• 30 April, 2026 - 11:35 AM

ક્રૂડ તેલ $115 પર પહોચ્યાઃ  ક્રૂડના ભાવ ભારતની કંપનીઓના નફો ઓહિયા કરી રહ્યા છે

તાજેતરમાં ક્રૂડના ભાવમાં વધારો થયો છે કારણ કે અમેરિકા ઈરાનના બંદરો પરનો અવરોધ વધારી શકે તેવી અહેવાલો આવી રહ્યા છે.

અમદાવાદઃ ક્રૂડ તેલના ભાવ લાંબા સમય સુધી ઊંચા રહે, તો ભારતની મેક્રોએકોનોમિક સ્થિરતા અને કંપનીઓની નફાકારકતા પર અસર પડી શકે છે, કારણ કે દેશ મોટાભાગે આયાત કરેલા તેલ પર આધારિત છે. 30મી એપ્રિલે બંધ થયેલા બ્રેન્ટ ક્રૂડના વાયદામાં ક્રૂડના બેરલદીટ ભાવ $115.48 પ્રતિ બેરલ પર રહ્યા હતા. આમ ક્રૂડના ભાવમાં 3.79 ટકાનો વધારો નોંધાયો હતો.

બુધવારે ભારતીય શેરબજારમાં વધારો જોવા મળ્યો, જ્યાં કેટલાક સ્ટોક્સના ત્રિમાસિક પરિણામોએ તેલના વધતા ભાવની ચિંતાઓને થોડી હદે સંતુલિત કરી હતી. તાજેતરમાં ક્રૂડના ભાવમાં વધારો થયો છે કારણ કે અમેરિકા ઈરાનના બંદરો પરનો અવરોધ વધારી શકે તેવી અહેવાલો આવી રહ્યા છે. પરિણામે ક્રૂડ ઓઈલનો વૈશ્વિક સપ્લાય ઘટવાની ભીતિ વધી છે.

નિષ્ણાતોનું કહેવું છે કે સતત ઊંચા ક્રૂડ ભાવ ભારત માટે જોખમરૂપ છે. ક્રૂડ તેલના ભાવ વધ્યા હોવા છતાં બજાર સ્થિર છે. પરંતુ રોકાણકારોએ સાવચેતી રાખવી જોઈએ. જો ક્રૂડ $110–115 પ્રતિ બેરલથી ઉપર રહે તો તેની અસર શેરબજારો પર અને કંપનીઓના પરફોર્મન્સ પર પણ જોવા મળશે.  ક્રૂડઓઈલના બેરલદીઠ ભાવ ઝડપથી વધીને $115–117 સુધી જઈ શકે છે. $100 પણ ભારતીય અર્થતંત્ર માટે ઊંચો સ્તર છે, અને હાલમાં અમે તેના ઉપર ટ્રેડ કરી રહ્યા છીએ.

ભારતની કંપનીઓ પર પડનારી અસર

ક્રૂડ ઓઈલના બેરલદીઠ ભાવ $115થી ઉપર રહે તો કંપનીઓના પરિણામોમાં તેની સ્પષ્ટ અસર દેખાવા માંડશે. અત્યારે પણ ઘણી બધી કંપનીઓના પરિણામો પર તેની અસર જોવા મળી રહી છે. કારણ કે ભારત ક્રૂડની આયાત પર 80 ટકા નિર્ભર છે. ક્રૂડ ઓઈલના વધેલા ભાવ કાચા માલ, ટ્રાન્સપોર્ટ અને પેકેજિંગ ખર્ચ વધારશે. બીજીતરફ રૂપિયો નબળો પડી રહ્યો હોવાને કારણે આયાત ખર્ચ વધી રહ્યો છે. કંપનીઓ તરત જ ભાવ વધારો ગ્રાહકો પર નાખી શકતી નથી. પરિણામે નફાના માજિન પર સીધી અસર પડે છે

કયા સેક્ટર પર સૌથી વધુ અસર?

ક્રૂડ ઓઈલના ભાવ વધારાની સૌથી મોટી અસર એવિયેશન સેક્ટર પર અટલે કે વિમાન સેવા ચલાવનારી કંપનીઓ પર પડશે. તેમને ટિકીટના દર વધારવાની તક નહિ મળે તો તેના માર્જિન ધોવાઈ જવાની સંભાવના છે.  રવિ સિંહ મુજબ નીચેના સેક્ટરો સૌથી વધુ અસરગ્રસ્ત છે. તેમણે વિમાન સેવાઓ બંધ કરી દેવાન ચિમકી તો આ અગાઉ જ આપી દીધી છે. તેમ ન થાય તો વિમાન સેવાની ટિકીટોના ભાવમાં જબરદસ્ત વધારો આવી જવાની સંભાવના રહેલી છે.

બીજી અસર પેઈન્ટ ઇન્ડસ્ટ્રી પર પડી શકે છે. આ ઇન્ડસ્ટ્રીની અગ્રણી કંપનીઓમાં એશિયન પેઈન્ટ્સ, બર્જર પેઈન્ટ્સ, નેરોલેક જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. તેવી જ રીતે ટાયર ઉદ્યોગ  ને કેમિકલ્સના ઉત્પાદન સાથે સંકળાયેલી કંપનીઓના પરફોર્મન્સ પર તેની અસર પડી શકે છે. સિયાટ ટાયર અને એપોલો ટાયર સહિતની કંપનીઓ પર તેની અવળી અસર પડી શકે છે. આ તમામ સેક્ટર ક્રૂડ ઓઈલ આધારિત કાચા માલ પર મદાર બાંધતી હોવાથી તેમના પર તીવ્ર અસર જોવા મળશે. તદુપરાંત પ્લાસ્ટિકની આઈટેમ્સ બનાવતા મેન્યુફેક્ચરર્સ પર પણ તેની મોટી અસર પડશે.

સૌથી મોટો ફટકો તો ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પર પડશે. તેમની પાસે તેમના પ્રોડક્ટ્સના ભાવ નક્કી કરવાની ઓથોરિટી જ નથી. પેટ્રોલ અને ડિઝલ તથા નેચરલ ગેસના ભાવ સરકારની મંજૂરી પછી જ વધારી શકાતા હોવાથી તેની સાથે સંકળાયેલી કંપનીઓના માર્જિન તો તત્કાળ કપાવાના શરૂ થઈ જાય છે. બે મહિના પૂર્વે ક્રૂડના બેરલદીઠ ભાવ 60 ડૉલરની આસપાસ હતા તે આજે વધીને 115 ડૉલરની સપાટીને વળોટી ગયા છે. બ્રોકરેજ હાઉસની ગણતરી મુજબ તેમના માર્જિનમાં 90 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. તેથી જ ઓઈલ માર્કેટિંગ કંપનીઓના શેર્સના ભાવ તૂટી શકે છે.

આગળ શું થઈ શકે?

જો ક્રૂડના ભાવ ઊંચા જ રહે તો ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારવા પડશે. તેમના માર્કેટિંગના અને અન્ય ખર્ચમાં કાપ મૂકવો પડશે. ત્રીજો વિકલ્પ ઓછા નફા સાથે કામ કરવું પડશે. સમગ્રતયા કોર્પોરેટ કમાણીની વૃદ્ધિ ધીમી પડી શકે છે.

 

Read Previous

આજે શેરબજારમાં શું કરશો?

Read Next

વીમાનો ક્લેઈમ મૂકવામાં મોડું થાય એટલે ક્લેઈમ રિજેક્ટ ન કરી શકાયઃ મુંબઈ હાઈકોર્ટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular