• 4 February, 2026 - 12:22 PM

આવકવેરાની ચોરી પકડવાના ટાર્ગેટ આપવા એ CBDTનું અવાસ્તવિક-અણસમજુ વલણ

 

આવકવેરાની ચોરી પકડવાના ટાર્ગેટ આપવા એ CBDTનું અવાસ્તવિક-અણસમજુ વલણઃ આવકવેરા અધિકારીઓના પ્રમોશન અને કારકીર્દિના નિર્માણ પરત્વે સેવવામાં આવી રહેલી બેદરકારી

અમદાવાદઃ આવકવેરાના અધિકારીઓને વાર્ષિક ટાર્ગેટ આપવા એ અવાસ્તવિક અને અણસમજુ અભિગમ દર્શાવે છે, એમ જણાવીને ઇન્કમટેક્સ ગેઝેટેડ ઓફિસર્સ એસોસિયેશન અને ઇન્કમટેક્સ એમ્પ્લોયીઝ ફેડરેશને ટાર્ગેટ આપવાના વલણ સામે વિરોધ નોંધાવ્યો છે.

આ અંગે ઇન્કમટેક્સના ઓફિસરોએ અને અધિકારીઓએ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસને એક પત્ર પણ લખ્યો છે. આવકવેરા અધિકારીઓને કામકાજ કરવા માટેની સ્થિતિ બહુ જ ખરાબ છે. તેમ જ તેમને સમયસર પ્રમોશન્સ પણ આપવામાં આવતા નથી. તેથી તેમની કારકીર્દિમાં યોગ્ય વિકાસ ન થતો હોવાનું પણ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.

આવકવેરા અધિકારીઓની કારકીર્દિના વિકાસની તક ધૂંધળી હોવાથી અને તેમને મળતી માળખાકીય સુવિધા પણ અપૂરતી હોવાથી અધિકારીઓનું ભ્રમ નિરસન થઈ રહ્યું છે. સીબીડીટીના અધિકારીઓ સમક્ષ આ રજૂઆત સમયે સમયે કરવામાં આવતી હોવા છતાં આ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે પૂરતા પ્રયાસો કરવામાં આવતા નથી.

11મી જાન્યુઆરી 2026 સુધીમાં આવકવેરાની કુલ આવક અંદાજે 18.28 કરોડની થઈ છે. ચાલુ નાણાંકીય વર્ષના આવકના અંદાજ કરતાં આ આવક 8.82 ટકા જેટલી ઓછી છે. બજેટમાં મૂકવામાં આવેલા અંદાજ મુજબ 10.82 લાખ કરોડની આવક થઈ ચે. તેનો પ્રોજેક્ટેડ વિકાસ દર 10.4 ટકાનો છે. સિક્યોરિટીઝ એન્ડ ટ્રાન્ઝેક્શન ટેક્સની આવક સહિત કુલ આવક રૂ. 13.60 લાખક કરોડ થવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. આમ તેનો વિકાસ દર 13.1 ટકાનો છે.  કંપની કરદાતાઓ અને વ્યક્તિગત કરદાતાઓને આ વખતે ઓછું ટેક્સ રિફંડ આપવામાં આવ્યું હોવાથી આવકવેરા ખાતાનું ટેક્સ કલેક્શન ઊંચી સપાટીએ રહ્યું છે.

સીબીડીટી સામેની ફરિયાદો વધી

સીબીડીટી સામેની કરદાતાઓની ફરિયાદ વધી રહી છે. સીપી ગ્રામ તરીકે ઓળખાતા અને પ્રધાનમંત્રીના કાર્યાલય સુધી સીધી ફરિયાદ લઈ જતાં પોર્ટલ પર ફરિયાદો તો સંખ્યાબંધ થઈ છે. પરંતુ આ ફરિયાદોમાંથી પંદર ટકાથી ઓછી ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. આ ફરિયાદોમાંથી મોટાભાગની ફરિયાદો આવકવેરાના રિફંડને લગતી છે. સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર પણ આવકવેરાના રિફંડને લગતી સંખ્યાબંધ ફરિયાદો કરવામાં આવી રહી છે.તેમણે સમયસર રિટર્ન ફાઈલ કર્યું હોવા છતાં તેમને રિફંડ ન મળ્યું હોવાની ફરિયાદ કરવામાં આવી છે.

Read Previous

આજે શેરબજારમાં શું કરશો?

Read Next

નિકાસ અને આયાતના વેપારમાં રૂપિયાના મૂલ્યમાં બિલ બનાવી વેપાર થાય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular