NRI-વિદેશી નાગરિકો હવે ઘરે બેઠાં ભારતમાં KYC ફોર્મ અપલોડ કરી શકે તેવી સંભાવના
NRI અને વિદેશી નાગરિકો હવે ઘરે બેઠા KYC ફોર્મ અપલોડ કરી શકશે
અમદાવાદઃ નાણાં મંત્રાલય અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (Sebi) ભારતીય બજારમાં રોકાણ કરવા ઈચ્છતા બિન-નિવાસી ભારતીયો (NRIs) અને વિદેશી નાગરિકો માટે ઓનબોર્ડિંગ પ્રક્રિયાને સરળ બનાવવા માટે કામ કરી રહ્યા છે. તેઓ તેમના નો-યોર-કસ્ટમર (KYC) દસ્તાવેજો પૂર્ણ કરવા માટે રૂબરૂ હાજર રહેવાની અથવા બેન્ક શાખાની મુલાકાત લેવાની ફરજિયાત શરતને નાબૂદ કરી શકે છે, એમ આ વિચારણામાં સામેલ વરિષ્ઠ અધિકારીઓએ જણાવું હતું ,
બિનનિવાસી ભારતીયો વિડિયો-આધારિત કેવાયસી પ્રક્રિયા કરી શકશે. બે, UID નંબર ધરાવતા NRIs માટે આધાર-આધારિત પ્રમાણીકરણ (Authentication)ની સિસ્ટમ આ વશે. ત્રણ, અન્ય દેશોના ડિજિટલ હસ્તાક્ષર (Digital Signatures)ને માન્યતા આપવામાં આવશે. ચાર, ડિજિટલ નોટરાઇઝેશન પ્રક્રિયાની સંભવિત રજૂઆત કરી શકશે.
હાલમાં આવનારા NRIs અથવા વિદેશી રોકાણકારો માટે ડ્યુ ડિલિજન્સ (ચકાસણી) ના સંદર્ભમાં ઘણા પડકારો છે, અને તેમને અમારી નાણાકીય વ્યવસ્થામાં સામેલ થવામાં લગભગ એક મહિનો લાગે છે. વાસ્તવમાં, ભારતમાં બેન્ક ખાતું ખોલાવવા માટે NRIs એ રૂબરૂ હાજર રહેવું પડે છે,” તેમ નાણાં મંત્રાલયના એક અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું. હવે હાજર રહ્યા વિના જ કદાચ ખાતું ખોલાવી શકાય તેવી વ્યવસ્થા દાખલ કરવામાં આવે તેવી સંભાવના વધી ગઈ છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તાજેતરમાં જ બિન નિવાસી ભારતીયો અને ઓવરસીઝ સિટિઝન્સ ઓફ ઈન્ડિયા-OCIs માટે રોકાણના નિયમોમાં રાહત આપી છે, જેમાં SEBI રજીસ્ટ્રેશન વિના લિસ્ટેડ કંપનીઓમાં રોકાણની મર્યાદા વધારવામાં આવી છે. આ પગલાંનો ઉદ્દેશ્ય એવા સમયે વિદેશી મૂડીના પ્રવાહને ટેકો આપવાનો છે જ્યારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો ચોખ્ખા વેચાણકર્તા એટલે કે સ્ટોકમાર્કેટમાં તેમણે કરેલું રોકાણ પાછું ખેંચી રહ્યા છે.
નિયમનકારો ભલે બિનનિવાસી ભારતીયો માટે રોકાણ મર્યાદા વિસ્તારવાનો પ્રયાસ કરી રહ્યા હોય, પરંતુ તમારા ગ્રાહકને ઓળખો-કેવાયસીની પ્રક્રિયા એક પડકાર બની રહી છે. વિચારણા હેઠળના સુધારાઓની સીધી જાણકારી ધરાવતા બીજા એક અધિકારીએ જણાવ્યું હતું કે, હવાઈ ક્ષેત્ર સંબંધિત વિક્ષેપો જેવા વધેલા નિયંત્રણોના સમયમાં, બિનનિવાસી ભારતીયો માટે કેવાયસી વેરિફિકેશન માટે રૂબરૂ મુસાફરી કરવી સરળ નથી.
ડિસેમ્બર 2025માં સેબીએ બિન નિવાસી ભારતીયગ્રાહકોના નવેસરથી કેવાયસી માટેની ચકાસણીને જીઓલોકેશન ટેગિંગ અને વિડિયો વેરિફિકેશન દ્વારા ડિજિટલ રીતે પૂર્ણ કરવાની મંજૂરી આપી હતી, આ એક એવી સિસ્ટમ છે જે બિનનિવાસી ભારતીય ગ્રાહકોના પ્રથમ વખતના કેવાયસી માટે પણ અપનાવી શકાય છે. સેબી હવે રી-કેવાયસી સિસ્ટમને નિયમિત કેવાયસી માટે પણ સક્ષમ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. જો કે, આ માટે રિઝર્વ બેન્કના સહયોગ અને મદદની જરૂર પડી શકે છે.
કદાચ UIDAI (યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા) પ્રકારનું પ્રમાણીકરણ ન હોઈ શકે, પરંતુ પાસપોર્ટનો ઉપયોગ કરીને કંઈક રસ્તો કાઢી શકાય છે. બિનનિવાસી ભારતીયો જ્યાં પણ રહેતા હોય ત્યાંથી રોકાણ કરવા સક્ષમ હોવા જોઈએ. હાલમાં વિડિયો કેવાયસી ભારત બહારના ઇન્ટરનેટ પ્રોટોકોલ અથવા IP એડ્રેસ માટે બ્લોક કરેલ છે. આજના સમયમાં જ્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રનો આટલો વિકાસ થયો છે, મને નથી લાગતું કે તે એક યોગ્ય દલીલ છે, તેથી આપણે જોખમોને કેવી રીતે ઘટાડવા અને તેને કેવી રીતે ખુલ્લું મૂકવું તે જોવું પડશે,” એમ મંત્રાલયના અધિકારીએ જણાવ્યુ હતુ.
ભારત બહારથી આધાર-આધારિત ફેસ ઓથેન્ટિકેશન (ચહેરો પ્રમાણીકરણ) પણ બ્લોક છે, તેથી આધાર ધરાવતા બિનનિવાસી ભારતીય પણ હજુ કેવાયસી કરી શકતા નથી. તેથી અમે આ અવરોધોને કેવી રીતે દૂર કરી શકાય તે જોવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા-UIDAI એક એવો ઉકેલ લાવી રહ્યું છે જેમાં આ પ્રકારનો IP પ્રતિબંધ ન હોય.
પ્રાઇમ ડેટાબેઝ અનુસાર, માર્ચ 2026 સુધીમાં, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) માં લિસ્ટેડ કંપનીઓમાં NRI શેરહોલ્ડિંગ 0.62 ટકા હતું, જેનું મૂલ્ય આશરે રૂ. 2.5 ટ્રિલિયન (લાખ કરોડ) હતું. આ આંકડા એક વર્ષ અગાઉના 0.63 ટકા અથવા અંદાજે ₹ 2.57 ટ્રિલિયનથી વર્ચ્યુઅલ રીતે યથાવત છે.
