• 4 February, 2026 - 9:16 AM

શું અમેરિકા ભારત પરના 25 ટકા ટેરિફ પાછા ખેંચશે?

શું અમેરિકા ભારત પરના 25% ટેરિફ પાછા ખેંચશે? ટ્રેઝરી સચિવ સ્કોટ બેસેન્ટે શું કહ્યું તે જાણો
ભારત પરના અમેરિકી ટેરિફ દૂર થશે? અત્યાર સુધી શું જાણવા મળ્યું

રશિયન ક્રૂડ ઓઈલની ખરીદી માટે ભારત પર લગાવવામાં આવેલ 25 ટકા દંડાત્મક શુલ્ક-આયાત ડ્યૂટી પાછી ખેંચી લેવામાં આવે તેવી શક્યતા છે. છેલ્લા થોડાક મહિનાઓમાં ભારતે રશિયન ક્રૂડ તેલની આયાતમાં નોંધપાત્ર ઘટાડો કર્યો હોવાથી પ્રસ્તુ નિર્ણય લેવામાં આવે તેવી સંભાવના છે, એમ અમેરિકાના ટ્રેઝરી સચિવ સ્કોટ બેસેન્ટે એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું. ગયા વર્ષના ઓગસ્ટમાં, ટ્રમ્પે ભારત દ્વારા રશિયન ઊર્જા ઉત્પાદનો ખરીદવાના કારણે ભારતીય આયાત પરના શુલ્કને બમણું કરીને 50 ટકા કરી દીધું હતું.

તેમણે કહ્યું હતું કે ટેરિફ હજુ યથાવત છે, પરંતુ ટ્રમ્પ 2.0 હેઠળ લગાવવામાં આવેલા દંડાત્મક શુલ્ક પર અમેરિકા ફરી વિચાર કરી શકે છે. મને લાગે છે કે તેને દૂર કરવાનો કોઈ રસ્તો હોઈ શકે છે. યુક્રેન યુદ્ધ બાદ નવી દિલ્હી રશિયન તેલ ન ખરીદે તે માટે 25 ટકા ટેરિફ લગાવવામાં આવ્યું હતું. ભારતીય રિફાઇનરીઓ દ્વારા ડિસ્કાઉન્ટેડ રશિયન ક્રૂડની ખરીદી નોંધપાત્ર રીતે વધી હતી તે હવે ખાસ્સી ઓછી થઈ ગઈ છે. અમે રશિયન તેલ ખરીદવા બદલ ભારત પર 25 ટકા ટેરિફ લગાવ્યા હતા અને ભારતીય રિફાઇનરીઓ દ્વારા રશિયન તેલની ખરીદી લગભગ બંધ થઈ ગઈ છે. ટેરિફ પાછું ખેચી લેવામાં આવે તેવી શક્યતા છે. ગયા વર્ષના ઓગસ્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પે ભારત દ્વારા રશિયન ઊર્જા ઉત્પાદનોની ખરીદીના કારણે ભારતીય આયાત પરના શુલ્કને બમણું કરીને 50 ટકા કરી દીધું હતું.

ભારતે મોસ્કો સાથેના ઊર્જા વેપારમાં ઘટાડો કર્યો હોવાનો દાવો કરનાર બેસેન્ટ એકલા નથી. નવેમ્બરમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ભારતે બહુધા રશિયન ક્રૂડ તેલ ખરીદવાનું બંધ કરી દીધું છે. ભારત સાથેની વેપાર વાતચીત સારી ચાલી રહી છે, તેણે મોટા ભાગે રશિયાથી તેલ ખરીદવાનું બંધ કરી દીધું છે. પ્રધાનમંત્રી મોદી મારા મિત્ર છે, અમે વાત કરીએ છીએ અને તેઓ મને ત્યાં આવવા કહે છે. અમે તે નક્કી કરી લઈશું, હું જઈશ.

તદુપરાંત બેસેન્ટના નિવેદનો ભારત–અમેરિકા વેપાર સોદાની વાતચીતમાં પણ પ્રગતિની ઝલક આપે છે. તેની સામે, અમેરિકાના વાણિજ્ય સચિવ હાવર્ડ લટનિકે ચામથ પાલિહાપિટિયા સાથેના એક પોડકાસ્ટમાં કહ્યું હતું કે બંને દેશો વચ્ચે સંભવિત વેપાર સોદો સાકાર નહીં થાય કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કર્યો નથી. પરંતુ ભારતે લટનિકના આ દાવાને ઝડપથી નકારી કાઢ્યો હતો.

લટનિક ચામથના દાવા પર ટિપ્પણી કરતાં વિદેશ મંત્રાલય (MEA)એ કહ્યું હતું કે લટનિક દ્વારા ઘટનાઓની રજૂઆત વાસ્તવિકતાથી જોજનો દૂર છે. વિદેશ મંત્ર્યાલયના પ્રવક્તા રણધીર જયસવાલે જણાવ્યું હતું કે નવી દિલ્હી અને વોશિંગ્ટને ગયા વર્ષના 13 ફેબ્રુઆરીથી “સંતુલિત અને પરસ્પર લાભદાયી” વેપાર કરાર સુધી પહોંચવા માટે અનેક તબક્કાની વાટાઘાટો કરી છે.

Read Previous

H-1B વિઝા માટે અરજી કરનારાઓને 2027 સુધી મંજૂરી નહિ મળે

Read Next

શેરબજારના નિષ્ણાતોની નવ શેર્સમાં સતત લેવાલી કરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular