• 4 February, 2026 - 5:02 PM

ભારતનો જીડીપી 6.8થી 7.2 ટકાની આસપાસ રહેવાનો આર્થિક સરવેનો અંદાજ

ટેલિકોમ, ઇલેક્ટ્રોનિક્સ, ફૂડ પ્રોસેસિંગ જેવા ક્ષેત્રોમાં ઉત્પાદન અને રોજગાર વધ્યા, બંદરો, રેલવે, હાઈવે અને એરપોર્ટમાં મોટું રોકાણ કરવામાં આવ્યું

અમદાવાદઃ દેશના અર્થતંત્રનો જીડીપી 2026-27ના વર્ષ દરમિયાન 6.8થી 7.2નો રહેવાનો અંદાજ આજે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કરેવા આર્થિક સર્વેક્ષણમાં જણાવ્યું હતું. તેમ જ એપ્રિલથી ડિસેમ્બર 2025ના ગાળામાં સરેરાશ મોંઘવારીનો દર 1.7 ટકા રહ્યો છે. એમ આજે સંસદમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા 2025-26ના આર્થિક સરવેમાં જણાવવામાં આવ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં આર્થિક સર્વે 2025-26 રજૂ કર્યો હતો. સરવેમાં જણાવવામાં આવ્યું છે કે અત્યારે 16મી જાન્યુઆરી 2026 સુધીમાં ભારત પાસેનો વિદેશી હૂંડિયામણનો ભંડોળ 701.4 અબડ ડૉલરનું થયું છે.

આ સરવે મુખ્ય આર્થિક સલાહકાર ડૉ. વી. અનંથા નાગેશ્વરનના માર્ગદર્શન હેઠળ તૈયાર થયો છે. બજેટ 2026-27 પહેલાં રજૂ થતો આ સર્વે દેશની અર્થવ્યવસ્થાની સંપૂર્ણ સ્થિતિ રજૂ કરે છે. સરવેમાં જણાવ્યા મુજબ ખાનગી વપરાશ ખર્ચ (PFCE): GDPમાં 61.5 ટકા થયો છે, જે છેલ્લા એક દાયકાનો સર્વોચ્ચ સ્તરે છે.

રોજગાર અને ઉદ્યોગ

FY24માં સંગઠિત ઉત્પાદન ક્ષેત્રે 10 લાખથી વધુ નોકરીઓનું નિર્માણ થયું હતું.  Q2 FY26માં કુલ 56.2 કરોડ લોકો રોજગારમાં જોડાયેલા હતા. PLI યોજનાને કારણે ટેલિકોમ, ઇલેક્ટ્રોનિક્સ, ફૂડ પ્રોસેસિંગ જેવા ક્ષેત્રોમાં ઉત્પાદન અને રોજગાર વધ્યા હતા.

🔹 કૃષિ અને ગ્રામ વિકાસ

2024-25માં ખાદ્યાન્ન ઉત્પાદન 3577.3 લાખ મેટ્રિક ટન થયું હતું. PM-Kisan યોજના હેઠળ અત્યાર સુધી ₹4.09 લાખ કરોડથી વધુ સહાય ચૂકવી દેવામાં આવી છે. કૃષિને વિકસિત ભારત 2047 માટે કેન્દ્રસ્થાને રાખવામાં આવી રહ્યું છે. AI અને ટેકનોલોજી પરનો મદાર વધારવામાં આવી રહ્યો છે. AIને વ્યૂહાત્મક પ્રાથમિકતા આપવાની જાહેરાત કરવામાં આવી છે. ભારત વૈશ્વિક AI સંશોધનમાં ટોચના દેશોમાં સ્થાન મેળવે તેવા પ્રયાસો કરવામાં આવશે. નાના, એપ્લિકેશન-સ્પેસિફિક AI મોડેલ્સ પર ભાર મૂકવામાં આવશે. વિદેશી AI નિર્ભરતા ભારત માટે જોખમી બની શકે છે

🔹 ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સ

લોજિસ્ટિક્સ ખર્ચ GDPના 7.97 ટકા સુધી ઘટાડવામાં આવ્યો છે. PM ગતિશક્તિ હેઠળ 1700થી વધુ ડેટા લેયર્સ તૈયાર કરવામાં આવ્યા છે. બંદરો, રેલવે, હાઈવે અને એરપોર્ટમાં મોટું રોકાણ કરવામાં આવ્યું છે. બીજીતરફ 2026માં વૈશ્વિક અર્થવ્યવસ્થા નાજુક અને અનિશ્ચિતતા દર્શાવી રહી છે. ભૂરાજનીતિક તણાવ, વેપારના રાજકીયકરણથી જોખમ વધી રહ્યું છે. તેમ છતાં ભારતનું અર્થતંત્ર છતાં સ્થિર અને લચીલું-સ્થિતિસ્થાપક રહ્યું છે. આર્થિક સર્વે દર્શાવે છે કે ભારતનું વિકાસ મોડેલ હવે સ્થાનિક માંગ, જાહેર મૂડીરોકાણ, ટેકનોલોજી અને સુધારાઓ આધારિત બની રહ્યું છે.

Read Previous

આજે શેરબજારમાં શું કરી શકાય?

Read Next

ભાવ વધી જતાં 2026માં સોનાની માંગ ઘટવાની શક્યતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular