• 4 May, 2026 - 10:21 AM

રૂ. 15,600 કરોડમાં લક્ષ્મી મિત્તલ અને પુત્ર આદિત્ય મિત્તલે રાજસ્થાન રોયલ્સની આઈપીએલની ટીમનો સોદો કર્યો

ડીલમાં મોટા ફેરફાર કર્યા બાદ વિશ્વના જાણીતા ઉદ્યોગપતિ લક્ષ્મી એન. મિત્તલ અને તેમના પુત્ર આદિત્ય મિત્તલે અદાર પૂનાવાલા સાથે મળીને રાજસ્થાન રોયલ્સની આઈપીએલ ટીમ પર નિયંત્રણ રાખી શકાય તેટલો હિસ્સો મેળવી લીધો છે. આ ડીલ 1.65 અબજ એટલે કે 165 કરોડ અમેરિકી ડૉલરમાં થયો છે. ભારતીય રૂપિયામાં તેનું મૂલ્ય અંદાજે રૂ. 15,600 કરોડનું થવા જાય છે. આ સોદો ઇન્ડિયન પ્રીમિયર લીગના ઇતિહાસમાં થયેલા સૌથી મોટા માલિકી સોદાઓમાંનો એક છે.

કલ સોમાની, રોબ વોલ્ટન અને શીલા ફોર્ડ હેમ્પનું અમેરિકા ધારિત કન્સોર્ટિયમ ફંડિંગ અને ડ્યુ ડિલિજન્સની સમસ્યાઓને કારણે બહાર નીકળી ગયા તે પછી આ સોદો શક્ય બન્યો છે. આ સોદામાં માત્ર ઇન્ડિયન પ્રીમિયર લીગી રાજસ્થાન રોયલ્સની ટીમ જ નહીં પરંતુ સાઉથ આફ્રિકાની પાર્લ રોયલ્સ અને કેરિબિયનની બાર્બાડોઝ રોયલ્સની ટીમોનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. પરિણામે મિત્તલ ગ્રુપનું વૈશ્વિક ક્રિકેટમાં પ્રભાવ વધશે.

ડીલની ટકાવારી નીચે મુજબ રહેશે.

  • અદાર પૂનાવાલા પાસે લગભગ 18% હિસ્સો રહેશે
  • મિત્તલ પરિવાર પાસે લગભગ 75% હિસ્સો રહેશે
  • બાકીના 7% હિસ્સા હાલના રોકાણકારો પાસે રહેશે, જેમાં મનોજ બદાલે પણ સામેલ છે

આ ડીલને બોર્ડ ઓફ ક્રિકેટ ઇન્ડિયા, ઇન્ડિયન પ્રીમિયર લીગની ગવર્નિંગ કાઉન્સિલ અને કોમ્પિટીશન કમિશન ઓફ ઇન્ડિયાની મંજૂરી મંજૂરી મળવાની બાકી છે અને 2026ના ત્રીજા ક્વાર્ટર સુધી પૂર્ણ થવાની શક્યતા છે.

IPL માટે આ ડીલ કેમ મહત્વપૂર્ણ?

આ સોદો ઇન્ડિયન પ્રીમિયલ લીગની વધતી વૈશ્વિક લોકપ્રિયતા અને ઊંચી વેલ્યુએશનને દર્શાવે છે. ભારતના સૌથી પ્રભાવશાળી ઉદ્યોગપતિ પરિવારમાંથી એકનો પ્રવેશ આઈપીએલમાં થઈ રહ્યો છે તેને સૌથી મોટો માઇલસ્ટોન તરીકે જોવામાં આવી રહ્યો છે. લક્ષ્મી મિત્તલનો રાજસ્થાન સાથે વ્યક્તિગત જોડાણ પણ છે અને તેઓ લાંબા સમયથી ક્રિકેટમાં રસ ધરાવે છે. આદિત્ય મિત્તલે જણાવ્યું હતુ કે રાજસ્થાન રોયલ્સ યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપવાના માટે જાણીતી છે, જે તેમની લાંબા ગાળાની દ્રષ્ટિકોણથી કામ કરી રહી છે. અદાર પૂનાવાલાએ ટીમને “મજબૂત વારસાવાળી પ્રીમિયમ આઈપીએલ બ્રાન્ડ તરીકે ઓળખાવી હતી.

આગળ શું?

નવા મૂડીરોકાણ, વૈશ્વિક દ્રષ્ટિકોણ અને પ્રભાવશાળી માલિકી સાથે રાજસ્થાન રોયલ્સ હવે નવા યુગમાં પ્રવેશ કરી રહી છે. આ બદલાવ આઈપીએલ અને વૈશ્વિક ટી-20 લીગમાં ટીમની સ્થિતિને મજબૂત બનાવી શકે છે.

Read Previous

સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવ કેમ વધારી શકતી નથી

Read Next

ભારત સરકારે વીમા ક્ષેત્રમાં સો ટકા સીધા વિદેશી રોકાણની છૂટ આપતા શું ફાયદો થશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular