SEBIએ ડીમેટ અને મ્યુચ્યુઅલ ફંડ ખાતા માટે નૉમિનેશનના નિયમો સરળ બનાવવા પ્રસ્તાવ મૂક્યો

સેબી દ્વારા આ પગલાં લેવા પાછળનો મૂળભૂત હેતુ ખાતું ખોલવાની પ્રક્રિયા સરળ બનાવવાનો, રોકાણકારો માટે સરળતા કરી આપવી અને અનક્લેઇમ્ડ રોકાણોનું પ્રમાણ ઘટાડવાનો છે.
Securities and Exchange Board of India એ ડીમેટ એકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડના ફોલિયો માટે નૉમિનેશન પ્રક્રિયાને સરળ બનાવવા નવા નિયમોનો પ્રસ્તાવ મૂક્યો છે. સેબી દ્વારા આ પગલાં લેવા પાછળનો મૂળભૂત હેતુ ખાતું ખોલવાની પ્રક્રિયા સરળ બનાવવાનો, રોકાણકારો માટે સરળતા કરી આપવી અને અનક્લેઇમ્ડ રોકાણોનું પ્રમાણ ઘટાડવાનો છે.
🔸 હવે નૉમિનેશન ડિફોલ્ટ રહેશે
SEBIના પ્રસ્તાવ મુજબ નવા ડીમેટ અથવા મ્યુચ્યુઅલ ફંડ ખાતું ખોલતાં સમયે નૉમિનેશન આપવું ફરજિયાત-ડિફોલ્ટ રહેશે. રોકાણકાર નૉમિનેશન ન કરવા માંગે તો સ્પષ્ટ રીતે “opt-out” પસંદ કરવું પડશે. તેથી વધુ લોકો નૉમિનેશન કરશે અને ભવિષ્યમાં એસેટ ટ્રાન્સફર સરળ બનશે
હાલના ખાતાધારકોને રીમાઇન્ડર મળશે. તેમના ખાતાઓમાં નૉમિનેશન નથી. તેમને SMS અને Email દ્વારા સમયાંતરે યાદ આપવાનું ચાલુ રાખવામાં આવશે. જેથી તેઓ નૉમિનીના નામનો ઉમેરો કરશે.
નવો પ્રસ્તાવ મુજબ ફક્ત નૉમિનીનું નામ અને સંબંધ લખવો ફરજિયાત છે. બાકી વિગતો (સરનામું, મોબાઇલ, ઈમેલ, શેર) વૈકલ્પિક રાખવામાં આવી છે. તેથી પ્રક્રિયા સરળ અને ઝડપી બનશે. નૉમિનીની સંખ્યા 4 સુધી મર્યાદિત રાખવાની રહેશે. હવે મહત્તમ 4 નૉમિની રાખી શકાશે. અગાઉ 10 નામ નોમિનેશન માટે રાખવાની મંજૂરી હતી. આ ફેરફાર કામગીરી સરળ બનાવવા માટે કરવામાં આવ્યો છે. નૉમિનીને ખાતું ચલાવવાનો અધિકાર નહીં. SEBIએ પહેલાનો નિયમ રદ કરવાનો પ્રસ્તાવ કર્યો છે. આ નિયમમાં રોકાણકાર અસમર્થ થાય તો નૉમિની ખાતું ચલાવી શકે છે. હવે આ માટે Power of Attorney (PoA) નો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. કારણ કે છેતરપિંડી અને કાનૂની વિવાદના જોખમ ઘટાડવા માગે છે.
સેબી Opt-out પ્રક્રિયા પણ સરળ બનાવવા માગે છે. હવે વિડીયો રેકોર્ડિંગની કે પછી ફિઝિકલ ડોક્યમેન્ટ્સની જરૂર પડશે નહીં. ઇન્વેસ્ટર્સ ઓનલાઈન ડિક્લેરેશનના માધ્યમથી ઓપ્ટ આઉટ કરી શકશે.
રોકાણકારોને લાભ થશે
રોકણકારો માટે ખાતું ખોલવાની પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બની જશે. નૉમિનેશન વધવાથી એસેટ ટ્રાન્સફર સરળ બનશે. પેપરવર્ક અને ફોર્માલીટી ઘટી જશે. રોકાણકારના અવસાન પછી ક્લેઈમ કર્યા વિના પડી રહેતા રોકાણના પ્રમાણમાં ઘટાડો થશે. SEBIએ આ પ્રસ્તાવ પર 7 એપ્રિલ 2026 સુધી લોકોને તેમનો મત વ્યક્ત કરવા માટે આમંત્રણ આપ્યું છે.



