બેન્કોએ MSME ધિરાણ પહોંચ વધારવા માટે ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરવો જ જોઈએ: RBI ગવર્નર

નાણાકીય સંસ્થાઓએ વધુ સમાવેશી MSME ધિરાણ વ્યવસ્થાતંત્ર બનાવવા માટે ULI, એકાઉન્ટ એગ્રીગેટર અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મનો લાભ લેવો જોઈએ.
બેન્કો અને નોન-બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીઓને દેશના ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (DPI) માળખાનો વધુ ઉપયોગ કરીને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) માટે ધિરાણની પહોંચ વધારવા સોમવારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતુ. એમએસએમઈ ક્ષેત્રને પૂરતા નાણાકીય ટેકા વિના વિકસિત ભારતની આકાંક્ષા સિદ્ધ થઈ શકે નહીં. એકાઉન્ટ એગ્રીગેટર (AA) ફ્રેમવર્ક, યુનિફાઇડ લેન્ડિંગ ઇન્ટરફેસ (ULI), ટ્રેડ રિસીવેબલ્સ ડિસ્કાઉન્ટિંગ સિસ્ટમ (TReDS), GST ડેટા ટ્રેલ્સ અને આધાર-આધારિત જેવા પ્લેટફોર્મ વધુમાં વધુ નાના અને મધ્યમ ઉદ્યોગોને ધિરાણ મળી શકે તે માટેનું માળખું તૈયાર કરવામાં મદદ કરી શકે છે.
MSMEs ને માત્ર એક નિયમનકારી જવાબદારી તરીકે ન જોતાં લાંબા ગાળાના બિઝનેસ પાર્ટનર્સ તરીકે જુએ, જેમનો વિકાસ ટકાઉ નાણાકીય વળતર અને વ્યાપક આર્થિક લાભો પેદા કરી શકે છે. ડિજિટલ ડેટા મારફતે મજબૂત બનેલી રિલેશનશિપ બેંકિંગ, ટેકનોલોજી આધારિત ધિરાણ વિતરણને પૂરક બની શકે છે. MSMEs ભારતના GDP માં ૩૧ ટકા યોગદાન આપે છે, ઉત્પાદન આઉટપુટમાં આશરે ૩૫ ટકા હિસ્સો ધરાવે છે અને દેશની મર્ચેન્ડાઇઝ નિકાસમાં લગભગ અડધો હિસ્સો ધરાવે છે, જ્યારે ૩૨૦ મિલિયનથી વધુ લોકોની આજીવિકાને ટેકો આપે છે. નાણાકીય વ્યવસ્થા તેના સૌથી નાના, સૌથી અસંખ્ય સહભાગીઓને સારી રીતે સેવા આપતી નથી, તે સાચા અર્થમાં અર્થતંત્રની સારી સેવા કરી રહી નથી.
સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે જો હું એક સામ્યતા રજૂ કરું જે તમારામાંથી ઘણા લોકો સાથે સુસંગત થશે. જેવી રીતે UPI એ આ દેશમાં નાણાંની હેરફેરને બદલી નાખી છે. તે જ રીતે યુનિફાઈડ લેન્ડિંગ ઇન્ટરફેસ આ દેશમાં ધિરાણ મેળવવાની પદ્ધતિ માટે પણ એવું જ કરવાની ક્ષમતા ધરાવે છે. ULI ધિરાણકર્તાઓને એક જ સંમતિ-આધારિત ઇન્ટરફેસ દ્વારા GST ફાઇલિંગ, બેંક સ્ટેટમેન્ટ્સ, યુટિલિટી રેકોર્ડ્સ અને લેન્ડ રેકોર્ડ્સ જેવા ડિજિટલ રીતે ઉપલબ્ધ ડેટાનો ઉપયોગ કરીને લોન લેનારાઓનું મૂલ્યાંકન કરવાની મંજૂરી આપે છે. નજીવો ક્રેડિટ ઇતિહાસ ધરાવતા પરંતુ વાસ્તવિક રીતે મજબૂત વ્યવસાય ધરાવતા સાહસ માટે આ પરિવર્તનકારી છે. તે તમારા વ્યવસાયની સાચી, વર્તમાન સ્થિતિના આધારે તમારું મૂલ્યાંકન ઝડપથી અને ખૂબ ઓછા ઘર્ષણ સાથે કરવાની મંજૂરી આપે છે.
તેમણે AA ફ્રેમવર્કની વધતી ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો હતો, જેણે નાણાકીય વર્ષ ૨૬ દરમિયાન રૂ. ૩.૫ ટ્રિલિયન મૂલ્યના ધિરાણની સુવિધા આપી હતી અને તેમાં નોંધપાત્ર રીતે સ્કેલ અપ થવાની ક્ષમતા છે. RBI ના નિયમનકારી પગલાં, મુદ્રા (MUDRA) અને સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગો માટે ક્રેડિટ ગેરંટી ફંડ ટ્રસ્ટ (CGTMSE) જેવી સરકારી યોજનાઓ સાથે મળીને આ ક્ષેત્રમાં ઔપચારિક ધિરાણમાં નોંધપાત્ર વધારો કરવામાં ફાળો આપ્યો છે.
૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ શિડ્યુલ્ડ કોમર્શિયલ બેંકો દ્વારા MSME ક્ષેત્રને બાકી ધિરાણ રૂ. ૩૬.૭૯ ટ્રિલિયન હતું, જે છેલ્લા પાંચ નાણાકીય વર્ષ દરમિયાન ૧૫ ટકાના તંદુરસ્ત CAGR સાથે વધ્યું છે. તેમણે સ્વીકાર્યું કે ધિરાણની ખાઈ હજુ સંપૂર્ણપણે પુરાઈ નથી. પરંતુ હું ચોક્કસપણે કહીશ કે અમે છેલ્લા કેટલાક વર્ષોમાં MSME ક્ષેત્રની નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.



