• 7 September, 2026 - 2:42 PM

પ્રત્યક્ષ કબજા વગર કલમ ૬૯A હેઠળ કરાયેલો ઉમેરો ગેરકાયદેસર ગણાયઃ ITAT

પ્રત્યક્ષ કબજા વગર કલમ ૬૯A હેઠળ કરાયેલો ઉમેરો ગેરકાયદેસર ગણાયઃ ITAT

કરદાતા પાસેથી રોકડ, સોનું કે કિંમતી વસ્તુઓ ભૌતિક રીતે ન મળી આવે ત્યાં સુધી અણધારી અસ્કયામતનો કાયદો લાગુ ન થઈ શકે
કરદાતાના પ્રત્યક્ષ ભૌતિક કબજામાંથી કોઈ રોકડ રકમ, બુલિયન (સોનું કે ચાંદી) કે કિંમતી વસ્તુઓ મળી ન આવી હોય, તો આવકવેરા કાયદાની કલમ ૬૯Aની જોગવાઈઓ લાગુ થઈ શકે નહીં. આ ચુકાદાથી આકારણી અધિકારીઓ દ્વારા માત્ર અનુમાનો કે કાગળ પરની નોંધોના આધારે કરવામાં આવતી ગેરવાજબી કર આકારણી સામે કરદાતાઓને બહુ મોટું કાયદાકીય રક્ષણ પ્રાપ્ત થયું છે, એમ આવકવેરાની એપેલેટ ટ્રિબ્યુનલની મુંબઈ બ્રાન્ચે આપેલા એક ચૂકાદામાં જણાવ્યું છે. 
આવકવેરા વિભાગના આકારણી અધિકારીને કરદાતા પાસેથી બિનહિસાબી સંપત્તિ અથવા રોકડ હોવાનું માની લઈને આવકવેરા કાયદાની કલમ ૬૯A હેઠળ તેની આવકમાં મોટો ઉમેરો કરવામાં આવ્યો હતો. જોકે, દરોડા કે તપાસ દરમિયાન કરદાતાના ભૌતિક તાબામાંથી આવી કોઈ રોકડ કે કિંમતી માલસામાન મળી આવ્યો નહોતો. કરદાતાએ આ મનસ્વી ઉમેરા સામે ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલની મુંબઈ બેંચ સમક્ષ અપીલ દાખલ કરી હતી. ટ્રિબ્યુનલે કાયદાની કલમ ૬૯A નો ઊંડો અભ્યાસ કરીને સ્પષ્ટ કર્યું કે આ કલમ લાગુ કરવા માટે ‘ભૌતિક કબજો’ એ પ્રાથમિક અને અનિવાર્ય શરત છે. જો વિભાગ પાસે ભૌતિક જપ્તીનો કોઈ પુરાવો ન હોય, તો આ કલમ હેઠળ આકારણી કરી શકાય જ નહીં.
એપેલેટ ટ્રિબ્યુનલના પ્રસ્તુત ચૂકાદાને પરિણામે  આકારણી અધિકારીઓની મનસ્વી આકારણીઓ પર નિયંત્રણ આવી જશે. આકારણી અધિકારીઓ માત્ર શંકા, ત્રીજા પક્ષની ડાયરીઓ કે ડિજિટલ ડેટાના આધારે કરદાતા પર કલમ ૬૯A હેઠળ કર લાદવાની પદ્ધતિ પર કાયદેસરની રોક લાગી છે.
ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુલને સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી કિંમતી વસ્તુઓ કે રોકડ ખરેખર કરદાતાના તાબામાંથી જપ્ત ન થઈ હોય ત્યાં સુધી કલમ ૬૯A ની જોગવાઈ જ ત્યાં સુધી લાગુ કરી શકાતી નથી. 
કેલમ ૬૯A હેઠળ ખૂબ જ ઊંચા દરે (દંડ અને વ્યાજ સાથે) ટેક્સ લાદવામાં આવે છે. આ ચુકાદાથી ગેરવાજબી રીતે લાદવામાં આવતા આર્થિક બોજામાંથી કરદાતાઓને મોટી રાહત મળી છે. અદાલતે કાયદાના અક્ષરશઃ અને સ્પષ્ટ અર્થઘટન પર ભાર મૂકીને કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન સુનિશ્ચિત કર્યું છે. જે કિસ્સાઓમાં કરદાતાએ બેનામી વ્યવહારો કે થર્ડ-પાર્ટી વોલ્ટમાં સંપત્તિ છુપાવી હોય પરંતુ તેનો ભૌતિક કબજો સીધો તેમની પાસે ન હોય, ત્યાં આવકવેરા વિભાગ માટે કલમ ૬૯A હેઠળ કાર્યવાહી કરવી કઠિન બનશે.
આ ચુકાદો ટ્રિબ્યુનલ)ના સ્તરનો હોવાથી આવકવેરા વિભાગ આની સામે બોમ્બે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે, જેથી કાનૂની અનિશ્ચિતતાનો ગાળો લંબાઈ શકે છે. આવકવેરા વિભાગ કલમ ૬૯A ની મર્યાદા જોઈને કરદાતા સામે કલમ ૬૮ એટલે કે ખુલાસો ન કરી શકાય તેવી ક્રેડિટ કે પછી કલમ ૬૯ સમજાવી ન શકાય તેવા મૂડી રોકાણ જેવી અન્ય જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવાનો પ્રયાસ કરી શકે છે.
એકંદરે, મહારાષ્ટ્ર રાજ્યની ITAT (મુંબઈ) નો આ નિર્ણય કરદાતાઓના અધિકારોનું રક્ષણ કરતો એક ક્રાંતિકારી આદેશ છે, જે સ્પષ્ટ કરે છે કે પુરાવા વગરની શંકાના આધારે કોઈ વ્યક્તિ પર ટેક્સનો બોજ નાખી શકાય નહીં.

Read Previous

માત્ર તપાસ હેવાલ કે થર્ડ પાર્ટીના આક્ષેપોના આધારે કરદાતાની આવકમાં ઉમેરો ન થઈ શકેઃ ITAT

Most Popular