• 3 June, 2026 - 11:34 AM

બેન્કો, વીમા કંપનીઓ અને મ્યુચ્યુઅલ ફંડમાં ક્લેઈમ વિના પડી રહેલા રૂ. 2 લાખ કરોડ

અનક્લેઇમ બેન્ક ડિપોઝિટ, વીમાના ક્લેઈમ કે પછી મ્યુચ્યુઅલ ફંડમાં રહી ગયેલી રકમ અંગેની માહિતીમાં ગૂંચવાડો હોવાથી તેને શોધી કાઢવી કઠિન બની રહી હોવાનો આક્ષેપ

જુલાઈ 2023 સુધીમાં એક કેન્દ્રીય ડેટાબેઝ બનાવવામાં આવશે અને તે કાર્યરત થઈ જશે. પરંતુ અઢી વર્ષ પછી પણ તે કરવામાં આવ્યું નથી. કોર્ટે નાણા મંત્રાલય અને અન્ય નિયમનકારોને 5 મે 2026 સુધીમાં અપડેટેડ સોગંદનામા દાખલ કરવા નિર્દેશ આપ્યો હતો.

17 માર્ચ 2026ના બેન્કમાં ક્લેઈમ કર્યા વિના એટલે કે દાવો કર્યા વિનાની નાણાકીય સંપત્તિઓ અંગે જાહેર હિતની અરજીની સુનાવણીમાં સિનિયર એડવોકેટ પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટને જાણ કરી હતી કે નાણા મંત્રાલયે શાંતિપૂર્વક એક સિંગલ યુનિફાઈડ ઓનલાઈન પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. તેમાં નાગરિકો માટે બેન્ક થાપણો, વીમા દાવાઓ, શેર અને મ્યુચ્યુઅલ ફંડ્સ શોધવા માટેના પ્લેટફોર્મ કહે છે

આ અનક્લેમ્ડ ફંડ્સ માટે માત્ર એક સામાન્ય લેન્ડિંગ પેજ છે. આ પેજ યુઝર્સને વિશિષ્ટ પ્લેટફોર્મ પર રીડાયરેક્ટ કરે છે. બેન્કની થાપણો માટે RBIનું ‘UDGAM’, ક્લેઈમ ન કરેલા વીમાની રકમ માટે IRDAIનું ‘બીમા ભરોસા’ મ્યુચ્યુઅલ ફંડના ક્લેઈમ ન કરેલા નાણાં માટેના SEBIના ‘MITRA’, અને કોર્પોરેટ બાબતોના મંત્રાલય હેઠળની શેર અને ડિવિડન્ડના અનક્લેઈમ એમાઉન્ટ માટેનું IEPF ઓથોરિટીનું ‘IEPFA’ પ્લેટફોર્મ માટેની માહિતી તૈયાર થઈ નથી.

આ પેજ UDGAM અને બીમા ભરોસા સાથે મળીને, 2022માં સુપ્રીમ કોર્ટે સરકારને નોટિસ આપી ત્યારથી નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે. છતાં સરકારે સ્વીકાર્યું છે કે રૂ. 2 લાખ કરોડથી વધુની ખાનગી સંપત્તિ વિવિધ સરકારી સંસ્થાઓમાં લાવારીસ પડી છે.

સરકારને નોટિસ આપી ત્યારબાદ ‘આપકી પૂંજી આપકા અધિકાર’ જેવી જાગૃતિ અભિયાન શરૂ થયા છે. નાણા મંત્રાલયના જણાવ્યા મુજબ ઓક્ટોબર 2025થી શરૂ થયેલા ત્રણ મહિનાના અભિયાનમાં રૂ. 6,453 કરોડ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે.

સરકાર કોસ્મેટિક સેન્ટ્રલાઇઝેશન લાવી રહી છે. સરકારે એક સિંગલ ગેટવેની જરૂરિયાત સ્વીકારી છે તે આવકાર્ય છે. પરંતુ આ લેન્ડિંગ પેજમાં મૂકવામાં આવેલી વિગતો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડી.વાય. ચંદ્રચુડ દ્વારા રચવામાં આવેલી નિષ્ણાતો સમિતિની ભલામણોથી ઘણું ઓછું છે. નિષ્ણાત સમિતિએ પાંચ મુખ્ય અવલોકનો કર્યા હતા:

  1. જાહેર જનતાના લાવારીસ નાણાં અને મિલકતોનો કેન્દ્રીયકૃત, સર્ચેબલ ડેટાબેઝ બનાવવાની જરૂર છે.
  2. ડેટાબેઝનો મુખ્ય હેતુ ‘લાવારીસ સંપત્તિને વાસ્તવિક માલિક સાથે જોડવાનો’ હોવો જોઈએ.
  3. યોગ્ય કાયદા દ્વારા સમર્થિત એક વૈધાનિક કેન્દ્રીય સત્તાધિકારી-સ્ટેચ્યુટરી સેન્ટ્રલ ઓથોરિટી હોવી જોઈએ.
  4. ડેટાબેઝ ઇન્ટરઓપરેબલ અને સંકલિત હોવા જોઈએ.
  5. ઓથોરિટીએ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર બનાવવી જોઈએ.

સરકારી પ્રતિનિધિઓએ દલીલ કરી છે કે ઓળખ ચકાસણી સરળ બનાવવાથી છેતરપિંડીનું જોખમ વધી શકે છે, પરંતુ આ દલીલ કાયદાકીય રીતે પ્રસ્થાપિત કરી શકાઈ નથી. પોઝિટીવ બાબતોનું એકીકરણ ઘણી સકારાત્મક વિશેષતાઓને આ પોર્ટલમાં સામેલ કરી શકાય છે. એક જ સર્ચ ક્વેરી દ્વારા અનેક બેન્ક ખાતાઓ, મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ અને વીમા પોલિસીઓમાં સંપત્તિ શોધી શકાય તેવું હોવું જોઈએ. SEBIની મૃત્યુ નોંધણી અને કેન્દ્રીય કેઆરએ સિસ્ટમ જેવી શ્રેષ્ઠ પ્રથાઓ અપનાવવાથી ઇઝ ઓફ લીવિંગ વધી શકે છે.

આ લેન્ડિંગ પેજ એક સારું પ્રથમ પગલું છે, પરંતુ અરજદારો અને કાયદેસરના વારસદારો હજુ પણ એક વિખરાયેલા અને દસ્તાવેજોથી ભરેલા જાળાનો સામનો કરવો પડે તેવી સ્થિતિ છે. સુપ્રીમ કોર્ટની સતત દેખરેખ જ સરકારને અંતે સાચો કેન્દ્રીય ડેટાબેઝ આપવા માટે મજબૂર પણ કરી શકે છે.

 

Read Previous

RBI એ લગભગ પાંચ દાયકા પછી સહકારી બેન્કો માટે મોડેલ પેટા-નિયમો બનાવવા માટે સમિતિની રચના કરી

Most Popular