• 7 September, 2026 - 3:47 PM

 બાજરી અને મગ સિવાયના મોટાભાગના પાકો માટે મજબૂત ભાવ રહેવાની સંભાવના

બાજરી અને મગ સિવાયના મોટાભાગના પાકો માટે મજબૂત ભાવ રહેવાની સંભાવના

બાજરી, ડાંગર, મગ, મગફળી અને સોયાબીનના મંડી ભાવ તેમની આગામી સીઝન માટે લઘુતમ ટેકાના ભાવ  0.6 ટકાથી 31 ટકા સુધી ઓછા ચાલી રહ્યા છે

ગુજરાતમાં મગફળીનો પાક પણ આ વર્ષે સારો દેખાશે અને તેના ભાવ પણ ઉપર જવાની અપેક્ષા છે

નવી દિલ્હીઃ લગભગ 10 દિવસમાં મંડીઓમાં નવા ખરીફ પાકોની આવક શરૂ થતાં, અગ્રણી ઉત્પાદક રાજ્યોના ખેડૂતોને સાનુકૂળ બજાર ભાવ મળવાની અપેક્ષા છે. માત્ર બાજરી અને મગ જ ચિંતાનો વિષય છે, જે તેના લઘુતમ ટેકાના જાહેર થયેલા ભાવ કરતાં અનુક્રમે 31 ટકા અને 13 ટકા પાછળ ચાલી રહ્યા છે. ચોથી સપ્ટેમ્બરના રોજ મકાઈ, જુવાર, તુવેર, અડદ અને સોયાબીન સહિત 14 માંથી 9 ખરીફ પાકો જેના માટે MSP જાહેર કરવામાં આવે છે, તે તેમની સંબંધિત MSP (2026-27 સીઝન)ની સમાનતા પર અથવા તેનાથી વધુ સરેરાશ ભાવે વેચાયા હતા. ડાંગરના કિસ્સામાં, જે મુખ્ય ખરીફ પાક છે અને જેના બજાર ભાવ સરકારી ખરીદીથી પ્રભાવિત થાય છે, વર્તમાન ડેટા દર્શાવે છે કે ઉત્તર પ્રદેશમાં તેનો સરેરાશ ભાવ રૂ. 1,965 ક્વિન્ટલદીઠ હતો.

અલ-નિનોની અસરને કારણે ઉત્પાદકતામાં કેટલાક સંભવિત નુકસાનના અહેવાલો છતાં, બાજરી, ડાંગર, મગ, મગફળી અને સોયાબીનના મંડી ભાવ તેમની આગામી સીઝનની લઘુતમ ટેકાના ભાવ કરતાં  0.6 ટકાથી 31 ટકા સુધી ઓછા બોલાઈ રહ્યા છે. મકાઈ, જુવાર, તુવેર અને અડદ તેના લઘુતમ ટેકાના ભાવ કરતાં 11 ટકા સુધી વધુ બોલાઈ રહ્યા છે.

ઉંચા ભાવ “ડાંગર માટે કોઈ સમસ્યા નથી કારણ કે સરકાર કુલ ઉત્પાદનના 40 ટકા ખરીદી રહી છે. એકવાર ખરીદી શરૂ થઈ જાય (જે રાજ્ય-રાજ્ય અનુસાર અલગ-અલગ હોય છે), મંડીના ભાવો પણ વધી જાય છે. આ વખતે સોયાબીન તેલની ભારે આયાત હોવા છતાં, તેના ભાવ ગત વર્ષની સરખામણીમાં વધુ છે. સૌથી મોટા ઉત્પાદક એવા ગુજરાતમાં મગફળીનો પાક પણ આ વર્ષે સારો દેખાશે અને તેના ભાવ પણ ઉપર જવાની અપેક્ષા છે,” કૃષિ મંત્રાલયના એક ભૂતપૂર્વ અતિરિક્ત સચિવે જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે મકાઈનો ભાવ, જે હાલમાં ઊંચો ચાલી રહ્યો છે, પાકની આવક શરૂ થતાં જ ઘટી શકે છે કારણ કે તેની માંગ સોયાબીનની ખોળ જેવા અન્ય પશુ આહાર સાથે સ્પર્ધા કરશે. ઉત્પાદનમાં નુકસાન “ઐતિહાસિક ડેટા અને અગાઉના વર્ષોમાં એલ-નિનોની અસરને જોતાં, આ સીઝનમાં ઉત્પાદનમાં ચોક્કસ નુકસાન થતું જણાય છે. બજાર પહેલેથી જ આ બાબતે સંવેદનશીલ છે, જે વર્તમાન ભાવોમાં પ્રતિબિંબિત થાય છે. સોયાબીનના ભાવમાં અચાનક આવેલો ઘટાડો ખૂબ જ આશ્ચર્યજનક છે, જે લાંબા સમય સુધી ટકવો ન જોઈએ કારણ કે તેની પાછળ કાર્ટેલાઇઝેશન (વેપારીઓની મિલીભગત) કારણ હોય તેવું લાગે છે,” નેફેડ (Nafed) ના ભૂતપૂર્વ અધિક એમડી એસ કે સિંહે જણાવ્યું હતું.

એકંદરે, મગ સિવાયના તમામ મુખ્ય પાકોના માટેના ભાવો તેના લઘુતમ ટેકાના ભાવ સાથે મેળ ખાતા જોવા મળવા જોઈએ, જ્યાં સરકારી એજન્સીઓ દ્વારા સ્ટોકનો નિકાલ ભાવને લઘુતમ ટેકાના ભાવથી નીચે રાખી શકે છે, તેમ સિંહે ઉમેર્યું હતું. ચાલુ વર્ષમાં, મકાઈનું વાવેતર વિસ્તાર ગત વર્ષના સ્તરથી 3 ટકા ઘટીને 91 લાખ હેક્ટર થયો છે. તેવી જ રીતે, ડાંગરનું વાવેતર પણ 4 ટકા ઘટીને 421.82 લાખ હેક્ટર પર છે. સોયાબીન અને મગફળી હેઠળનો વિસ્તાર ગત વર્ષના આંકડા કરતાં પ્રતિ પાક લગભગ 1 લાખ હેક્ટર ઓછો છે, તેમ ચોથી સપ્ટેમ્બર સુધીના સત્તાવાર ડેટા દર્શાવે છે.

Read Previous

નબળી ગુણવત્તાનો સામાન સપ્લાય કરનારા પ્રતિબંધ મૂકવામાં આવશેઃ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ

Read Next

આજે શેરબજારમાં શું કરશો?

Most Popular