• 19 September, 2026 - 5:14 PM

CBDTએ નિયમો જાહેર થતાં આવકવેરાના બાકી લેણાં માટે કરદાતાઓની અટકાયત કે ધરપકડ નહીં કરી શકાય

CBDTએ નિયમો જાહેર થતાં આવકવેરાના બાકી લેણાં માટે કરદાતાઓની અટકાયત કે ધરપકડ નહીં કરી શકાય
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ ‘ઇનકમ-ટેક્સ (ફોર્થ એમેન્ડમેન્ટ) રૂલ્સ, ૨૦૨૬’ નું નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવ્યું હોવાથી કરદાતાની “ધરપકડ અને અટકાયત”ની જોગવાઈઓ પહેલી એપ્રિલ ૨૦૨૬થી રદ થઈ જતાંકરચોરી કે ડિફોલ્ટના કિસ્સામાં અધિકારીઓ હવે વ્યક્તિગત અટકાયત કરી શકશે નહીં.  આ નવા સુધારા હેઠળ આવકવેરા વિભાગે ટેક્સ રિકવરીના નિયમોમાં કર્યા છે. 
રૂલ ૨૨૫ માં સુધારો અને પ્રોપર્ટી-બેઝ્ડ રિકવરી
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે ઇનકમ-ટેક્સ રૂલ્સના નિયમ નંબર ૨૨૫માં સુધારો કરીને ધરપકડના નિયમો દૂર કર્યા છે. આ પગલું કેન્દ્રીય બજેટ ૨૦૨૬-૨૭ ની “ટેકનિકલ ભૂલો અને નાના ગુનાઓના વિ-ગુનાહિતકરણ” – ડિક્રિમિનાલાઈઝેશનની જાહેરાત કરી દેવામાં આવી છે. પરિણામે હિસાબી ચોપડાંઓ કે પછી ટીડીએસની ચૂકવણીમાં ભૂલ જેવા ક્ષુલ્લક ગુનાઓ માટે જેલની સજા નહીં પણ માત્ર નાણાકીય દંડ જ લાગુ કરવામાં આવશે. ટેક્સ રિકવરી હવે માત્ર મિલકત જપ્તી અને વેચાણ દ્વારા જ હાથ ધરાશે.
કરદાતાના મૃત્યુના કિસ્સામાં રાહત
જો ટેક્સ ડિફોલ્ટર કરદાતાનું મૃત્યુ થાય, તો તેવા કિસ્સામાં પણ વસુલાત માટે કાનૂની વારસદારો સામે કોઈ પણ પ્રકારની અટકાયત કે કડક કાર્યવાહી કરી શકાશે નહીં. નવા ઇનકમ-ટેક્સ એક્ટ ૨૦૨૫ના માળખા હેઠળ વર્તમાન વેલ્યુઅર્સ અને અધિકૃત આવકવેરા પ્રેક્ટિશનર્સને નોંધણી પૂર્ણ કરવા માટે વધુ ૬ મહિનાનો સમય આપીને આ મુદત 31મી માર્ચ 2027 સુધી લંબાવવામાં આવી છે.
ફોર્મ ૧૬૯ અને ફોર્મ ૧૭૧ હેઠળ કડક ડિસ્ક્લોઝર
વેલ્યુઅર્સ માટેના ફોર્મ ૧૬૯ હેઠળ અરજદારે શૈક્ષણિક લાયકાત, અનુભવ, મિલકતની શ્રેણી અને હિતોના સંઘર્ષ ન હોવાની વિગતો આપવી પડશે. જ્યારે આવકવેરા પ્રેક્ટિશનર્સ માટેના ફોર્મ ૧૭૧ હેઠળ વ્યવસાયિક ગેરવર્તણૂક, નાદારી કે કોઈપણ છેતરપિંડીના ગુના અંગેની ચોક્કસ જાહેરાત કરવી ફરજિયાત બનાવવામાં આવી છે.

Read Previous

ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ બોમ્બે હાઇકોર્ટનો મોટી રાહત આપતો ચુકાદો

Most Popular