• 20 April, 2026 - 10:35 AM

અમેરિકાની માગણીઓ અવાસ્તવિક હોવાનું જણાવી ઇરાને વાટાઘાટો કરવાની ના પાડી દીધી

અમેરિકન નૌકાદળે ઓમાનના દરિયામાં એક ઈરાનના ધ્વજવાળું કાર્ગો જહાજ જપ્ત કર્યું  હોવાતી ઇરાને અમેરિકા ઉપર સામુદ્રિક લૂંટનો આરોપ મૂક્યો

ઈરાન અને અમેરિકા વચ્ચેનો યુદ્ધવિરામ સમાપ્ત થવાના આરે હોવાની આશા વચ્ચે ઇરાને અમેરિકાની તમામ માગણીઓ અવાસ્તવિક હોવાનું જણાવીને વાટાઘાટો બંધ જ કરી દેવાની જાહેરાત કરી હોવાથી માહોલ એકાએક પલટાઈ ગયો છે.

આ વલણ માટે બીજું એક કારણ પણ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ જણાવ્યું કે અમેરિકન નૌકાદળે ઓમાનના દરિયામાં એક ઈરાનના ધ્વજવાળું કાર્ગો જહાજ જપ્ત કર્યું  છે. યુએસએસ સ્પ્રુઅન્સે જહાજ પર ગોળીબાર કરવામાં આવ્યો અને પછી મરીન્સે કબજો લીધો છે. આ ઘટના હોર્મુઝ જળમાર્ગ નજીક બની છે. અમેરિકા કહે છે કે જહાજે ઈરાન પર લાગેલ રોકનો ભંગ કર્યો હતો.

ઈરાનએ ઘટનાને સામુદ્રિક લૂંટ ગણાવી

અમેરિકાએ ઇરાનના જહાજને જપ્ત કરી લેવાના લીધેલા પગલાંનો બદલો લેવાની ઇરાને કસમ પણ ખાધી છે. પરિણામે પશ્ચિમ એશિયાના દેશોમાં યુદ્ધનો માહોલ વણસી શકે છે. ઇરાન અમેરિકાના પગલાંનો જલદી જ જવાબ આપવા મકક્કમ છે.

આમ અમેરિકા–ઈરાન વચ્ચે યુદ્ધ વિરામ તૂટી જવાની ભીતિ ઊભી થઈ છે. બીજીતરફ ઇઝરાયેલે લેબનોનમાં હુમલા ચાલુ રાખ્યા છે. યુદ્ધ વિરામ હોવા છતાં ઇઝરાયલનું આક્રમણ ચાલુ જ છે. તેથી પશ્ચિમ એશિયામાં તણાવ વધુ વધી રહ્યો છે

ક્રૂડ ઓઈલ અને બજાર પર અસર

પશ્ચિમ એશિયાના દેશોમાં તણાવ વધી જતાં બ્રેન્ટ ક્રૂડના ભાવ પણ ઊંચકાઈ ગયા છે. બ્રેન્ટ ક્રૂડ બેરલદીઠ $95 – $100ની સપાટીએ પહોંચી ગયું છે. ડબ્લ્યુટીઆઈ ક્રૂડ 8.5 ટકા વધી ગયું છે. આ ઘટનાને પરિણામે વૈશ્વિક શેરબજારોમાં ઘટાડો જોવા મળ્યો છે. સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ 500માં એક ટકાનું ગાબડું પડ્યું છે. નેશડેક 100 પણ 1.1 ટકા તૂટ્યું છે. ડાઉ જોન્સ 100 પણ એક ટાક તૂટ્યો છે.

યુદ્ધના કારણે એનર્જી અને સ્ટોક માર્કેટમાં અસ્થિરતા છે. અમેરિકા ઈરાનનું યુરેનિયમ સ્ટોકને મુદ્દે અક્કડ વલણ ધારવે છે. તેમ જ  ન્યુક્લિયર એન્હાન્સમેન્ટની મર્યાદાની બાબત પણ નડી રહી છે. હોર્મુઝ જળમાર્ગ ફરી ખુલ્લો કરાવવા અમેરિકા મક્કમ છે. અત્યારે આ તમામ મુદ્દે અશ્ચિતતા પ્રવર્તી રહી છે.

તેથી ઇંધણના એટલે કે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો આવી ગયો છે. અમેરિકાના એનર્જી સચિવનું કહેવું છે કે પેટ્રોલના ભાવ ઊંચા જ રહી શકે છે. યુદ્ધના કારણે લાંબા સમય સુધી અસર રહેશે.

પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફએ ઈરાનના પ્રમુખ સાથે ફરીથી વાત કરી છે. શાંતિ માટે રાજદ્વારી પ્રયાસો ચાલુ જ છે. જોકે ઈરાનમાં અસંતોષ વધી રહ્યો છે. કારણ કે યુદ્ધમાં ઘરો નષ્ટ થયેલા લોકોને વળતર આપવા સરકાર પાછળ હટી રહી છે. તેથી ઇરાનની જનતાની નારાજગી વધી રહી છે. તદુપરાંત યેમનના હૂથી જૂથ યુદ્ધમાં સીધી રીતે જોડાવા તૈયાર નથી. હૂથી જૂથ આંતરિક નિયંત્રણ પર વધુ ધ્યાન આપી રહ્યું છે.

આમ સમગ્રતયા ઇરાન-અમેરિકાની યુદ્ધની પરિસ્થિતિ ખૂબ જ અસ્થિર અને જોખમભરી છે. હોર્મુઝ જળમાર્ગ સૌથી મોટું જોખમ બિંદુ છે. તેની સીધી અસર ક્રૂડ ઓઈલ અને વૈશ્વિક શેરબજારો સહિતના બજારો પર સીધી અસર પડી રહી છે. જોકે યુદ્ધ વિરામ થવાનો આશાવાદ હજીય બરકરાર છે.

 

Read Previous

આજે શેરબજારમાં શું કરી શકાય?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular