બજેટમાં વીમાકંપનીઓ વધુ છૂટછાટની માગણી કરવામાં આવી

- પરંપરાગત અને યુનિટ-લિંક્ડ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીઓ વચ્ચે કર સમાનતા લાવવાથી કર માળખું સરળ બનશે અને રક્ષણ સાથે લાંબા ગાળાની સંપત્તિ સર્જનને પ્રોત્સાહન મળશે.
જીવન અને આરોગ્ય વીમા કંપનીઓ સરકાર પાસેથી બજેટમાં જીવન અને આરોગ્ય વીમા પ્રીમિયમ પર આવકવેરાની છૂટછાટની મર્યાદા વધારવાની અને પેન્શન-એન્યુઇટી (annuity) ના પ્રોડક્ટ્સ પર કરવેરાને અન્ય પેન્શન પ્રોડક્ટ્સ પર લેવાતા કરવેરા સમાન જ બનાવવાની માગણ કરી રહ્યા છે. વીમા ઉદ્યોગ સાથે સંકળાયેલા નિષ્ણાતો કહે છે કે આવા પગલાંથી વીમા પહોંચ વધશે. લાંબા ગાળાની બચત એન્યુઇટી અને નિવૃત્તિ પ્રોડક્ટ્સ તરફ વળશે. તેમ જ પ્રિવેન્ટિવ હેલ્થકેરને પ્રોત્સાહન મળી શકશે.
બજાજ લાઈફ ઈન્શ્યોરન્સના નિષ્ણાતો જણાવે છે કે વીમા-ઇન્શ્યોરન્સ પ્રીમિયમને GSTમાંથી મુક્ત રાખવા જેવા તાજેતરના નીતિગત પગલાંએ સેક્ટરના વિકાસ માટે મજબૂત પાયો તૈયાર કર્યો છે. હવે રજૂ કરવામાં આવનારા બજેટના માધ્યમથી આ ગતિને આગળ વધારી શકે છે. તેમણે આશા વ્યક્ત કરી કે બજેટમાં એન્યુઇટી પર માત્ર મળતા રિટર્ન પર જ કર વસૂલવામાં આવે અને સમાન પ્રકારની કપાત (deductions) આપવામાં આવવી જોઈએ. તેમનું કહેવું છે કે “સરકાર આમ કરે તો લોકો ટેક્સના તફાવતને કારણે નહીં પરંતુ યોગ્યતાના આધારે નિવૃત્તિ પ્રોડક્ટ પસંદ કરી શકશે,”
નિષ્ણાતો જણાવે છે કે પરંપરાગત અને યુનિટ-લિંક્ડ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીઓ વચ્ચે કર સમાનતા લાવવાથી કર માળખું સરળ બનશે અને રક્ષણ સાથે લાંબા ગાળાની સંપત્તિ સર્જનને પ્રોત્સાહન મળશે. એજિયાસ ફેડરલ લાઈફ ઈન્શ્યોરન્સના નિષ્ણાતો જણાવે છે કે નીતિ ઘડનારાઓએ લાંબાગાળાની બચત અને નિવૃત્તિ તૈયારીને પ્રોત્સાહન આપવું જોઈએ. નિષ્ણાતોએ કહ્યું હતું કે “અમે વર્ષોથી ચાલતી સેક્શન 80Cની મર્યાદા સુધારવાની અથવા લાઈફ ઈન્શ્યોરન્સ પ્રીમિયમ અને એન્યુઇટી યોગદાન માટે અલગ કપાત શ્રેણી બનાવવાની માગણી કરતા આવ્યા છીએ,”
જીવન વીમા અને નિવૃત્તિ પ્રોડક્ટ્સ પરની કર છૂટછાટની મર્યાદાઓ ફરી જોવાની જરૂર છે, કારણ કે હાલની મર્યાદાઓ વધતી આવક અને જીવનની બદલાતી જરૂરિયાતોને પ્રતિબિંબિત કરતી નથી. તેમણે ઉમેર્યું કે કપાત વધારવાથી અથવા પ્રોત્સાહન મેળવવાની પ્રક્રિયા સરળ બનાવવાથી ખાસ કરીને ભારતમાં ઊંચા પ્રોટેક્શન ગેપને ધ્યાનમાં રાખીને વધુ મૂલ્યવાળી પોલિસીઓની માંગમાં મોટો વધારો થશે.
સેક્શન 80Cની હાલની સ્થિતિ
આવકવેરા અધિનિયમ, 1961 મુજબ જૂની કર વ્યવસ્થામાં ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસી માટે ચૂકવાયેલા પ્રીમિયમ પર સેક્શન 80C હેઠળ દર વર્ષે ₹1.5 લાખ સુધીની કપાત મળે છે. જોકે આ મર્યાદા અન્ય ઘણા બચત સાધનો માટે પણ લાગુ કરવામાં આવવી જોઈએ. સતત વધી રહેલા ફુગાવાને પણ ધ્યાનમાં લઈને આ બાબતે નિર્ણય લેવ જરૂરી છે. નેશનલ પેન્શન સિસ્ટમ (NPS), અટલ પેન્શન યોજના, ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ (ELSS), ઈન્શ્યોરન્સ આધારિત પેન્શન યોજનાઓ, યુનિટ લિંક્ડ ઈન્શ્યોરન્સ પ્લાન (ULIP), પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) અને નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC)ને માટે પણ આ જ મર્યાદા લાગુ કરવી જોઈએ. લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસીની મેચ્યુરિટી રકમ પર કરને સરળ બનાવવાની અને ULIP માટે હાલની રૂ. 2.5 લાખની વાર્ષિક પ્રીમિયમ મર્યાદાને વધતી આવકને ધ્યાનમાં રાખીને ફરી જોવાની જરૂર છે.
બજેટમાં એવી નીતિઓ પર ધ્યાન આપવું જોઈએ જે પ્રિવેન્ટિવ હેલ્થકેરને પ્રોત્સાહન આપતી હોય, કારણ કે તબીબી મહેસૂલી ફુગાવો 11.5 ટકાથી 14 ટકા સુધી વધવાની સંભાવના છે. “સેક્શન 80D હેઠળની હાલની મર્યાદા ઉપરાંત ઓપીડી સેવાઓ અને પ્રિવેન્ટિવ હેલ્થ સ્ક્રીનિંગ માટે અલગ અને વધારાની કર છૂટછાટ આપવાથી પ્રિવેન્ટિવ કેરની વ્યાપક સ્વીકૃતી વધશે,”




