સોનું અને ચાંદીના ભાવ કેમ ઘટી રહ્યા છે?
ગોલ્ડ માટે રૂ. 1,49,000 અને સિલ્વર માટે રૂ. 2,25,000 મહત્વના સપોર્ટ લેવલ છે. સોના ને ચાંદીના આ લેવલ તૂટે તો વધુ ઘટાડો ઝડપ પકડી શકે છે.
ભાવ ઘટવાનું એક મુખ્ય કારણ વૈશ્વિક બજારમાં ઓછી પ્રવૃત્તિ છે. ચીનમાં લ્યુનર ન્યૂ યર કારણે બજારો બંધ હતા અને અમેરિકા ખાતે પ્રેસિડેન્ટ્સ ડેની રજા હોવાથી ટ્રેડિંગ હબ્સમાં ભાગીદારી ઘટી ગઈ છે
મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. કિંમતી ધાતુઓના બજારમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી અસ્થિરતા યથાવત ચાલુ રહી છે. વૈશ્વિક સ્તરે ટ્રેડિંગ પ્રવૃત્તિ ઓછી થઈ ગઈ છે. તેમ જ રોકાણકારોની અપેક્ષાઓ પણ બદલાઈ રહી છે. વર્ષની શરૂઆતમાં તેજી આવ્યા બાદ હવે ટ્રેડર્સ નફો બુક કરી રહ્યા છે. સાથે જ વિશ્વના મોટા નાણાકીય કેન્દ્રોમાં વેપાર ધીમો પડતા ભાવ પર દબાણ આવ્યું છે.
Geojit Investmentsના કોમોડિટી રિસર્ચ હેડ હરીશ વી.ના મતાનુસાર કિંમતી ધાતુઓમાં મોટો ઘટાડો થવાની શક્યતા હાલ મર્યાદિત લાગે છે. ઓછા લિક્વિડિટી વાતાવરણમાં ટ્રેડર્સ પોતાની પોઝિશન એડજસ્ટ કરી રહ્યા છે અને નવા મેક્રો સંકેતોની રાહ જોઈ રહ્યા છે. Multi Commodity Exchange of India (MCX)ના આંકડાઓ પરથી અંદાજ બાંધવામાં આવે તો સોનું રૂ. 1,51,700 પ્રતિ 10 ગ્રામ આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે ચાંદીના એક કિલોગ્રામના ફ્યુચર્સ રૂ. 2,32,655 સુધી નીચે આવી ગયા છે.
ટેક્નિકલ દૃષ્ટિએ, Choice Brokingના કોમોડિટી એનાલિસ્ટ કાવેરી મોરે જણાવ્યું કે સોનું તેના 20-DEMA નજીક ફરતું જોવા મળે છે અને ગયા સપ્તાહે મહત્વના સપોર્ટ લેવલ જાળવી શક્યું નથી. ગોલ્ડ માટે રૂ. 1,49,000 અને સિલ્વર માટે રૂ. 2,25,000 મહત્વના સપોર્ટ લેવલ છે. સોના ને ચાંદીના આ લેવલ તૂટે તો વધુ ઘટાડો ઝડપ પકડી શકે છે.
ભાવ ઘટવાના મુખ્ય કારણો
ભાવ ઘટવાનું એક મુખ્ય કારણ વૈશ્વિક બજારમાં ઓછી પ્રવૃત્તિ છે. ચીનમાં લ્યુનર ન્યૂ યર કારણે બજારો બંધ હતા અને અમેરિકા ખાતે પ્રેસિડેન્ટ્સ ડેની રજા હોવાથી ટ્રેડિંગ હબ્સમાં ભાગીદારી ઘટી ગઈ છે. પરિણામે વોલ્યુમ પાંખો રહ્યો અને બુલિયનના ભાવ પર દબાણ આવ્યું છે. તદુપરાંત, વ્યાજદર નીતિ, મોંઘવારીના આંકડા અને વૈશ્વિક આર્થિક વૃદ્ધિના સંકેતો પણ કિંમતી ધાતુઓની દિશા નક્કી કરે છે. સોનું અને ચાંદી વ્યાજ આપતી સંપત્તિ નથી, તેથી જ્યારે વ્યાજદર ઊંચા રહે ત્યારે રોકાણકારોનું આકર્ષણ ઘટે છે.
આગામી મહિનાઓમાં United States Federal Reserve વ્યાજદરમાં ઘટાડો કરે તો નિષ્ણાતો માને છે કે સોનું અને ચાંદીમાં ફરી તેજી આવી શકે છે, કારણ કે સુરક્ષિત રોકાણ તરીકે સોના અને ચાંદીની માંગ વધી જશે.
શું ઘટાડો આગળ પણ ચાલુ રહેશે?
હાલનો ઘટાડો મોટેભાગે તાત્કાલિક કારણોસર છે. આ કારણોમાં ઓછું વૈશ્વિક ટ્રેડિંગ અને નફો બુક કરવાની માનસિકતાને કારણે જોવા મળી રહ્યો છે. લાંબા ગાળાની દિશા મોંઘવારી, વૈશ્વિક વૃદ્ધિ અને ફેડની નીતિ પર આધાર રાખશે. નજીકના ગાળામાં ભાવમાં અસ્થિરતા રહી શકે છે, પરંતુ લાંબા ગાળે બજાર પર વ્યાજદર અને વૈશ્વિક અર્થતંત્રનો પ્રભાવ વધારે રહેશે.





