• 3 July, 2026 - 12:25 AM

Manubhai & Shah LLP માં બે અગ્રણી CA ફર્મ્સનું મર્જર પછી સેવાને ટીયર 2 અને 3 સિટી સુધી વિસ્તારવાનું આયોજન 

ભારતની એક બિગ ફોર નિર્માણ કરવાનું અને અમારી સેવાના માધ્યમથી નાના અને મધ્યમ ઉદ્યોગોને નવી ઊંચાઈએ લઈ જવાનું ધ્યેય ધરાવીએ છીએઃ ક્ષિતિજ પટેલ

અમદાવાદ, ૨ જુલાઈ: ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ડે (CA Day) ના વિશિષ્ટ અને ગૌરવશાળી અવસર પર, ભારતીય એકાઉન્ટિંગ અને વ્યાવસાયિક સેવા ક્ષેત્રે એક બહુ મોટી વ્યૂહાત્મક જાહેરાત કરવામાં આવી છે. પાંચ દાયકાની ભવ્ય પરંપરા અને ઉત્કૃષ્ટતા ધરાવતી દેશની અગ્રણી ચાર્ટર્ડ અકાઉન્ટન્સી ફર્મ, Manubhai & Shah LLP એ આજે બે પ્રતિષ્ઠિત ફર્મ્સના પોતાની સંસ્થામાં મર્જર કરવાની   સત્તાવાર ઘોષણા કરી છે. આ ઐતિહાસિક મર્જરમાં અમદાવાદ સ્થિત Pavagadhi Shah & Associates અને પુણેની ચાર દાયકા જૂની અકાઉન્ટિંગ અને એડવાઇઝરી ફર્મ Doshi R C & Co. (DRC) નો સમાવેશ થાય છે. મનુભાઈ એલએલપીના મેનેજિંગ પાર્ટનર ક્ષિતિજ પટેલે જણાવ્યું હતું કે અમે વિશ્વની બિગ ફોર સી.એ. ફર્મની માફક ભારતની એક બિગ ફોર નિર્માણ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. તેમ જ અમે અમારી સેવા આપીને નાના અને મધ્યમ ઉદ્યોગોને નવી ઊંચાઈએ લઈ જવાનું ધ્યેય ધરાવીએ છીએ.

આ મર્જર સાથે ૨,૦૦૦ કર્મચારીઓનો નવો માઇલસ્ટોન અને ક્ષમતા વિસ્તરણનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહત્વપૂર્ણ મર્જર-જોડાણ અને ઇન્ટિગ્રેશન્સના પરિણામે Manubhai & Shah LLPની ક્ષમતામાં અભૂતપૂર્વ વધારો થયો છે. ફર્મ હવે ૧,૯૦૦થી વધુ ઉચ્ચ કુશળ વ્યાવસાયિકોની મજબૂત ટીમ સાથે ૨,૦૦૦-કર્મચારીના વિરાટ માઇલસ્ટોન તરફ ખૂબ જ ઝડપથી અને સ્થિર ગતિએ આગળ વધી રહી છે. આ વિકાસ સાથે, સંસ્થાએ ભારતની અગ્રણી વ્યાવસાયિક સેવાઓ આપતી ટોચની કંપનીઓમાં પોતાની બજાર સ્થિતિને સર્વોચ્ચ સ્તરે વધુ મજબૂત બનાવી દીધી છે.

ભાવિ સ્કોપ અને બજાર પર અસર (Future Scope & Synergies) આ વિલય માત્ર કદ વધારવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે ભવિષ્યની બદલાતી આર્થિક અને જટિલ વ્યાપારી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને લેવાયેલું મોટું કદમ છે. આ જોડાણથી સંયુક્ત ફર્મની ઑડિટ (Audit), ટેક્સેશન (Taxation), એડવાઇઝરી (Advisory), રેગ્યુલેટરી (Regulatory) અને બિઝનેસ કન્સલ્ટિંગ સર્વિસીસ (Business Consulting Services) જેવા ક્ષેત્રોમાં ક્ષમતાઓ બમણી થશે.

પુણે સ્થિત Doshi R C & Co. ની સ્થાપના ૧૯૮૪ માં CA રાજકુમાર દોશી દ્વારા કરવામાં આવી હતી, જે ફાઇનાન્સિયલ રિપોર્ટિંગ, વેલ્યુએશન અને સ્ટાર્ટ-અપ એડવાઇઝરીમાં નિપુણતા ધરાવે છે. આ એક્સપર્ટાઇઝનો સીધો લાભ ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત દેશભરના કોર્પોરેટ ક્લાયન્ટ્સને મળશે. ભવિષ્યમાં આ ફર્મ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને એડવાન્સ કન્સલ્ટિંગ ક્ષેત્રે નવા માપદંડો સ્થાપિત કરવા જઈ રહી છે.

વિલય અંગે હર્ષ વ્યક્ત કરતાં Manubhai & Shah LLP ના કો-મેનેજિંગ પાર્ટનર કૌશિક પટેલે જણાવ્યું હતું કે, “અમે અમારી પાંચ દાયકાની લેગેસી પર આગળ નિર્માણ કરી રહ્યા છીએ ત્યારે આ વિલય અમારી સ્ટ્રેટેજિક ગ્રોથ જર્નીનું એક મહત્વપૂર્ણ પગલું છે. આ જોડાણ અમારા ક્લાયન્ટ્સ અને સ્ટેકહોલ્ડર્સ માટે વધુ મૂલ્ય (Value) સર્જવાની અમારી શક્તિને નવી ઊંચાઈ આપશે.”

Read Previous

વોટ્સએપ યુઝરનેમનો વિવાદ: ભારતના ટોચના ક્રિએટર્સને કેમ છે છેતરપિંડી, નકલી ઓળખ અને આઈડેન્ટિટી ચોરીનો ડર

Most Popular