• 10 September, 2026 - 10:32 AM

વધતા સાયબર ફ્રોડથી ગ્રાહકો જોખમથી ખાતેદારોને બચાવવા માટે  બેન્કોએ સિક્યુરિટી અને ડિજિટલ સાક્ષરતામાં રોકાણ વધારવું પડશે

વધતા સાયબર ફ્રોડથી ગ્રાહકો જોખમથી ખાતેદારોને બચાવવા માટે  બેન્કોએ સિક્યુરિટી અને ડિજિટલ સાક્ષરતામાં રોકાણ વધારવું પડશે: બેન્ક ઓફ બરોડાના CEO

મુંબઈ: ટેકનોલોજીના વધતા ઉપયોગની સાથે સાયબર ફ્રોડ અને ‘ડિજિટલ એરેસ્ટ’ જેવી છેતરપિંડીના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે ગ્રાહકોની સુરક્ષા માટે બેન્કિંગ ક્ષેત્રે સાયબર સિક્યુરિટી અને ડિજિટલ સાક્ષરતા પાછળ વધુ રોકાણ કરવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે, એમ ગ્લોબલ ફિનટેક ફેસ્ટ દરમિયાન બેન્ક ઓફ બરોડાના એમડી અને સીઈઓ (MD & CEO) દેવદત્ત ચાંદે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, સાયબર જોખમ કાગળ પર નથી પરંતુ વાસ્તવિક છે અને તેની સામે રક્ષણ મેળવવા માટે બેન્કોએ ટેકનોલોજીકલ સુરક્ષા મજબૂત કરવી પડશે.

બેન્કિંગ ક્ષેત્રે સાયબર ફ્રોડના બે મુખ્ય પાસાં

દેવદત્ત ચાંદના જણાવ્યા અનુસાર સાયબર ફ્રોડ મુખ્યત્વે બે સ્તરે જોવા મળે છે. એક, ગ્રાહકો સરળતાથી ‘ડિજિટલ એરેસ્ટ’ કે અન્ય સાયબર આ આક્રમણોની જાળમાં ફસાઈ જાય છે. આ નબળાઈને દૂર કરવાનો એકમાત્ર ઉપાય નાણાકીય અને ડિજિટલ સાક્ષરતા વધારવાનો છે. બે, બેન્કો પર દરરોજ અનેક સાયબર હુમલાઓ થાય છે. જ્યાં સુધી મોટો હુમલો ન થાય ત્યાં સુધી તેની ગંભીરતા સમજાતી નથી. તેથી બેન્કોએ આ ક્ષેત્રે આધુનિક સુરક્ષા વ્યવસ્થા પાછળ બજેટ વધારવું પડશે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ અને ‘ફિજિટલ’ શાખાઓનો વ્યાપ વધારો

બેન્કિંગ કામગીરીને વધુ સુગમ અને સુરક્ષિત બનાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ વધારવામાં આવી રહ્યો છે. બેન્ક ઓફ બરોડા ગ્રાહકો સાથેના સંપર્ક, પ્રોડક્ટ મેનેજમેન્ટ, અંડરરાઇટિંગ અને કસ્ટમર કેર માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી રહી છે. આ ઉપરાંત, કન્વર્સેઝનલ બેન્કિંગ માટે ‘અદિતિ’ (Aditi) નામનું જનરેટિવ AI વર્ચ્યુઅલ રિલેશનશિપ મેનેજર પણ કાર્યરત છે. ભારતની વિશાળ વસ્તીને ધ્યાનમાં રાખીને બેન્કે ડિજિટલ અને માનવ સહાયના સમન્વયવાળી ૩૦ ‘ફિજિટલ’ શાખાઓ શરૂ કરી છે. ભવિષ્યમાં મોટાભાગની પરંપરાગત શાખાઓને ફિજિટલ મોડેલમાં રૂપાંતરિત કરવાનું પણ આયોજન છે.

Read Previous

આજે ઇન્ટ્રાડે નિફ્ટીમાં શું થઈ શકે?

Read Next

ઇન્ડેક્સમાં ગરબડ કરવાના કેસમાં રૂ. ૨.૯૬ કરોડ જમા કરાવ્યા બાદ જેપી મોર્ગન પરથી SEBIએ ટ્રેડિંગ પ્રતિબંધ હટાવ્યો

Most Popular