• 26 March, 2026 - 4:24 PM

યુદ્ધવિરામની આશાઓ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો

 

ભારતના બજારમાં સતત બીજા દિવસે સોનાના ભાવમાં ચાર ટકાની તેજી જોવા મળીઃ સોનામાં ચાર ટકા અને ચાંદીમાં 4.8 ટકાનો વધારો

અમદાવાદઃ બુધવારે શેરબજાર સતત બીજા દિવસે વધારાની સાથે બંધ આવ્યું છે. તેની સાથે સાથે જ સોનાના ભાવમાં પણ સુધારો જોવા મળ્યો છે. MCX કોમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવમાં લગભગ 4 ટકા ઉછળી $4,556 પ્રતિ ઔંસ સુધી પહોંચી ગયા છે. અમેરિકા અને ઇરાન વચ્ચેના રાજનૈતિક સંકેતોને કારણે પશ્ચિમ એશિયામાં લાંબા સમય સુધી ચાલનારા સંઘર્ષની ભીતિ ઓછી થઈ હોવાની સોનાના ભાવમાં પ્રસ્તુત સુધારો આવ્યો હોવાનું માનવામાં આવે છે.

BSE સેન્સેક્સ 1,205 પોઈન્ટ અથવા 1.63 ટકા વધીને 75,273.45 પર બંધ રહ્યો હતો. બીજીતરફ નિફ્ટી 50 ઇન્ડેક્સ 394 પોઈન્ટ અથવા 1.72 ટકા વધી ગયો છે. નિફ્ટી 50 બુધવારે  23,306.45 પર સ્થિર રહ્યો હતો. વ્યાપક બજારમાં મિડકૅપ અને સ્મોલકૅપ શેરોમાં વધુ તેજી જોવા મળી હતી. નિફ્ટી મિડકૅપ 100માં 2.3 ટકા અને સ્મોલકૅપ 100માં 2.6 ટકાનો વધારો જોવા મળ્યો હતો. ગઈકાલે તમામ સેક્ટરોમાં વધારો જોવા મળ્યો હતો. તેમ જ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 3.5 ટકાના વધારા સાથે મોખરે આગળ રહ્યું છે. ત્યારબાદ રિયલ્ટી અને PSU બેન્કોમાં 2.5 ટકાથી વધુ વધારો થયો છે.

વ્યક્તિગત શેરોમાં, શ્રીરામ ફાઇનાન્સ 5.8 ટકાના વધારા સાથે ટોચનો પરફોર્મર રહ્યો છે. ત્યારબાદના ક્રમે ટાઇટન (4.6 ટકા) અને ગ્રાસિમ (4.2 ટકા)ના વધારા સાથે આગળ રહ્યા છે.  ટેક મહિન્દ્રાનો શેર 2 ટકાના ઘટાડા સાથે સૌથી નબળું પ્રદર્શન કરનાર શેર્સ રહ્યો છે. ક્રૂડ ઓઈલના ઊંચા ભાવને કારણે તેલ રિફાઇનરી, પેઇન્ટ, ટાયર અને એવિએશન ક્ષેત્રમાં દબાણ જોવા મળ્યું હતું.

બજારમાં તેજીનું મુખ્ય કારણ ઇરાન દ્વારા હોર્મુઝ જળસંધિમાંથી અશત્રુ જહાજોને પસાર થવા દેવાનો સંકેત અને યુદ્ધવિરામ ચર્ચાના અહેવાલો હતા. બ્રેન્ટ ક્રૂડ 5 ટકા ઘટીને $94–$98 સુધી આવી ગયું હતું. ક્રૂડ તેલના ભાવમાં ઘટાડાથી મોંઘવારી અને સપ્લાય અંગેની ચિંતાઓ ઓછી થઈ અને શેરબજારને સહારો મળી ગયો છે.

બીજીતરફ ચાંદીમાં પણ તેજી રહી છે. ચાંદીના ભાવ લગભગ 4.8 ટકા વધીને $73.12 પ્રતિ ઔંસ થઈ ગઈ હતી.અમેરિકા અને ઇરાન વચ્ચે સંઘર્ષ સમાપ્ત કરવાની શક્યતાઓના અહેવાલોએ સોનાં-ચાંદીમાં રોકાણ વધારી દીધું હોવાથી તેના ભાવમાં ઊછાળો જોવા મળ્યો છે.

ઇન્ડિયા VIX 5.3 ટકઘટીને 24.5 થયો છે. પરંતુ હજુ પણ ઊંચા સ્તરે છે. યુરોપ અને એશિયન બજારોમાં પણ 1–2 ટકાનો વધારો જોવા મળ્યો. જોકે, વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલી ચાલુ રહી છે. બજારમાં ભાગીદારી સારી રહી છતાં, રૂપિયા નબળો અને FII વેચવાલી કારણે સાવચેતી જરૂરી છે. ભારતીય રૂપિયા 20 પૈસા ઘટીને 93.97 પ્રતિ ડોલર થયો, જે આયાત ખર્ચ અને મોંઘવારી માટે ચિંતાજનક છે.

કોટક મહિન્દ્રા બેન્ક સાથે જોડાયેલ રૂ.150–160 કરોડના ફિક્સ્ડ ડિપોઝિટ ફ્રોડનો મુદ્દો પણ સામે આવ્યો છે. પરંતુ બજારે તેને અલગ ઘટના તરીકે જોઈ છે. ટેકનિકલી, નિફ્ટી માટે 23,400–23,450નો પ્રતિરોધ મહત્વપૂર્ણ છે. તે પાર થાય તો 23,600–23,800 સુધી તેજી વધી શકે છે.

બેન્ક નિફ્ટી 53,708 પર બંધ થયો અને 54,200–54,300 પર પ્રતિરોધ છે. વિનય રાજાની મુજબ નિફ્ટીએ લાંબા સમય પછી 10-દિવસની SMA ફરી મેળવી છે. ગુરુવારે રામ નવમીના કારણે બજાર બંધ રહેશે. હવે રોકાણકારો યુએસ-ઇરાન સંબંધો, ક્રૂડ ઓઈલના ભાવ, રૂપિયા અને RBIના નિર્ણય પર નજર રાખશે.

 

 

Read Previous

PNG ઉપલબ્ધ હોય ત્યાં LPG ગેસ સપ્લાય બંધ કરવા સરકારનો આદેશ

Read Next

ઇરાને ભારત માટે હોર્મુઝની ખાડીનો માર્ગ ખોલી દીધોઃ ગેસ અને ઇંધણનું સંકટ હળવું થઈ શકશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular