• 26 March, 2026 - 5:52 PM

શિપિંગના ને એર ટિકીટના ભાડાં વધી જતાં આંદામાન નિકોબારનો પ્રવાસ મોંઘો પડશે

લીવ ટ્રાવેલ એલાવન્સનો ઉપયોગ કરવા ગુજરાતમાંથી દર વર્ષે આંદામાન નિકોબારના પ્રવાસે જતાં ૨૦થી ૨૫ હજાર સરકારી અધિકારીઓ

અમદાવાદઃ લીવ ટ્રાવેલ એલાવન્સ વાપરવા માટે આંદામાન અને નિકોબાર જતાં ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારના અધિકારીઓને વિમાન ભાડાંમાં રૃા.૪૦૦૦થી ૫૦૦૦ ગુજરાતમાં અને જુદાં જુદાં ટાપુંઓ પર ફરવા માટેના શિપિંગ બિલમાં રૃા. ૯૦૦ના વધારાનો બોજો ખમવાની નોબલ આવી છે, એમ વિશ્વા ટ્રાવેલ્સના પરેશ શાહનું કહેવું છે. દર મહિને એકલા અમદાવાદ-ગાંધીનગરમાંથી ૧૫૦૦૦થી ૨૦,૦૦૦ જેટલા સરકારી કર્મચારીઓ આંદામાન અને નિકોબારના પ્રવાસે થાય છે. અમેરિકા અને ઇઝરાયલે સાથે મળીને ઇરાન પર કરેલા આક્મણને પરિણામે  વિમાન ભાડાંમાં અને શિપિંગ ચાર્જમાં વધારો કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

એરલાઈન્સે ટિકીટમાં રૃા. ૫૦૦૦નો ને શિપિંગ કંપનીએ એક ટાપુથી બીજા ટાપુ પર જવાનો ચાર્જ રૃા.૩૦૦ વધારી દીધા

અમદાવાદથી આંદમાન નિકોબાર જવા માટે અમદાવાદથી પોર્ટબ્લેર જવા રોજની બે ફ્લાઈટ રવાના થાય છે. આ જ દર્શાવે છે કે આંદામાન નિકોબાર જનારાઓની સંખ્યા મોટી હોવાનું માનવામાં આવે છે. વિમાન કંપનીઓએ ભાડાં વધારી દીધા તેમ જ શિપિંગ કંપનીઓએ પણ પોર્ટબ્લેરથી હેવલૉક લઈ જવાના અને હેવલૉકથી નીલ આઈલેન્ડ લઈ જવાના તથા નીલ આઈલેન્ડથી પોર્ટબ્લેર લઈના ભાંડા રુ. ૧૫૦૦થી ૨૦૦૦ હતા તેમાં સરેરાશ રૃા. ૩૦૦-૩૦૦નો વધારો કરી દીધો છે. આમ આંદામાન અને નિકોબાર જનારાઓનો વ્યક્તિદીઠ કર્ચ અંદાજે ૬૦૦૦ની આસપાસ વધી ગયા છે.

અમદાવાદથી પોર્ટબ્લેરના ભાડાં રુ. ૨૫૦૦૦થી ૨૬૦૦૦ના હતા તે વધારીને રૃા. ૩૦,૦૦૦ કરી દેવામાં આવ્યા છે. તેમ જ આંદામાન નિકોબારની હોટેલમાં પ્રવાસીઓને આપવામાં આવતી સુવિધાઓ પણ સીમિત કરી દેવામાં આવી છે. તેમ જ ભોજન અને નાસ્તાની સુવિધાઓ પણ સીમિત કરી દેવામાં આવી છે.

Read Previous

જર્કે 2026-27ના વર્ષ માટે સરકારી કંપનીઓ, ટોરેન્ટ પાવરના વીજદરમાં વધારો ન કર્યો

Read Next

ઇન્ડિગો એરલાઈન્સે એડવાઈઝરી આજથી અમલમાંઃ એજન્ટો પાસેથી ખરીદેલી ટિકીટ કેન્સલ નહિ કરી આપવામાં આવે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular