• 26 March, 2026 - 5:25 PM

આવકવેરાનો કેસ રિઓપન કરવાની મંજૂરી લેવામાં ભૂલ થઈ હોય તો કરદાતાની આકારણી રદ નહિ ગણાય

સંસદમાં બજેટને મંજૂર કરાવી લેતાં પહેલા આવકવેરા ધારામાં નવી કલમ 292-બીસીનો ઉમેરો કરવામાં આવ્યો- સ્ટાર્ટ અપની મર્યાદા 100 કરોડથી વધારી 300 કરોડ કરી

અમદાવાદઃ નાણાં મંત્રી નિર્મલા સીતારણની બજેટ સ્પીચ પછી સંસદમાં થયેલી ચર્ચાને અંતે બજેટ પસાર કરતાં પહેલા નવી કલમ 292-બીસી ઉમેરીને થર્ડ પાર્ટીની મળેલી માહિતીને આધારે કેસ રિઓપન કરવા માટેના નિયમ હેઠળ કમિશનર ઓફ ઇન્કમટેક્સની મંજૂરીને બદલે નીચેના અધિકારીની મંજૂરી લીધી હોય તો આકારણી રદ કરવામાં આવશે નહિ. ભૂતકાળમાં હાઈકોર્ટે આ પ્રકારના કિસ્સાઓમાં આકારણી જ રદ કરી દીધી હોવાના સંખ્યાબંધ કિસ્સાઓ બન્યા હોવાથી આ નવો સુધારો બજેટ મંજૂર કરાવતા પહેલા દાખલ કરવામાં આવ્યો છે. દરોડાના કેસમાં આકારણી માટે કેસ રિઓપન કરવા માટે નવી કલમ ઉમેરીને આકારણીને રદ થતી અટકાવી દેવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

ત્રણ વર્ષના કેસ રિઓપન કરવા માટે તેમણે કમિશનર ઇન્કમટેક્સની મંજૂરી લેવી પડે છે. તેઓ માત્ર એડિશનલ કમિશનરની મંજૂરી લઈને કેસ રિઓપન કરી દેતા હતા. નિયમ મુજબ એડિશનલ કમિશનર પછી કમિશનર ઇન્કમટેક્સની મંજૂરી મેળવવાની રહે છે. તેમ જ પચાસ લાખથી વધુ કરચોરી જણાય તો 5 વર્ષના કેસ રિઓપન કરવા માટે ચીફ કમિશનર ઇન્કમટેક્સની મંજૂરી લેવી પડે છે. આ મંજૂરી લેવામાં આવકવેરા અધિકારીઓ રેગ્યુલર કમિશનરની મંજૂરી લઈને કેસ રિઓપન કરી દે છે. વાસ્તવમાં ચીફ કમિશનર ઇન્કમટેક્સની મંજૂરી લેવી પડી છે.

PROMOD POPAT

ટેક્સ કન્સલ્ટન્ટ પ્રમોદ પોપટનું કહેવું છે કે આ પ્રકારની ભૂલોને હાઈકોર્ટ બોગસ ગણાવીને એસેસમેન્ટ રદ કર્યા છે. આવકવેરા વિભાગને તેનાથી મોટું આર્થિક નુકસાન જતું હોવાથી આ સુધારો કરવામાં આવ્યો છે. માત્ર મંજૂરી લેવામાં ભૂલ કરી હોવાથી સંપૂર્ણ આકારણી રદ કરી શકાશે નહિ. મંજૂરી લેવામાં થયેલી ભૂલને વહીવટીય ભૂલ ગણીને આકારણી રદ ન થાય તેવી જોગવાઈ કરી દીધી છે.

બજેટ રજૂ કરવામાં આવ્યું ત્યારે ફેસલેસ એસેસમેન્ટમાં આપવામાં આવતી કેસ રિઓપનની નોટિસ ફેસલેસ જ આપવાની હોય છે. તેને બદલે રેગ્યુલર આવકવેરા અધિકારીઓ કાઢતા હતા અને પછી કેસ ફેસલેસ એસેસમેન્ટ માટે કેસ મોકલવામાં આવતા હતા. આ ક્ષતિનો પણ ટેક્સ કન્સલ્ટન્ટ્સે લાભ લઈને અપીલમાં જઈને આકારણી રદ કરાવી હોવાના કિસ્સાઓ બન્યા છે. તેથી કલમ 150માં સુધારો કરીને બજેટ મંજૂર કરતાં પહેલા દાખલ કરી લેવામાં આવી છે. પરિણામે કેસ નીકળી જવાના કિસ્સાઓ ઘટી જશે.

આ પ્રકારના કેસમાં કોર્ટ કોઈ એસેસમેન્ટ રદ કરે તો કલમ 149ની સમય મર્યાદા લાગુ પડશે નહીં. જોકે તેમાં કલમ 148 હેઠળની નવી નોટિસ 3 મહિનામાં જારી કરવી પડશે. આમ આવકવેરા વિભાગને કેસ રિઓપન કરવાની વધુ સત્તા આપવામાં આવી છે. બાયબેક પરનો સરચાર્જ 4 ટકા હતો તે વધારીને 12 ટકા સરચાર્જ કરી દીધો છે. જૂની વ્યવસ્તામાં ટેક્સના સ્લેબ પ્રમાણે સરચાર્જ લાગતો હતો. હવે ફ્લેટ બાર ટકા સરચાર્જ લાગુ પડશે. તેથી કંપનીઓ માટે ટેક્સની ગણતરી કરવી સરળ બની જશે. જોકે તેની અસર રોકાણકારો પર પડે તેવી સંભાવના છે.

કરદાતાની ધરપકડ કરી શકશે નહિ

આવકવેરાની કલમ 148 હેઠળ રિટર્ન માટે હવે ઓછામાં ઓછા 30 દિવસનો સમય મળશે. તેથી
ટેક્સપેયરને તૈયાર થવા વધુ સમય મળશે. આ સાથે જ ટેક્સ રિકવરી અધિકારીની સત્તા પર કાપ મૂકીને તેને કરદાતાની ધરપકડ કે ડિટેન્શન કરવાની સત્તાથી વંચિત કરી દેવામાં આવ્યા છે. પરિણામે ટેક્સ પેયર્સને આવકવેરાની ઓફિસે જતાં ડર લાગશે નહિ.

એપેલેટ ટ્રિબ્યુનલના ઓર્ડર ઓક્ટોબરથી ડિજિટલ ફોર્મેટમાં nઇન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલના ઓર્ડર હવે ફિઝિકલ કે હાર્ડ કોપીના સ્વરૂપમાં નહિ, પરંતુ પોર્ટલના માધ્યમથી ડિજિટલ સ્વરૂપમાં જ પ્રિન્સિપાલ ચીફ કમિશનર ઇન્કમટેક્સ અને કમિશનર ઇન્કમટેક્સને મોકલી આપવાના રહેશે. પહેલી ઓક્ટોબર 2026થી નવી વ્યવસ્થા લાગુ કરવામાં આવશે.

સ્ટાર્ટઅપ માટે છૂટમાં વધારો

સ્ટાર્ટ અપ માટેની ટર્નઓવર લિમિટ રૂ. 100 કરોડથી વધારીને રૂ. 300 કરોડની કરી દેવામાં આવી છે. તેથી વધુ સ્ટાર્ટઅપને ટેક્સના લાભ મળતા થશે.

 

Read Previous

સતત ઘટી રહેલા બે શેર્સમાં કયો સાયલન્ટ ઇન્વેસ્ટર ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યો છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular