વિદેશ પ્રવાસ ન કરવાની પ્રધાનમંત્રીની વિનંતી પછી ટુરિઝમ ઉદ્યોગની હાલત કફોડી થઈ

કોર્પોરેટ્સ દ્વારા વિદેશ પ્રવાસમાં લગભગ 75થી 80 ટકાનો કાાપ મૂકવામાં આવ્યો
કોરોના કાળ કરતાંય બદતર સ્થિતિમાં આવી ગયેલી ટ્રાવેલિંગ કંપનીઓઃ પ્રવાસ બુકિંગ ૫૦ ટકાથી પણ ઓછા થયા
ટ્રાવેલ કંપનીઓની આવક 50 ટકા ઘટી ગઈ પરંતુ પગાર ખર્ચનો બોજ પહેલાની માફક જ ચાલુ રહેતા કઠણાઈ વધી
અમેરિકા ઇરાનના યુદ્ધ પહેલા દુબઈ કે અખાતના દેશોના પ્રવાસ બુક કરાવનાર પ્રવાસીઓને પૈસા પરત આપવામાં કંપનીઓના ધાંધિયા
અમેરિકા અને ઇરાન વચ્ચે થયેલા યુદ્ધને પરિણામે ક્રૂડનો સપ્લાય ખોરવાઈ જતાં અને આયાત મોંઘી થઈ જતાં વિદેશી હૂંડિયામણ બચાવવા માટે લોકોને વિદેશ પ્રવાસથી થોડા સમય માટે દૂર રહેવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલા આવાહનને પરિણામે ટ્રાવેલિંગના બિઝનેસ સાથે સંકળાયેલા લોકોના ધંધા ધીમે ધીમે મંદ પડીને બંધ થવા આવ્યા છે. બીજીતરફ અમેરિકા અને ઇરાન વચ્ચેના યુદ્ધ પહેલા અખાતના દેશો માટે પ્રવાસ બુક કરનારાઓએ પ્રવાસ માટે પૈસા ચૂકવનારાઓને પૈસા આપવામાં ધાંધિયા કરવા માંડયા છે.
ટ્રાવેલિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે પ્રધાનમંત્રીની હાકલ પછી કોર્પોરેટ કંપનીઓએ તેમના વિદેશ પ્રવાસો લગભગ સ્થગિત કરી દીધા છે. પરિણામે ટ્રાવેલિંગના બિઝનેસ સાથે સંકળાયેલા લોકોના ૫૦થી ૬૦ ટકા બિઝનેસ ઓછા થઈ ગયા છે. પરિણામે તેમની હાલત કોરોના કાળ કરતાંય બદતર થઈ ગઈ હોવાનું જણાવતા સી.કે. ટ્રાવેલ્સના પ્રમોટર અને ફ્લેમિંન્ગોના પાર્ટનર સંજીવ છાજેડ કહે છે કે કોરોના કાળ વખતે તમણે સ્ટાફને અડધો પગાર આપવાનો આવતો હતો. ધંધો નહોતો તેથી પગાર ખર્ચનો બોજ ૫૦ ટકા ઓછો થઈ ગયો હતો. તેથી તે દિવસે જમતેમ નીકળી ગયા હતા.
પરંતુ અત્યારે ધંધા મંદ પડીને બંધ થઈ રહ્યા હોવા છતાંય પગાર ખર્ચનું ભારણ ઓછું થતું જ નથી. પરિણામે ટ્રાવેલ કંપનીઓની આવક ઘટી રહી છે અને પગાર ખર્ચ જેમનો તેમ જ રહ્યો છે. તેથી તેમની હાલત કફોડી થઈ રહી છે.
સામાન્ય રીતે ભારતમા ંઊનાળા દરમિયાન ગોવા, કેરળ, કન્યાકુમારી, ગૌહાટી-આસામ, લેહલડાખ, કાશ્મીરના કે હિમાચલ પ્રદેશના વિસ્તારોમાં પ્રવાસમાં જવાની લોકો પસંદ કરે છે. પરંતુ ક્રૂડના ભાવ વધી ગયા હોવાથી ઘણી બધી એરલાઈન્સે તેમના ભાડાં વધારી દીધા છે. વિશ્વા ટ્રાવેલ્સના પ્રમોટર પરેશ શાહનું કહેવું છે કે નોર્મલ ટાઈમમાં ગોવાનું ભાડું રુ. ૪૦૦૦થી રુ. ૫૦૦૦નું રહેતું હતું. પરંતુ અત્યારે ક્રૂડના ભાવની વધઘટ અન ેસપ્લાયની અનિશ્ચિતતાને કારમે ગોવાની ટિકીટના ભાવ રુ. ૩૦૦૦૦ની આસપાસના થઈ ગયા છે. ચાર જણનો પરિવાર આ ભાડામાં ભારતમાં પ્રવાસ કરે તો તેમને વિદેશ પ્રવાસ કરતાંય સ્થાનિક પ્રવાસ મોંઘો પડી રહ્યો છે. આમ સ્થાનિક સ્તરે વિમાન ભાડાં વધી જવાથી પ્રવાસ બુકિંગ થતાં નથી.
ઊનાળાના ધસારાને કારણે રેલવે ટિકીટના બુકિંગ મળવામાં પણ મુશ્કેલી પડી રહી હોવાથી રેલવેથી પણ પ્રવાસ કરી શકાતો ન હોવાથી ભારતના પર્યટન સ્થળે જનારાઓની સંખ્યા ૫૦ ટકા ઘટી ગઈ છેે.
બુકિંગ કંપનીઓ જૂના ક્લાયન્ટના ફોન ઉપાડતી જ નથી
અમેરિકા અને ઇરાન વચ્ચેના યુદ્ધ પૂર્વે પ્રવાસ બુક કરાવનારા યુદ્ધ ફાટી નીકળતા જઈ શક્યા નહોતા. પરંતુ હવે તેમના પૈસા પણ ફસાઈ ગયા છે. પ્રવાસ બુકિંગ કરાવનારાઓ તેમના નાણાં પરત આપવામાં ધાંધિયા કરી રહ્યા છે. તેઓ જૂના પેકેજમાં નવા પ્રવાસ આપી શકે તેવી માનસિકતા ન ધરાવતા હોવાથી તેઓ જૂના પેકેજ બુક કરાવનારાઓના ફોન ઉપાડતા જ નથી. તેમને પૈસા પરત કરવામાં લબડાવી રહ્યા છે. તેમ જ તેમને ફોન પર કે મેસજે પર જવાબ જ આપતા નથી. આમ ટ્રાવેલિંગ કંપનીઓ અને તેના એજન્ટો જૂના વિદેશે પ્રવાસ બુક કરાવનારાઓ સાથે વાત કરવાનું ટાળી રહ્યા છે.


