફ્લેટ ફી કે શૂન્ય ફી ભરવાની આવી શકે છે. આ મિલકત માટે લાગુ પડતા નિયમોની સ્પષ્ટ સમજના અભાવે ખોટું વર્ગીકરણ કરવાથી ગંભીર કાનૂની પરિણામો આવી શકે છે.

કોઈપણ શંકાના કિસ્સામાં, સંબંધિત FAQ વિભાગ સાથે CBDT ના સત્તાવાર નોટિફિકેશનનો સંદર્ભ લેવો ડહાપણભર્યું છે. કરદાતાઓએ પાછળથી કાનૂની અને નાણાકીય જટિલતાઓથી બચવા માટે વ્યાવસાયિક માર્ગદર્શન પણ મેળવવું જોઈએ.

તમારી વિદેશી સંપત્તિનું મૂલ્યાંકન કેવી રીતે થશે?

સંપત્તિનો પ્રકાર મૂલ્યાંકન કેવી રીતે થાય છે
સોનું, જવેલરી, આર્ટવર્ક ખરીદી કિંમત અથવા મૂલ્યાંકનકાર (વેલ્યુઅર) દ્વારા નિર્ધારિત બજાર મૂલ્ય, બેમાંથી જે વધારે હોય
લિસ્ટેડ શેર્સ ખરીદી કિંમત અથવા નિર્ધારિત સ્ટોક-એક્સચેન્જ મૂલ્ય, બેમાંથી જે વધારે હોય
અનલિસ્ટેડ શેર્સ ખરીદી કિંમત અથવા નિર્ધારિત ફોર્મ્યુલા હેઠળ ગણવામાં આવેલ મૂલ્ય, બેમાંથી જે વધારે હોય
પ્રોપર્ટી ખરીદી કિંમત અથવા મૂલ્યાંકનકાર દ્વારા નિર્ધારિત મૂલ્ય, બેમાંથી જે વધારે હોય
વિદેશી બેંક ખાતું ખાતામાં જમા થયેલી રકમની નિર્ધારિત ગણતરીના આધારે
અન્ય સંપત્તિઓ ખરીદી કિંમત અથવા નિર્ધારિત બજાર મૂલ્ય, બેમાંથી જે વધારે હોય

દરેક સંપત્તિના પ્રકાર માટે નિર્ધારિત પદ્ધતિનો ઉપયોગ કરીને વિદેશી સંપત્તિનું મૂલ્યાંકન કરવું આવશ્યક છે. સામાન્ય રીતે, ફેર માર્કેટ વેલ્યુ-વાજબી બજાર મૂલ્ય એ સંપાદન કિંમત-ખરીદી કિંમત) અથવા નિર્ધારિત બજાર મૂલ્ય કે મૂલ્યાંકનકાર-આધારિત મૂલ્યમાંથી જે વધારે હોય તે છે પ્રમાણે ટેક્સની જવાબદારી ઊભી કરવામાં આવશે.  બેંક ખાતાઓ માટે ગણતરી માત્ર ક્લોઝિંગ બેલેન્સને બદલે ડિપોઝિટ હિસ્ટ્રી (જમા નાણાંના ઇતિહાસ) પર આધારિત રહેશે.  હવે, વિદેશી બેંક ખાતાનું મૂલ્યાંકન તે ખૂલ્યા ત્યારથી અત્યાર સુધીની કુલ જમા રકમ (ક્યુમ્યુલેટિવ ડિપોઝિટ) દ્વારા કરવામાં આવે છે. તેનું મૂલ્યાંકન તેના આખરી બેલેન્સ (ક્લોઝિંગ બેલેન્સ) પરથી થતું નથી. આ કિસ્સામાં ઇતિહાસ મહત્વ ધરાવે છે, ઉપરાંત, જો ફંડ્સ નવી સંપત્તિઓમાં પુનઃરોકાણ કરવામાં આવે છે ઐટલૈ કૈ પ્રોપર્ટી વેચાઈ ગયા પછી મળેલી રકમ જમા થઈ ગઈ હોય અથવા તો તેમાંથી  નવી પ્રોપર્ટી ખરીદી હોય તો અસલ સંપત્તિનું મૂલ્ય પુનઃરોકાણની રકમ જેટલું ઘટી જાય છે. નવી સંપત્તિ સ્વતંત્ર ધોરણે રહે ઊભી કરવામાં આવે છે. આમ જવાબદારી નાણાંના ચાલતા આવેલા પ્રવાહ પ્રમાણે જ કરવામાં આવશે.

ઘોષણા પર કેટલીક છૂટછાટ

મહત્વપૂર્ણ  એ છે કે મૂલ્યાંકનમાં 20 ટકાનો તફાવત હશે તો પણ કરાયેલી ઘોષણા અમાન્ય ઠરશે નહીં. ઓર્ડર મળ્યાના બે મહિના પછી બાકી લેણાં ચૂકવવાની મંજૂરી છે, વત્તા લાભ આખરે રદ થાય તે પહેલાં 1 ટકા માસિક વ્યાજ સાથે વધુ બે મહિના મળશે. તેથી, માત્ર ડિસ્ક્લોઝર જ નહીં પરંતુ યોગ્ય વર્ગીકરણ, ટેક્સ કાયદાની સમજ અને મૂલ્યાંકનની વિભાવનાઓ નક્કી કરે છે કે તમે રૂ. 1 લાખ ચૂકવશો કે 60 ટકા ટેક્સ તે તમારે તમારા કાયદાની નિષ્ણાતની સલાહ લઈને નક્કી કરવાનું છે. આ માટેની છેલ્લી તારીખ સુધી રાહ જોવા અને નિષ્ક્રિયતા તથા અસ્પષ્ટતાને કારણે પાછળથી કાનૂની અને નાણાકીય જટિલતાઓનો સામનો કરવા કરતાં, અત્યારે જ ગણતરી કરી લેવી, ટેક્સ વ્યાવસાયિકોની સલાહ લેવી, શંકા દૂર કરવી અને સચોટ ગણતરી પર પહોંચવું વધુ સારું છે.

Read Previous

મૃત્યુથી ટેક્સની જવાબદારીઓનો અંત આવતો નથી: કરદાતાના અવસાન પછી કાનૂની વારસદારોએ શું કરવું જોઈએ

Read Next

MCA દ્વારા ઓડિટર્સ માટેના ત્રણ વર્ષના કૂલિંગ-ઓફ પિરિયડને હળવો કરવામાં આવે તેવી શક્યતા

Most Popular