• 19 September, 2026 - 5:14 PM

ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ બોમ્બે હાઇકોર્ટનો મોટી રાહત આપતો ચુકાદો

ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ બોમ્બે હાઇકોર્ટનો મોટી રાહત આપતો ચુકાદો
રેસ્ટોરાં કે ફૂડ આઉટલેટના અસુરક્ષિત ખોરાકના કારણે કોઈ ગ્રાહકને નુકસાન થાય તો કલમ ૬૫ હેઠળ ભારે વળતર ચૂકવવું પડશે
ક્ષતિઓ દૂર કર્યા બાદ સસ્પેન્શન તાત્કાલિક રદ કરવું પડશે, રેસ્ટોરાં માલિકોને થશે મોટો નાણાકીય અને કાનૂની ફાયદો પણ ચોક્કસ થશે
“જો ફૂડ બિઝનેસ દ્વારા સત્તાવાળાઓ દ્વારા દર્શાવવામાં આવેલી તમામ ક્ષતિઓ પૂર્ણ કરી દેવામાં આવે, તો ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનએ તાત્કાલિક અસરથી સસ્પેન્શન ઓર્ડર પાછો ખેંચવો પડશે.”એમ મુંબઈ હાઈકોર્ટે એક ચુકાદો આપતા જણાવ્યું છે. સામાન્ય રીતે ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા લાઇસન્સ સસ્પેન્ડ કર્યા બાદ, રેસ્ટોરાં માલિકો તમામ ક્ષતિઓ દૂર કરી દે છતાં પણ સરકારી દફતરોની ધીમી પ્રક્રિયાને કારણે લાઇસન્સ પૂર્વવત કરવામાં અઠવાડિયાં કે મહિનાઓ નીકળી જતા હતા. સિદ્ધાર્થ એગ્રો વિ. મહારાષ્ટ્ર રાજ્ય (૨૦૨૬) કેસમાં બોમ્બે હાઇકોર્ટે બહુ મહત્વનો નિર્ણય આપતા ઠેરવ્યું છે તેથી રેસ્ટોરાં માલિકોને મોટી રાહત મળશે.
મહારાષ્ટ્ર સહિત દેશભરમાં ખાદ્યપદાર્થોના વેપાર સાથે જોડાયેલી હોટલો, રેસ્ટોરાં અને ફૂડ બિઝનેસ ઓપરેટર્સ સામે ખોરાકની ગુણવત્તા અને અસ્વચ્છતા અંગે તાજેતરમાં સેન્સિટિવ કાર્યવાહી કરીને લાઇસન્સ રદ કે સસ્પેન્ડ કરવાની ઝુંબેશ ચલાવવામાં આવી છે. ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ્સ એક્ટ (FSS એક્ટ), ૨૦૦૬ ના કાયદાકીય માળખા અનુસાર, જોકે તંત્ર પાસે જાહેર આરોગ્યના હિતમાં તાત્કાલિક લાઇસન્સ રદ કરવાની સત્તા છે, પરંતુ બોમ્બે હાઇકોર્ટના તાજેતરના ચુકાદાથી હવે દેશભરના રેસ્ટોરાં માલિકોને મોટો આર્થિક અને કાનૂની રાહત મળી છે.
હાઇકોર્ટના આ નિર્ણઇથી રેસ્ટોરાં માલિકોને લાભ થશે
લાઇસન્સ બિનજરૂરી રીતે લાંબો સમય સસ્પેન્ડ રહેવાથી રેસ્ટોરાં માલિકો, કામદારો અને સપ્લાય ચેઇનને થતા દૈનિક કરોડોના આર્થિક નુકસાનમાંથી મુક્તિ મળશે. બીજું, રેસ્ટોરાં માલિકોએ તેમની ક્ષતિ સુધારી લીધા પછી પણ લાઇસન્સ ચાલુ કરાવવા માટે રેસ્ટોરાં માલિકોએ હવે હાઇકોર્ટના દરવાજા ઠોકવા પડશે નહીં. પરિણામે વકીલોની ફી અને કોર્ટના કિંમતી સમયની મોટી બચત થશે. બીજું, કાયદો હવે સ્પષ્ટપણે રેસ્ટોરાં માલિકોને સુધારા કરવાની સૂચના આપતી નોટિસ આપીને પોતાની ભૂલો સુધારવાની યોગ્ય તક આપવા પર ભાર મૂકે છે, જેથી એક નાની ભૂલના કારણે આખો ધંધો ઠપ્પ નહીં થાય.

ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ લાઇસન્સ રદ અને અપીલની કાયદાકીય પ્રક્રિયા

એક, કાયદાની કલમ ૩૨ મુજબ, ડેઝિગ્નેટેડ ઓફિસર પહેલા ‘ઇમ્પ્રૂવમેન્ટ નોટિસ’ આપે છે. જો બિઝનેસ સુધારો ન કરે તો સુનાવણીની તક આપીને જ સસ્પેન્શન થાય છે. સસ્પેન્શન બાદ ઓછામાં ઓછા ૧૪ દિવસમાં ફરી તપાસ કરવામાં આવે છે. જો જાહેર આરોગ્ય માટે તાત્કાલિક જોખમ હોય તો જ અધિકારીઓ લેખિત કારણો દર્શાવીને તાત્કાલિક લાઇસન્સ અટકાવી શકે છે. અધિકારીના નિર્ણય સામે રેસ્ટોરાં માલિક ૧૫ દિવસની અંદર ‘કમિશનર ઓફ ફૂડ સેફ્ટી’ ને અપીલ કરી શકે છે. લાઇસન્સ કેન્સલ થયાના ૩ મહિના બાદ તમામ સૂચનોનું પાલન કરીને નવેસરથી અરજી કરી શકાય છે.

ગ્રાહક ઈજા કે મૃત્યુના કિસ્સામાં વળતરનું કડક જોગવાઈઓ

જો રેસ્ટોરાં કે ફૂડ આઉટલેટના અસુરક્ષિત ખોરાકના કારણે કોઈ ગ્રાહકને નુકસાન થાય તો કલમ ૬૫ હેઠળ ભારે વળતર ચૂકવવું પડશે. રેસ્ટોરાં માલિકોએ રૂ. ૫ લાખથી ઓછું નહીં તેટલું વળતર આપવું પડશે. ૩૦ દિવસમાં વચગાળાની રાહત આપવી પડશે. ગંભીર ઇજાના કિસ્સામાં રેસ્ટોરાં માલિકોએ રૂ. ૩ લાખ સુધીનું વળતર ચૂકવવું પડશે. તેમ જ રૂ. ૧ લાખ સુધીનું વળતર આપવું પડશે.  તદુપરાંત ગુનેગાર રેસ્ટોરાં માલિકનો ખર્ચો બોલાવી વર્તમાનપત્રમાં અપરાધની જાહેરાત છાપવા, માલ પરત ખેંચવા કે મિલકત જપ્ત કરવા સુધીના કડક પગલાં પણ ભરી શકાય છે. આ ચુકાદા બાદ ફૂડ સેફ્ટી ઓથોરિટીની મનસ્વી કાર્યવાહી પર અંકુશ આવશે. જ્યાં સુધી રેસ્ટોરાં માલિકો સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના તમામ નિયમોનું યોગ્ય પાલન કરશે, ત્યાં સુધી કાયદો તેમને ઝડપથી બિઝનેસ પુનઃ શરૂ કરવાની ખાતરી પણ ચોક્કસ આપવામાં આવશે.

Read Previous

સિનેમા પર સેન્સરશિપનો નવો કડક પંજો: CBFCના નવા સર્ટિફિકેશન નિયમોથી ફિલ્મ ઉદ્યોગમાં મોટો ફેરફાર

Read Next

CBDTએ નિયમો જાહેર થતાં આવકવેરાના બાકી લેણાં માટે કરદાતાઓની અટકાયત કે ધરપકડ નહીં કરી શકાય

Most Popular