પર્યાવરણ સંરક્ષણનું કામ કરતી સંસ્થા ચોક્કસ શરતો હેઠળ જીએસટીમાંથી મુક્તિ મેળવવા પાત્ર: હાઈકોર્ટ
હાઈકોર્ટે જીએસટી વિભાગ દ્વારા નરોડા એન્વાયરો પ્રોજેક્ટ્સ લિમિટેડને પાઠવવામાં આવેલી શો-કોઝ નોટિસને સંપૂર્ણપણે રદબાતલ ઠેરવી
અમદાવાદ: હાઈકોર્ટે જીએસટી વિભાગ દ્વારા નરોડા એન્વાયરો પ્રોજેક્ટ્સ લિમિટેડને પાઠવવામાં આવેલી શો-કોઝ નોટિસને સંપૂર્ણપણે રદબાતલ ઠેરવી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે જો સંસ્થા પ્રામાણિકપણે ટેક્સ મુક્તિનો દાવો કરતી હોય તો તેને કરચોરી કે માહિતી છુપાવવાનો ગુનો ગણી શકાય નહીં. ઈન્કમ ટેક્સ એક્ટ હેઠળ ચેરિટેબલ ટ્રસ્ટ અથવા સંસ્થા તરીકે રજિસ્ટર્ડ હોય અને પર્યાવરણ સંરક્ષણની પ્રવૃત્તિ સાથે સંકળાયેલી હોય તેવી સંસ્થાઓને GST કાયદા હેઠળ ટેક્સમાંથી મુક્તિ મળે છે તેવો એક મહત્વનો ચુકાદો ગુજરાત હાઈકોર્ટે આપ્યો છે. આ ચુકાદો ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એ. એસ. સુપેહિયા અને જસ્ટિસ વૈભવી ડી. નાણાવટીની બેંચ દ્વારા આપવામાં આવ્યો છે.
ગુજરાત હાઈકોર્ટે ઠરાવ્યું છે કે ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 12AA હેઠળ નોંધાયેલી અને પર્યાવરણની જાળવણી જેવી પરમાર્થી પ્રવૃત્તિઓ કરતી સંસ્થાઓને કેન્દ્ર સરકારના નોટિફિકેશન નંબર 12/2017 અનુસાર GST ભરવામાંથી મુક્તિ મળે છે. આવી સંસ્થાઓ પર જીએસટી એક્ટની કલમ 74 હેઠળ ટેક્સ ચોરી, માહિતી છુપાવવા કે ફ્રોડના આરોપ લગાવીને નોટિસ પાઠવી શકાય નહીં. વેપારી કે સંસ્થા તરફથી કોઈ ભૂલ થઈ હોય તો પણ જો તેમાં કરચોરી કરવાનો કોઈ બદઆશય-ખરાબ ઇરાદો ન હોવાથી તેની સામે કડક કાર્યવાહી કરી શકાય જ નહીં. આ નોટિસના સંદર્ભમાં શૈલેશ પટવારીને અંગત દંડ પણ કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટે આ દંડ કાઢી નાખ્યો છે.
નરોડા એન્વાયરો પ્રોજેક્ટ્સ લિમિટેડ ઈન્ડસ્ટ્રીયલ વેસ્ટ અને પ્રદૂષણ નિયંત્રણ માટે કામ કરે છે અને ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 12AA હેઠળ રજિસ્ટર્ડ છે. જીએસટી અમલમાં આવ્યા બાદ (01 જુલાઈ 2017) સંસ્થાએ ચેરિટેબલ એક્ટિવિટીના નોટિફિકેશન આધારે જીએસટી ચૂકવ્યો નહોતો. જોકે, જીએસટી વિભાગે 23 નવેમ્બર 2022ના રોજ સંસ્થાના પરિસરમાં સર્ચ હાથ ધરીને એવો દાવો કર્યો હતો કે સંસ્થાએ પ્રોસેસિંગ ફી લઈને સેવાઓ આપી હોવાથી તે જીએસટીને પાત્ર છે. ત્યારબાદ જીએસટી વિભાગે 01 જુલાઈ 2017 થી 12 મે 2022 સુધીના સમયગાળા માટે કરોડો રૂપિયાનો ટેક્સ, વ્યાજ અને પેનલ્ટી વસૂલવા કલમ 74 હેઠળ કારણદર્શક નોટિસ પાઠવી હતી. આ નોટિસ સામે સંસ્થાએ હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.
આ ચુકાદાથી પર્યાવરણ સંરક્ષણ, નદીઓ, જંગલો અને વન્યજીવોના જતન માટે કામ કરતી અને ઈન્કમ ટેક્સ હેઠળ 12AA નું રજિસ્ટ્રેશન ધરાવતી તમામ સંસ્થાઓને સીધો લાભ મળશે. તેમને ટેક્સ બોજમાંથી રાહત મળી જશે. આ કેટેગરીમાં આવતી તમામ સંસ્થાઓને જૂના સમયગાળાના કરોડો રૂપિયાના જીએસટી દાવો અને દંડમાંથી મુક્તિ મળશે. જીએસટી વિભાગ દ્વારા 9 ટકા કે અન્ય દરે પછાડવામાં આવતી ટેક્સની માંગ સામે આ રક્ષણ આપશે. જીએસટી સત્તાવાળાઓ દ્વારા કલમ 74 હેઠળ આડેધડ કરાતી દંડકીય કાર્યવાહી અને સર્ચ પછી અપાતી નોટિસો સામે પર્યાવરણીય સંસ્થાઓને કાનૂની સુરક્ષા પણ મળથી થશે.
Tags: Charitable activities GST rules Charitable trust GST immunity Charitable trust tax benefits Environment protection trust GST Environmental NGO tax exemption GST demand notice cancelled GST evasion allegations GST exemption on environment preservation GST law for NGOs GST notice quashed GST on charitable trust GST on industrial waste treatment GST on pollution control GST Section 74 notice Gujarat HC tax ruling Gujarat High Court judgement Gujarat High Court latest news High Court GST verdict Income Tax Appellate Tribunal Input Tax credit charitable trust Naroda Enviro Projects Ltd Notification 12/2017 GST Section 12AA Income Tax Act Section 2(15) Income Tax Act Supreme Court tax effect Tax appeal Gujarat High Court Trust exemption under GST આવકવેરા કલમ 2(15) આવકવેરા કાયદો કલમ 12AA ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ ઔદ્યોગિક કચરા નિકાલ ટેક્સ કરચોરી આરોપ હાઈકોર્ટ ગુજરાત હાઈકોર્ટ જીએસટી નિર્ણય ગુજરાત હાઈકોર્ટ તાજા સમાચાર ચેરિટેબલ ટ્રસ્ટ ટેક્સ છૂટછાટ ચેરિટેબલ ટ્રસ્ટ પર જીએસટી ચેરિટેબલ ટ્રસ્ટને જીએસટી રાહત ચેરિટેબલ પ્રવૃત્તિઓ ટેક્સ નિયમો જીએસટી કલમ 74 નોટિસ જીએસટી કાયદો અને એનજીઓ જીએસટી નોટિફિકેશન 12/2017 જીએસટી નોટિસ રદ જીએસટી પેનલ્ટી મુક્તિ જીએસટી મુક્તિના નિયમો જીએસટી વિભાગ હાઈકોર્ટ ફટકાર ટેક્સ અપીલ ગુજરાત હાઈકોર્ટ ટ્રસ્ટ જીએસટી નિયમો નરોડા એન્વાયરો પ્રોજેક્ટ્સ લિમિટેડ પર્યાવરણ એનજીઓ માટે કરમુક્તિ પર્યાવરણ જતન અને જીએસટી પર્યાવરણ સંરક્ષણ સંસ્થા ટેક્સ મુક્તિ પ્રદૂષણ નિયંત્રણ સંસ્થા ટેક્સ હાઈકોર્ટ ટેક્સ સમાચાર
