• 7 August, 2026 - 9:52 AM

મ્યુચ્યુઅલ ફંડમાં એકદમ સરખું રોકાણ, મુદત છતાં કમાણી અલગ અલગ કેમ આવી શકે

સરખા મ્યુચ્યુઅલ ફંડ, સરખી SIP, સરખા ૧૦ વર્ષ — છતાં એક રોકાણકારે રૂ. ૩ લાખ વધુ કેમ કમાયા. અહીં જાણો શા માટે

બે મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોની કલ્પના કરો જેઓ એક જ સમયગાળા માટે સમાન SIP રકમનું રોકાણ કરે છે, એક જ ફંડમાંથી વળતર મેળવે છે અને બજારનું સમાન સ્તરનું જોખમ લે છે. છતાં, એક રોકાણકાર પાસે બીજા રોકાણકારની સરખામણીમાં તેમના રોકાણ ભંડોળમાં વધુ સંપત્તિ ભેગી થાય છે. શું તમે જાણો છો શા માટે? આ તફાવત ટાઇમિંગ અથવા બજારની કામગીરીને કારણે નથી, પરંતુ એક એકમાત્ર પરિબળને કારણે છે. આ પરિબળ એક્સપેન્સ રેશિયોનું છે. તે ડાયરેક્ટ અને રેગ્યુલર મ્યુચ્યુઅલ ફંડ્સ વચ્ચે અલગ-અલગ હોય છે.

એક્સપેન્સ રેશિયો એ નાનો વાર્ષિક ચાર્જ જેવો લાગી શકે છે, પરંતુ તે સીધા તમારા રોકાણના વળતરને ઘટાડે છે, અને લાંબા ગાળે, રેગ્યુલર અને ડાયરેક્ટ ફંડ્સ વચ્ચેનો એક્સપેન્સ રેશિયોનો આ નાનો તફાવત તમારા વળતરમાં લાખો રૂપિયાનો મોટો તફાવત ઊભો કરે છે. તેથી જ એસઆઈપીના ઇન્વેસ્ટર્સે શા માટે રેગ્યુલર અને ડાયરેક્ટ મ્યુચ્યુઅલ ફંડ પ્લાન વચ્ચે પસંદગી કરવી તે તમારી સંપત્તિ સર્જન પર નોંધપાત્ર અસર પાડી શકે છે.

નવા એક્સપેન્સ રેશિયો શાસનમાં ડિસ્ટ્રીબ્યુટર કમિશનમાં ઘટાડો જોવા મળ્યો

એક્સપેન્સ રેશિયો શું છે અને તે કેવી રીતે કામ કરે છે?

એક્સપેન્સ રેશિયો એ રોકાણના નાણાંનું સંચાલન કરવા માટે એસેટ મેનેજમેન્ટ કંપની દ્વારા વસૂલવામાં આવતી ફી છે, અને તે ફંડ ચલાવવા સંબંધિત ખર્ચાઓને આવરી લે છે, જેમ કે ફંડ મેનેજમેન્ટ, સંશોધન, વહીવટ, રજિસ્ટ્રાર ફી, માર્કેટિંગ અને અન્ય ઓપરેટિંગ ખર્ચ ગણાય છે. એક્સપેન્સ રેશિયો ફંડની સરેરાશ એસેટ્સ અંડર મેનેજમેન્ટના ટકા તરીકે દર્શાવવામાં આવે છે, અને ફંડ તમારા ખાતામાંથી ખર્ચને અલગ ચાર્જ તરીકે કાપતું નથી. તેના બદલે, ફંડ નેટ એસેટ વેલ્યુની ગણતરી કરતા પહેલા ફંડની સંપત્તિમાંથી દરરોજ ખર્ચનો એક નાનો હિસ્સો કાપી લે છે. નિર્ધારિત મહત્તમ મર્યાદાઓને આધીન, સ્કીમનો એક્સપેન્સ રેશિયો સમય સાથે બદલાઈ શકે છે. એસેટ મેનેજમેેન્ટ કંપનીઓ વિવિધ પરિબળોના આધારે એક્સપેન્સ રેશિયોની સમીક્ષા કરે છે અને તેમાં સુધારો કરે છે, અને કોઈપણ ફેરફાર ફંડની NAV માં પ્રતિબિંબિત થાય છે.

એક્સપેન્સ રેશિયોમાં ફેરફાર લાવતા મુખ્ય પરિબળોમાં અંતર્ગત સ્કીમ AUM માં ફેરફાર છે. જેમ જેમ ફંડનું AUM વધે છે, તેમ ઘણા નિશ્ચિત ઓપરેટિંગ ખર્ચ મોટા એસેટ બેઝ પર વહેંચાઈ જાય છે, જેનાથી AMC ને એક્સપેન્સ રેશિયો ઘટાડવાની મંજૂરી મળે છે. વધુમાં, નિયામક ફેરફારો થાય છે, જેમ કે જ્યારે SEBI ટોટલ એક્સપેન્સ રેશિયોના માળખામાં સુધારો કરે છે અથવા નવી મર્યાદાઓ અને માર્ગદર્શિકાઓ નક્કી કરે છે. એસેટમેનેજમેેન્ટ કંપનીઓએ આ નિયમો અનુસાર તેમના એક્સપેન્સ રેશિયોને સમાયોજિત કરવા જરૂરી છે. રેગ્યુલર પ્લાન્સ માટે, ડિસ્ટ્રિબ્યુટર્સને ચૂકવવામાં આવતા કમિશનમાં AMC ની ડિસ્ટ્રિબ્યુશન વ્યૂહરચનાના આધારે સુધારો થઈ શકે છે, જે એક્સપેન્સ રેશિયોને અસર કરી શકે છે.

નીચે આપેલ કોષ્ટક ટોચના પ્રદર્શન કરતા રેગ્યુલર અને ડાયરેક્ટ મ્યુચ્યુઅલ ફંડ પ્લાન્સમાં એક્સપેન્સ રેશિયોની અસર સરખાવે છે, જે દર્શાવે છે કે વિવિધ પ્લાન પ્રકારો હેઠળ એક જ ફંડ પસંદ કરવાથી લાંબા ગાળાના રોકાણના વળતર પર કેવી નોંધપાત્ર અસર પડી શકે છે. ડાયરેક્ટ અને રેગ્યુલર મ્યુચ્યુઅલ ફંડ્સ વચ્ચેના વળતરમાં તફાવત TER ના કારણે છે.

રેગ્યુલર ફંડ્સ:

ફંડનું નામ ૧૦-વર્ષનું SIP વળતર (ટકામાં) ૧૦,૦૦૦ રૂપિયાની SIP આશરે વધીને થઈ હોત એક્સપેન્સ રેશિયો (ટકામાં)
ક્વોન્ટ સ્મોલ કેપ રેગ્યુલર 24.51 આશરે રૂ. 43.25 લાખ 1.33
નિપ્પોન ઈન્ડિયા સ્મોલ કેપ રેગ્યુલર 21.43 આશરે રૂ. 36.68 લાખ 1.13
ક્વોન્ટ મલ્ટી એસેટ એલોકેશન રેગ્યુલર 21.08 આશરે રૂ. 35.98 લાખ 1.54
બેંક ઓફ ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ અને ઈન્ફ્રા રેગ્યુલર 20.78 આશરે રૂ. 35.42 લાખ 1.96
ઈન્વેસ્કો ઈન્ડિયા મિડ કેપ રેગ્યુલર 20.63 આશરે રૂ. 35.14 લાખ 1.45

ડાયરેક્ટ ફંડ્સ:

ડાયરેક્ટ ફંડનું નામ ૧૦-વર્ષનું SIP વળતર (%) ૧૦,૦૦૦ રૂપિયાની SIP આશરે વધીને થઈ હોત એક્સપેન્સ રેશિયો (%)
ક્વોન્ટ સ્મોલ કેપ ડાયરેક્ટ 25.65 આશરે રૂ. 46.69 લાખ 0.63
નિપ્પોન ઈન્ડિયા સ્મોલ કેપ ડાયરેક્ટ 22.47 આશરે રૂ. 38.76 લાખ 0.52
ક્વોન્ટ મલ્ટી એસેટ એલોકેશન ડાયરેક્ટ 22.43 આશરે રૂ. 38.67 લાખ 0.55
બેંક ઓફ ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ અને ઈન્ફ્રા ડાયરેક્ટ 22.40 આશરે રૂ. 38.63 લાખ 0.61
ઈન્વેસ્કો ઈન્ડિયા મિડ કેપ ડાયરેક્ટ 22.24 આશરે રૂ. 38.29 લાખ 0.48

(સ્રોત: ૪ ઓગસ્ટ ૨૦૨૬ મુજબ વેલ્યુ રિસર્ચ)

આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે કેવી રીતે ડાયરેક્ટ પ્લાનમાં ઓછો એક્સપેન્સ રેશિયો લાંબા ગાળાની સંપત્તિ સર્જનમાં નોંધપાત્ર સુધારો કરી શકે છે. જો કે રેગ્યુલર અને ડાયરેક્ટ પ્લાન વચ્ચે વાર્ષિક એક્સપેન્સ રેશિયોમાં તફાવત નાનો દેખાય છે, પરંતુ તેની અસર સમય જતાં કમ્પાઉન્ડિંગ દ્વારા વધે છે, જેનાથી SIP વળતરમાં મોટો વધારો થાય છે.

ઉદાહરણ તરીકે, ક્વોન્ટ સ્મોલ કેપ ફંડમાં ૧૦,૦૦૦ રૂપિયાની માસિક SIP રેગ્યુલર પ્લાન હેઠળ વધીને લગભગ રૂ. ૪૩.૨૫ લાખ થઈ હોત, જ્યારે ડાયરેક્ટ પ્લાન હેઠળ આશરે રૂ. ૪૬.૬૯ લાખ થઈ હોત, જે રૂ. ૩.૪ લાખથી વધુનો તફાવત છે. તે જ રીતે, નિપ્પોન ઈન્ડિયા સ્મોલ કેપ ફંડમાં રોકાણકારોએ ડાયરેક્ટ પ્લાન દ્વારા લગભગ રૂ. ૨.૧ લાખ વધુ એકઠા કર્યા હોત, જ્યારે ક્વોન્ટ મલ્ટી એસેટ એલોકેશન, બેંક ઓફ ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ અને ઈન્ફ્રા, અને ઈન્વેસ્કો ઈન્ડિયા મિડ કેપ પણ ડાયરેક્ટ પ્લાનની બાજુમાં રૂ. ૩ લાખ કે તેથી વધુનો સંપત્તિ તફાવત દર્શાવે છે.

રેગ્યુલર અને ડાયરેક્ટ મ્યુચ્યુઅલ ફંડ વચ્ચે એક્સપેન્સ રેશિયો અલગ શા માટે હોય છે?

રેગ્યુલર અને ડાયરેક્ટ ફંડ્સ વચ્ચેનો મુખ્ય તફાવત ડિસ્ટ્રિબ્યુશન ખર્ચ છે; રેગ્યુલર પ્લાન્સ સામાન્ય રીતે ડિસ્ટ્રિબ્યુટર્સ, ફાઇનાન્શિયલ એડવાઇઝર્સ, બેંકો અથવા બ્રોકર્સ દ્વારા આપવામાં આવે છે. એસેટ મેનેજમેન્ટ કંપનીઓ રોકાણકારોને સેવા આપવા બદલ તેમને કમિશન લે છે, જેમ કે તેમને ઓનબોર્ડ કરવા, રોકાણની સલાહ આપવી, વ્યવહારો સરળ બનાવવા, ખાતાઓની સેવા કરવી અને સતત સહાય પૂરી પાડવાની કામગીરી કરે છે. જ્યારે ડાયરેક્ટ પ્લાન્સ કોઈપણ મધ્યસ્થી વિના સીધા એસેટમેનેજમેન્ટ કંપનીમાંથી ખરીદવામાં આવે છે. કોઈ ડિસ્ટ્રિબ્યુટર કમિશન ન હોવાથી, ડાયરેક્ટ પ્લાન્સનો એક્સપેન્સ રેશિયો ઓછો હોય છે.

રોકાણકારે કયા આદર્શ એક્સપેન્સ રેશિયોને ધ્યાનમાં લેવો જોઈએ?

આદર્શ એક્સપેન્સ રેશિયો રોકાણકાર કયા ફંડની પસંદગી કરી રહ્યા છે તેના પર ખૂબ આધાર રાખે છે. જે રોકાણકારો ફંડ પસંદ કરવામાં, કામગીરી પર નજર રાખવામાં, અથવા સમયાંતરે તેમના પોર્ટફોલિયોની સમીક્ષા અને રીબેલેન્સિંગ કરવામાં અનુકૂળ ન હોય, તેમણે ફાઇનાન્શિયલ એડવાઇઝર દ્વારા રોકાણ કરવાનું વિચારવું જોઈએ. આનંદ રાઠી વેલ્થના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અમિતાભ લારાએ જણાવ્યું હતું કે, “રેગ્યુલર પ્લાન્સમાં સહેજ વધારે એક્સપેન્સ રેશિયો હોય છે કારણ કે તેમાં વ્યાવસાયિક સલાહ, પોર્ટફોલિયો નિર્માણ અને ચાલુ સમીક્ષાનો ખર્ચ શામેલ હોય છે, જે લાંબા ગાળે નોંધપાત્ર મૂલ્ય ઉમેરી શકે છે. જે રોકાણકારો પાસે ફંડ્સનું સંશોધન કરવા, વૈવિધ્યસભર પોર્ટફોલિયો બનાવવાની અને નિયમિતપણે તેને રીબેલેન્સ કરવાની ક્ષમતા, સમય અને શિસ્ત હોય, તેઓ ડાયરેક્ટ પ્લાન્સ પસંદ કરી શકે છે, જેમાં એક્સપેન્સ રેશિયો ઓછો હોય છે.”

જો કે, ઘણા રોકાણકારો પોતે જ રોકાણ કરતા હોય છે. આ રોકાણકારો કાં તો વર્તણૂકની ભૂલો કરે છે અથવા પેસિવ ફંડ્સ પર ખૂબ આધાર રાખે છે, તેમની પાસેથી આઉટપરફોર્મન્સની અપેક્ષા રાખે છે. પેસિવ ફંડ્સ બેન્ચમાર્કને મિરેજ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે અને સામાન્ય રીતે ખર્ચ પછી આલ્ફા જનરેટ કરતા નથી. રોકાણકારો માટે, એ નોંધવું મહત્વપૂર્ણ છે કે એક્સપેન્સ રેશિયોમાં ફેરફાર થવાથી તેમના તરફથી કોઈ પગલાં લેવાની જરૂર નથી; રોકાણકારોએ માત્ર એક્સપેન્સ રેશિયોના આધારે ફંડ પસંદ કરવાને બદલે ફંડના સતત ચોખ્ખા પ્રદર્શન, જોખમ-સમાયોજિત વળતર અને તેમના નાણાકીય લક્ષ્યો માટે યોગ્યતા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

Read Previous

ઓએનજીસીના શેર્સમાં લેણ કરી શકાય, ભાવ વધારાની મજબૂત શક્યતા

Read Next

પ્રધાનમંત્રીના વિદેશ પ્રવાસના રૂ. 1ના ખર્ચ સામે રૂ. 66000નું સીધું વિદેશી રોકાણ આવ્યું

Most Popular