• 19 March, 2026 - 8:17 AM

આજે શેરબજારમાં શું કરશો?

Schneider Electric Infrastructure -સ્નીડર ઇલેક્ટ્રિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં લેણ કરી શકાય

અમદાવાદઃ સ્નીડર ઇલેક્ટ્રિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેર્સમાં લેણ કરી શકાય છે. તેનો વર્તમામ બજાર ભાવ રૂ. 895ની આસપાસનો છે. ગયા એક મહિનાથી Schneider Electric Infrastructureનો શેર સાઇડવેઝ ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે.

હાલમાં આ શેર રૂ. 840 થી રૂ. 930ની રેન્જમાં અટવાયેલો છે. આ પહેલાં, જાન્યુઆરીમાં રૂ. 575ના સપોર્ટ પરથી તેમાં તેજીનો મજબૂત ટ્રેન્ડ શરૂ થયો હતો. એટલે કે, તાજેતરની સાઇડવેઝ મૂવમેન્ટ છતાં મોટો ટ્રેન્ડ હજી પણ પોઝિટિવ છે. અંદાજ છે કે શેર જલ્દી જ નવા અપટ્રેન્ડમાં પ્રવેશ કરશે. એકવાર તેજી શરૂ થશે પછી ભાવ રૂ. 1,200 સુધી જઈ શકે છે.

રોકાણકારો હાલ રૂ. 896 આસપાસ ખરીદી કરી શકે છે. ઘટાડે રૂ. 850 પર વધુ ખરીદી (accumulate) કરી શકે છે. શેરમાં પ્રારંભિક સ્ટોપ-લોસ રૂ.800 રાખની કામકાજ કરી શકાય છે.

એકવાર શેરના ભાવમાં વધારો થવાનું ચાલુ થાય અને ભાવ રૂ. 1,000 પહોંચે ત્યારે સ્ટોપ-લોસ રૂ. 900 કરી શકાય છે. તેમ જ ભાવ રૂ. 1,100 પહોંચે ત્યારે સ્ટોપ-લોસ વધારીને રૂ. 1,040 કરી દેવો જોઈએ. શેરનો ભાવ વધીને રૂ. 1200ની સપાટીને વળોટી જાય ત્યારે ઇન્વેસ્ટર્સ ટ્રેડર્સ નફો બુક કરી શકે છે.

  • બ્રોકરેજ હાઉસ એચડીએફસી સિક્યોરિટીઝે એનટીપીસી ગ્રીન એનર્જીના શેર્સની ખરીદી કરવાની ભલામણ કરી છે. તેનો ટાર્ગેટ ભાવ રૂ. 121 દર્શાવવામાં આવ્યો છે.
  • બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલે એસબીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સના શેર્સમાં લેણ કરવાની ભલામણ કરી છે.તેનો ટાર્ગેટ ભાવ રૂ. 2400નો દર્શાવ્યો છે.
  • બ્રોકરેજ હાઉસ જે.એમ. ફાઈનાન્શિયલે ઇટર્નલના શેર્સ ખરીદવાની ભલામણ કરીને ટાર્ગેટ ભાવ રૂ. 400નો આપ્યો છે.
  • બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલે વરુણ બીવરેજિસના શેર્સમાં લેણ કરવાની ભલામણ કરી છે. તેનો ટાર્ગેટ ભાવ રૂ. 550નો આપ્યો છે.
  • બ્રોકરેજ હાઉસ જે.એમ. ફાઈનાન્શિયલે તિલકનગર ઇન્ડસ્ટ્રીઝના શેર્સ ખરીદવાની ભલામણ કરી છે. તેનો ટાર્ગેટ ભાવ રૂ. 550નો દર્શાવવામાં આવ્યો છે.
  • બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલે જ આઈપીસીએ લેબ્સના શેર્સમાં લેવાલી કરવાની ભલામણ કરી છે. તેનો ટાર્ગેટ ભાવ રૂ. 1820 સૂચવ્યોછે.

નોંધઃ શેરબજારમાં કરવામાં આવતું રોકાણ જોખમી હોય છે. રોકાણકારોને માત્ર માર્ગદર્શન આપવાના ઇરાદાથી આ સૂચન કરવામાં આવ્યું છે. આ અંગે આખરી નિર્ણય ટ્રેડર્સ કે ઇન્વેસ્ટર્સનો રહેશે. તેમાં થતાં નફા-નુકસાન માટે આ સૂચન કરનારની કોઈ જ જવાબદારી રહેશે નહિ.

Read Previous

મુંબઈ શેરબજારમાં હેજિંગ સ્ટ્રેટેજી માટે ચાર નવા ઇન્ડેક્સ શરૂ કરવામાં આવ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular