આજે શેરબજારમાં શું કરશો?

નિફ્ટી ઇન્ડેક્સની આજે ચાલ કેવી રહેશે?
સોના પરની આયાત ડ્યૂટી વધારીને પંદર ટકા કરવામાં આવી
આજે ખરીદવા જેવા શેરની વાત કરીએ તો તે સેજિલિટીનો શેર છે. રૂ. 43.09ની આસપાસ તેનો ભાવ બોલાઈ રહ્યો છે. સોમવારે સ્ટોકમાં 4.2 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. છતાં રૂ.43 ના લેવલ જે પહેલા રેઝિસ્ટન્સ હતું અને હવે સપોર્ટ બની ગયું છે. પરિણામે શેર રૂ. 43ના લેવલ પર પરીથી આવી જાય તેવી સંભાવના છે. સેજિલિટી (Sagility) ના સ્ટોકે ગયા અઠવાડિયે રૂ. 43 ના મુખ્ય રેઝિસ્ટન્સ લેવલને તોડ્યું હતું. આમ સ્ટોકે ‘હાયર હાઈ’ બનાવ્યો છે. ટેકનિકલ ચાર્ટમાં બ્રેકઆઉટે ‘કપ એન્ડ હેન્ડલ’ ચાર્ટ પેટર્ન બનાવી છે. તે પણ શેરના ભાવમાં હવે વધારો થવાની પુષ્ટિ કરે છે, આમ સ્ક્રિપના ટ્રેન્ડમાં તેજી સૂચવે છે.
શેરના ભાવનો ઘટાડો રૂ. 41.50 સુધી જઈ શકે છે. છતાં બજારના નિષ્ણાતોને લાગી રહ્યું છે કે સ્ટોક આખરે તેની તેજી ફરી શરૂ કરશે. આગામી અઠવાડિયામાં તે રૂ. 53ના મથાળા સુધી પહોંચી શકે છે.
ટ્રેડિંગ સ્ટ્રેટેજી
- શેરની ખરીદી રૂ.43ની આસપાસ કરી શકાય છે. રૂ. 41.50 સુધી ઘટે તો હોલ્ડિંગમાં વધારો કરી શકાય છે.
- સ્ટોપ-લોસ: રૂ. 39 પર રાખી શકાય છે. ભાવ વધે તેમ તેમ સ્ટોપલોસને ઉપર લઈ જવો જોઈએ.
- સ્ટોપ-લોસ ટ્રેલિંગ: જ્યારે શેરનો ભાવ રૂ. 48 પર પહોંચે, ત્યારે સ્ટોપ-લોસ વધારીને રૂ. 44 કરો. જો સ્ટોક રૂ. 51 પર જાય, તો સ્ટોપ-લોસ રૂ. 48 પર લાવો.
- ટાર્ગેટ (પ્રોફિટ બુકિંગ): રૂ.53 પર નફો બુક કરો.
આજે નિફ્ટી 23,400ની નજીક સામાન્ય સુધારા સાથે ખૂલી શકે
નિફ્ટીમાં તાજેતરના તીવ્ર ઘટાડા બાદ આજે બજાર સાધારણ પોઝિટિવ અથવા સ્થિર ખૂલવાની અપેક્ષા છે. નિફ્ટી લગભગ 15 પોઈન્ટના વધારા સાથે 23,400 ની આસપાસ શરૂઆત કરી શકે છે. છતાં છેલ્લા ચાર સત્રોથી સતત વેચવાલીના દબાણને કારણે બજારનું માળખું હજુ પણ નબળું છે. બજારમાં કોઈપણ રિકવરી આવશે તો રેઝિસ્ટન્સ ઝોન પાસે આવી શકે છે. ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સે તેના પર બારીક નજર રાખવી જરૂરી છે.
ટેકનિકલ સ્તર:
- રેઝિસ્ટન્સ: 23,600થી 23,800ની રેન્જ જોવા મળી શકે. વેચવાલીનું દબાણ ચાલુ રહી શકે છે.
- સપોર્ટ: નીચેની તરફ 23,100થી 22,900 નું લેવલ મુખ્ય સપોર્ટ તરીકે કામ કરશે.
હાલની સ્થિતિમાં સાવચેતીભર્યું વલણ અપનાવવાની સલાહ છે, કારણ કે બજારમાં હજુ સુધી તેજીના કોઈ મજબૂત સંકેતો મળ્યા નથી. જ્યાં સુધી ઇન્ડેક્સ મજબૂતી સાથે મુખ્ય અવરોધ સ્તરોને પાર ન કરે, ત્યાં સુધી ટ્રેડર્સે આક્રમક ખરીદી ટાળવી જોઈએ અને ‘સેલ ઓન રાઈઝ’ -ઉછાળે વેચવાલી ની વ્યૂહરચના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
ભારતે સોના અને ચાંદી પરની ઈમ્પોર્ટ ડ્યુટી વધારીને 15 ટકા કરી; આયાત ઘટાડવા અને રૂપિયાને ટેકો આપવા નિર્ણય
ભારત સરકારે સોના અને ચાંદીની આયાત ડ્યુટી (ટેરિફ) વધારીને 15% કરી દીધી છે. આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય વધતી જતી આયાત પર અંકુશ મેળવવો, વિદેશી હૂંડિયામણના ભંડાર (Forex Reserves)નું રક્ષણ કરવું અને ટ્રેડ ડેફિસિટ (વેપાર ખાધ) ઘટાડીને ભારતીય રૂપિયાને મજબૂતી આપવાનો છે.


