• 1 May, 2026 - 1:34 AM

કરચોરી કરનારાઓને શોધવા માટે ટેક્નોલોજીનો વધુ ઉપયોગ કરવો જરૂરી: નાણાં મંત્રી

નવો આવકવેરા કાયદો મજબૂત નૈતિક ધોરણો પર આધારિત હોવો જોઈએ અને કરચોરી કરનારાઓને શોધવા માટે ટેક્નોલોજીનો વધુ ઉપયોગ કરવો જરૂરી છે, એમ નાણાં મંત્રી નિર્મલા સીતારામણે શુક્રવારે જણાવ્યું હતું.

PRARAMBH 2026 કાર્યક્રમમાં જ આવકવેરા વિભાગે નવા આવકવેરા નિયમો જાહેર કર્યા હતા. નાણાં મંત્રીએ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે નવો કાયદો અને નિયમો 1 એપ્રિલથી અમલમાં આવશે. આવકવેરા કાયદો, 2025 નૈતિકતા અને વિશ્વાસ પર આધારિત હોવો જોઈએ. આ સુધારાઓ માત્ર ડેટા આધારિત નથી, પરંતુ કરદાતાઓ સાથે વિશ્વાસ પર આધારિત છે.

ટેક્સ ચૂકવવું એટલું સરળ બનાવો કે લોકો માટે ઈમાનદારી સ્વાભાવિક બની જાય. પરંતુ જો કોઈ જાણબૂઝીને ટેક્સ ચૂકવતા ટાળે છે, તો ટેક્નોલોજી દ્વારા તેને પકડવામાં આવશે.

નવા કાયદાના મુખ્ય મુદ્દા

  • જૂના અને બિનજરૂરી નિયમો દૂર કરવામાં આવ્યા
  • કલમોની સંખ્યા 819 થી ઘટાડી 536 કરવામાં આવી
  • અધ્યાયો 47 થી ઘટાડી 23 કરવામાં આવ્યા
  • કુલ શબ્દો 5.12 લાખ થી ઘટાડી 2.6 લાખ કરવામાં આવ્યા
  • પ્રથમ વખત 39 ટેબલ અને 40 ફોર્મ્યુલા ઉમેરાયા

👉 આ બદલાવ કાયદાને વધુ સરળ અને સમજવા યોગ્ય બનાવશે.

નવા આવકવેરા નિયમો (2026) હેઠળ ઇલેક્ટ્રિક વાહનો (EV) માટે ખાસ ટેક્સ લાભ આપવામાં આવ્યા છે. તેમ જ હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. નવા નિયમ મુજબ અમદાવાદ, બેંગલુરુ, હૈદરાબાદ અને પુણે હવે મેટ્રો શહેર તરીકે ગણાશે આ શહેરોમાં HRA-હાઉસ રેન્ટ એલાવન્સ માટે 50 ટકાની છૂટ મળશે. ઉપરાંત નોઈડા, ગુરુગ્રામ અને નવી મુંબઈ હજુ પણ 40 ટકાની શ્રેણીમાં રહેશે.

કેપિટલ ગેઇન રિપોર્ટિંગમાં મોટો ફેરફાર કરવામાં આવ્યા છે. કેપિટલ ગેઈનના સંદર્ભમાં હવે કરદાતાઓએ નીચેની વિગતો આપવી પડશે. ખરીદી અને વેચાણની તારીખ આપવી પડશે. તેમણે આ ગાળામાં કરેલા તમામ ટ્રાન્ઝેક્શનની કિંમત સહિતની સંપૂર્ણ વિગતો આપવી પડશે. તેમણે કરેલી ખરીદની કિંમત અને ત્યારબાદ થયેલા ભાવ વધારાની વિગતો પણ આપવી પડશે. લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના નફાનો અલગ હિસાબ આપવો પડશે.  પહેલાં માત્ર કુલ આંકડો આપવો પડતો હતો, હવે વિગતવાર માહિતી આપવી પડશે.

ટેક્સના નિષ્ણાતોનું કહેવું છે કે નવો કાયદો વધુ સરળ અને પારદર્શક બનશે. નવા ફોર્મ અને નિયમો 1 એપ્રિલથી લાગુ પડશે. “ટેક્સ યર” જેવી નવી કલ્પનાઓ રજૂ થશે. અત્યાર સુધી નાણાંકીય વર્ષ ચાલતા હતા. નવો આવકવેરા કાયદો વધુ સરળ, પારદર્શક અને ટેક્નોલોજી આધારિત છે. ઈમાનદાર કરદાતાઓ માટે સિસ્ટમ સરળ બનશે. ટેક્સ ચોરી કરનારાઓ માટે કડક કાર્યવાહી થશે.

 

Read Previous

બરામુલ્લાનો છોકરો: ઉધારના શૂઝથી ₹8.4 કરોડના કરાર સુધીની ઔકિબ નબીની શાનદાર સફર

Read Next

ઇરાને હિન્દમહાસાગરમાંના અમેરિકા-બ્રિટનની સૈન્ય છાવણી પર હુમલો કર્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular